Palanpur Bridge દુર્ઘટના મામલે આટલા લોકો વિરૂદ્ધ માનવવધનો કેસ દાખલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-25 13:49:39

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જે ઘટનાની ચર્ચા થાય છે તે છે પાલનપુર બ્રિજ દુર્ઘટના જેમાં બે લોકોના મોત થયા છે. નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં બ્રિજ તૂટી પડવાની ઘટના કંઈ નવી નથી. અનેક વખત અનેક બ્રિજો ધરાશાયી થયા છે જેમાં લોકોના મોત થયા છે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ લોકોમાં આ ઘટના અંગે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે 11 લોકો સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કંપનીના 7 ડિરેક્ટર તેમજ 4 એન્જિનિયર સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 



11 લોકો વિરૂદ્ધ માનવવધનો ગુન્હો નોંધાયો 

ગુજરાતમાં એક તરફ નવા-નવા બ્રિજોનું નિર્માણ થાય છે તો બીજી તરફ અનેક બ્રિજો બિલ્ડીંગો ધરાશાયી થાય છે. અનેક ઈમારતો સાથે દુર્ઘટના સર્જાતી હોય છે. એ દુર્ઘટનાઓ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે બે દિવસ પહેલા પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. બ્રિજમાંથી અનેક સ્લેબ તૂટી પડ્યા અને બે લોકોના મોત થઈ ગયા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે 11 લોકો સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

One week of Bhupendra Patel as Gujarat CM: Govt hits ground running to woo  voters | Gandhinagar News - The Indian Express

મુખ્યમંત્રી પોતે રાખી રહ્યા છે આ કેસ પર નજર!

કંપનીના 7 ડિરેક્ટર તેમજ 4 એન્જિનિયર સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં જવાબદાર લોકોને નહીં છોડાય તેવી વાત સામે આવી છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અનેક વખત આવી બાબતોમાં નાની માછલીઓ ફસાઈ જતી હોય છે અને મોટી માછલીઓ છૂટી જતી હોય છે અર્થાત નાના માણસો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ પૂર્ણ થઈ જાય પરંતુ જે મોટા લોકો આમાં જવાબદાર હોય છે તે અનેક વખત બચી જતા હોય છે એવા અનેક ઉદાહરણો આપણી સામે છે. 



એવા ઉદાહરણ સ્થાપિત કરવા પડશે જેને લઈ લોકોમાં ડર બેસે 

જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ છે. કડક કાર્યવાહી કરી ઉદાહરણ રજૂ કરવામાં આવે કે ખોટુ કામ કરવાવાળાને છોડવામાં નહીં આવે. અનેક વખત બ્રિજ દુર્ઘટના સર્જાય છે તે માટે ભ્રષ્ટાચાર જવાબદાર છે તેવી વાતો અનેક લોકો તેમજ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજના નિર્માણ વખતે વાપરવામાં આવતો સામાન હલકી ગુણવત્તાનો હોય છે જેને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાય છે ત્યારે તપાસ કમિટી રચવામાં આવે છે. રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. નક્કર કાર્યવાહી કરાવી જોઈએ જેનાથી ડર બેસે તેવી લોકોની માગ છે.   



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."