રાજકોટમાં જોવા મળ્યો કિરણ પટેલ જેવો કિસ્સો! નકલી આઈબી અધિકારી બની હિતેશ ઠાકરે વેપારી સાથે કરી છેતરપિંડી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-18 10:42:11

એક તરફ નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલનો મામલો શાંત નથી થયો ત્યારે તો રાજકોટથી વધુ એક મહાઠગ ઝડપાયો છે. જેનું નામ હિતેશ ઠાકર છે. કિરણ પટેલની જેમ હિતેષ ઠાકરે પણ નકલી અધિકારી હોવાનું જણાવી ઠગાઈ કરી હતી. આઈબીના અધિકારી તરીકેની ઓળખ આપીને રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. 


આઈબી અધિકારી બની ફરતો હતો હિતેશ ઠાકર!  

જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ બીજા અનેક ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે તેને લઈ આવવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલો હજી શાંત નથી પડ્યો ત્યારે રાજકોટથી કિરણ પટેલના જેવા કારસ્તાન કરનાર વ્યક્તિ ઝડપાયો છે. હિતેશ ઠાકર નામના વ્યક્તિએ આઈબીના અધિકારી  હોવાની નકલી ઓળખ આપી હતી. તે સિવાય બોટાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી કરોડો રુપિયાની ઠગાઈ કરી હતી. 


વેપારીને મહાઠગે લગાવ્યો 1.22 કરોડનો ચૂનો! 

રાજકોટમાં કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ નારીયાએ હિતેશ ઠાકર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે બે વર્ષ પહેલા તેમના ભાઈની ઓળખાણ થઈ હતી. વિજયભાઈની ઓળખાણ હિતેશ ઠાકર સાથે થઈ હતી. હિતેશ ઠાકરે પોતાની ઓળખાણ બોટાદના ડે. કલેક્ટર અને આઈબીના અધિકારી તરીકે આપી હતી. જે બાદ હિતેશે વિજયભાઈને કારખાના માટે રસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી હતી. આ વાતના બદલામાં હિતેશ ઠાકરે વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા. 


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ!

આ વાતને ઘણો સમય વીત્યો પણ હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી અને ન તો ઓર્ડર અપાવ્યો હતો. જ્યારે અલ્પેશભાઈએ પૈસા પરત માગ્યા ત્યારે હિતેશ ઠાકરે ખોટા કેસમાં ફસાવવાની અને ઈન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી.પરંતુ અંતે આ મામલે ફરિયાદીએ રાજકોટ કમિશનરનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહાઠગ હિતેશ ઠાકર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે નકલી અધિકારી બનવું આટલું સહેલું છે? લોકો કેવી રીતે આવા બનાવટી અધિકારીઓની વાતમાં આવી જતા હોય છે? આવા કિસ્સોમાં થતો વધારો ચિંતાજનક છે.   

                



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.