Palanpur Bridge દુર્ઘટના મામલે આટલા લોકો વિરૂદ્ધ માનવવધનો કેસ દાખલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-25 13:49:39

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જે ઘટનાની ચર્ચા થાય છે તે છે પાલનપુર બ્રિજ દુર્ઘટના જેમાં બે લોકોના મોત થયા છે. નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં બ્રિજ તૂટી પડવાની ઘટના કંઈ નવી નથી. અનેક વખત અનેક બ્રિજો ધરાશાયી થયા છે જેમાં લોકોના મોત થયા છે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ લોકોમાં આ ઘટના અંગે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે 11 લોકો સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કંપનીના 7 ડિરેક્ટર તેમજ 4 એન્જિનિયર સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 



11 લોકો વિરૂદ્ધ માનવવધનો ગુન્હો નોંધાયો 

ગુજરાતમાં એક તરફ નવા-નવા બ્રિજોનું નિર્માણ થાય છે તો બીજી તરફ અનેક બ્રિજો બિલ્ડીંગો ધરાશાયી થાય છે. અનેક ઈમારતો સાથે દુર્ઘટના સર્જાતી હોય છે. એ દુર્ઘટનાઓ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે બે દિવસ પહેલા પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. બ્રિજમાંથી અનેક સ્લેબ તૂટી પડ્યા અને બે લોકોના મોત થઈ ગયા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે 11 લોકો સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

One week of Bhupendra Patel as Gujarat CM: Govt hits ground running to woo  voters | Gandhinagar News - The Indian Express

મુખ્યમંત્રી પોતે રાખી રહ્યા છે આ કેસ પર નજર!

કંપનીના 7 ડિરેક્ટર તેમજ 4 એન્જિનિયર સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં જવાબદાર લોકોને નહીં છોડાય તેવી વાત સામે આવી છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અનેક વખત આવી બાબતોમાં નાની માછલીઓ ફસાઈ જતી હોય છે અને મોટી માછલીઓ છૂટી જતી હોય છે અર્થાત નાના માણસો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ પૂર્ણ થઈ જાય પરંતુ જે મોટા લોકો આમાં જવાબદાર હોય છે તે અનેક વખત બચી જતા હોય છે એવા અનેક ઉદાહરણો આપણી સામે છે. 



એવા ઉદાહરણ સ્થાપિત કરવા પડશે જેને લઈ લોકોમાં ડર બેસે 

જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ છે. કડક કાર્યવાહી કરી ઉદાહરણ રજૂ કરવામાં આવે કે ખોટુ કામ કરવાવાળાને છોડવામાં નહીં આવે. અનેક વખત બ્રિજ દુર્ઘટના સર્જાય છે તે માટે ભ્રષ્ટાચાર જવાબદાર છે તેવી વાતો અનેક લોકો તેમજ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજના નિર્માણ વખતે વાપરવામાં આવતો સામાન હલકી ગુણવત્તાનો હોય છે જેને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાય છે ત્યારે તપાસ કમિટી રચવામાં આવે છે. રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. નક્કર કાર્યવાહી કરાવી જોઈએ જેનાથી ડર બેસે તેવી લોકોની માગ છે.   



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..