કચ્છથી સામે આવ્યો કોંગો ફિવરનો કેસ! 51 વર્ષીય દાદાનું થયું મોત, આવા લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન!


  • Published By :
  • Published Date : 2023-07-08 14:03:11

એક સમય હતો જ્યારે ટીવી પર એક જ સમાચાર ચાલતા હતા. જે હતા કોરોના, સ્વાઈનફ્લુ અને કોંગો ફિવર,ત્રણેય રોગ એક સમયે જ ફાટી નીકળ્યા હતા. ફરીવાર એમાંથી એક રોગ એટલે કે કોંગો ફિવરના સમાચાર સામે આવ્યા છે. કચ્છ જિલ્લાના અંજારના લાખાપર ગામના 51 વર્ષના દાદાનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મોત બાદ અરજણચાડ નામના દાદાના 13 જેટલા પરિવારજનોના ભુજની જીકે જનરલ હોસ્પિટલ સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. 


કોંગો ફ્વિર અંગે કરાઈ ચર્ચા!

સેમ્પલ લઇ એઇમ્સની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા પણ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. દાદાના કેસની વાત કરીએ તો તેમણે સૌથી પહેલા અંજારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી હતી પણ મેળે ન આવતા 26 જૂને અમદાવાદમાં સારવાર લીધી હતી. દાદાના મોતની વાત કરીએ તો બ્લડપ્રેશર વધી જવાના કારણે તેમનું મોત થયું હતું. વાતની જાણ થતાં અમદાવાદના પ્રોફેસરે ભુજમાં બેઠક યોજી હતી અને કચ્છમાં કોંગો ફિવર મામલે માહિતી આપી હતી. 


1. કોંગો ફીવર શું છે? તેના લક્ષણ ક્યારે દેખાય છે?


આ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે. જો યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો 30% દર્દીઓના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે.



2. કોંગો ફીવર ક્યાંથી આવ્યો?

આ બીમારીનો પ્રથમ કેસ 1944માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી રહ્યો છે.


3. કયા લક્ષણ દેખાય તો અલર્ટ થઇ જવું?


આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે. કેટલાક દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે. સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે. મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.


4. તેની સારવાર શું છે?

WHOના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવા પર દર્દીઓને એન્ટિવાઈરલ ડ્રગ આપવામાં આવે છે. તેની સારવાર ઓરલ અને ઇન્ટ્રોવેનસ એમ બંને રીતે કરી શકાય છે. તેના 30 ટકા દર્દીઓના મૃત્યુ બીમારીના બીજા અઠવાડિયે થાય છે. દર્દી જો સ્વસ્થ થઇ રહ્યો હોય તો તેની અસર 9 અને 10મા દિવસે દેખાવા લાગે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.