રાજકોટમાં જોવા મળ્યો કિરણ પટેલ જેવો કિસ્સો! નકલી આઈબી અધિકારી બની હિતેશ ઠાકરે વેપારી સાથે કરી છેતરપિંડી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-18 10:42:11

એક તરફ નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલનો મામલો શાંત નથી થયો ત્યારે તો રાજકોટથી વધુ એક મહાઠગ ઝડપાયો છે. જેનું નામ હિતેશ ઠાકર છે. કિરણ પટેલની જેમ હિતેષ ઠાકરે પણ નકલી અધિકારી હોવાનું જણાવી ઠગાઈ કરી હતી. આઈબીના અધિકારી તરીકેની ઓળખ આપીને રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. 


આઈબી અધિકારી બની ફરતો હતો હિતેશ ઠાકર!  

જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી લીધી હતી. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ બીજા અનેક ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે તેને લઈ આવવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલો હજી શાંત નથી પડ્યો ત્યારે રાજકોટથી કિરણ પટેલના જેવા કારસ્તાન કરનાર વ્યક્તિ ઝડપાયો છે. હિતેશ ઠાકર નામના વ્યક્તિએ આઈબીના અધિકારી  હોવાની નકલી ઓળખ આપી હતી. તે સિવાય બોટાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી કરોડો રુપિયાની ઠગાઈ કરી હતી. 


વેપારીને મહાઠગે લગાવ્યો 1.22 કરોડનો ચૂનો! 

રાજકોટમાં કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ નારીયાએ હિતેશ ઠાકર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે બે વર્ષ પહેલા તેમના ભાઈની ઓળખાણ થઈ હતી. વિજયભાઈની ઓળખાણ હિતેશ ઠાકર સાથે થઈ હતી. હિતેશ ઠાકરે પોતાની ઓળખાણ બોટાદના ડે. કલેક્ટર અને આઈબીના અધિકારી તરીકે આપી હતી. જે બાદ હિતેશે વિજયભાઈને કારખાના માટે રસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી હતી. આ વાતના બદલામાં હિતેશ ઠાકરે વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા. 


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ!

આ વાતને ઘણો સમય વીત્યો પણ હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી અને ન તો ઓર્ડર અપાવ્યો હતો. જ્યારે અલ્પેશભાઈએ પૈસા પરત માગ્યા ત્યારે હિતેશ ઠાકરે ખોટા કેસમાં ફસાવવાની અને ઈન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી.પરંતુ અંતે આ મામલે ફરિયાદીએ રાજકોટ કમિશનરનો સંપર્ક કર્યો અને સમગ્ર હકીકત જણાવી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહાઠગ હિતેશ ઠાકર વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે નકલી અધિકારી બનવું આટલું સહેલું છે? લોકો કેવી રીતે આવા બનાવટી અધિકારીઓની વાતમાં આવી જતા હોય છે? આવા કિસ્સોમાં થતો વધારો ચિંતાજનક છે.   

                



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.