રાજકોટમાં જોવા મળ્યો કિરણ પટેલ જેવો કિસ્સો! નકલી આઈબી અધિકારી બની હિતેશ ઠાકરે વેપારી સાથે કરી છેતરપિંડી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-18 10:42:11

એક તરફ નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલનો મામલો શાંત નથી થયો ત્યારે તો રાજકોટથી વધુ એક મહાઠગ ઝડપાયો છે. જેનું નામ હિતેશ ઠાકર છે. કિરણ પટેલની જેમ હિતેષ ઠાકરે પણ નકલી અધિકારી હોવાનું જણાવી ઠગાઈ કરી હતી. આઈબીના અધિકારી તરીકેની ઓળખ આપીને રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. 


આઈબી અધિકારી બની ફરતો હતો હિતેશ ઠાકર!  

જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ બીજા અનેક ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે તેને લઈ આવવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલો હજી શાંત નથી પડ્યો ત્યારે રાજકોટથી કિરણ પટેલના જેવા કારસ્તાન કરનાર વ્યક્તિ ઝડપાયો છે. હિતેશ ઠાકર નામના વ્યક્તિએ આઈબીના અધિકારી  હોવાની નકલી ઓળખ આપી હતી. તે સિવાય બોટાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી કરોડો રુપિયાની ઠગાઈ કરી હતી. 


વેપારીને મહાઠગે લગાવ્યો 1.22 કરોડનો ચૂનો! 

રાજકોટમાં કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ નારીયાએ હિતેશ ઠાકર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે બે વર્ષ પહેલા તેમના ભાઈની ઓળખાણ થઈ હતી. વિજયભાઈની ઓળખાણ હિતેશ ઠાકર સાથે થઈ હતી. હિતેશ ઠાકરે પોતાની ઓળખાણ બોટાદના ડે. કલેક્ટર અને આઈબીના અધિકારી તરીકે આપી હતી. જે બાદ હિતેશે વિજયભાઈને કારખાના માટે રસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી હતી. આ વાતના બદલામાં હિતેશ ઠાકરે વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા. 


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ!

આ વાતને ઘણો સમય વીત્યો પણ હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી અને ન તો ઓર્ડર અપાવ્યો હતો. જ્યારે અલ્પેશભાઈએ પૈસા પરત માગ્યા ત્યારે હિતેશ ઠાકરે ખોટા કેસમાં ફસાવવાની અને ઈન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી.પરંતુ અંતે આ મામલે ફરિયાદીએ રાજકોટ કમિશનરનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહાઠગ હિતેશ ઠાકર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે નકલી અધિકારી બનવું આટલું સહેલું છે? લોકો કેવી રીતે આવા બનાવટી અધિકારીઓની વાતમાં આવી જતા હોય છે? આવા કિસ્સોમાં થતો વધારો ચિંતાજનક છે.   

                



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.