કચ્છથી સામે આવ્યો કોંગો ફિવરનો કેસ! 51 વર્ષીય દાદાનું થયું મોત, આવા લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન!


  • Published By :
  • Published Date : 2023-07-08 14:03:11

એક સમય હતો જ્યારે ટીવી પર એક જ સમાચાર ચાલતા હતા. જે હતા કોરોના, સ્વાઈનફ્લુ અને કોંગો ફિવર,ત્રણેય રોગ એક સમયે જ ફાટી નીકળ્યા હતા. ફરીવાર એમાંથી એક રોગ એટલે કે કોંગો ફિવરના સમાચાર સામે આવ્યા છે. કચ્છ જિલ્લાના અંજારના લાખાપર ગામના 51 વર્ષના દાદાનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મોત બાદ અરજણચાડ નામના દાદાના 13 જેટલા પરિવારજનોના ભુજની જીકે જનરલ હોસ્પિટલ સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. 


કોંગો ફ્વિર અંગે કરાઈ ચર્ચા!

સેમ્પલ લઇ એઇમ્સની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા પણ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. દાદાના કેસની વાત કરીએ તો તેમણે સૌથી પહેલા અંજારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી હતી પણ મેળે ન આવતા 26 જૂને અમદાવાદમાં સારવાર લીધી હતી. દાદાના મોતની વાત કરીએ તો બ્લડપ્રેશર વધી જવાના કારણે તેમનું મોત થયું હતું. વાતની જાણ થતાં અમદાવાદના પ્રોફેસરે ભુજમાં બેઠક યોજી હતી અને કચ્છમાં કોંગો ફિવર મામલે માહિતી આપી હતી. 


1. કોંગો ફીવર શું છે? તેના લક્ષણ ક્યારે દેખાય છે?


આ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે. જો યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો 30% દર્દીઓના મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે.



2. કોંગો ફીવર ક્યાંથી આવ્યો?

આ બીમારીનો પ્રથમ કેસ 1944માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી રહ્યો છે.


3. કયા લક્ષણ દેખાય તો અલર્ટ થઇ જવું?


આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે. કેટલાક દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે. સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે. મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.


4. તેની સારવાર શું છે?

WHOના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવા પર દર્દીઓને એન્ટિવાઈરલ ડ્રગ આપવામાં આવે છે. તેની સારવાર ઓરલ અને ઇન્ટ્રોવેનસ એમ બંને રીતે કરી શકાય છે. તેના 30 ટકા દર્દીઓના મૃત્યુ બીમારીના બીજા અઠવાડિયે થાય છે. દર્દી જો સ્વસ્થ થઇ રહ્યો હોય તો તેની અસર 9 અને 10મા દિવસે દેખાવા લાગે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.