Banaskathaથી શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો 9 વર્ષના બાળકને ભયંકર માર માર્યો!


  • Published By :
  • Published Date : 2024-03-01 16:22:36

એક શિક્ષક જેની જોડે બાળક પોતાના પરિવાર કરતાં પણ વધુ સમય રહે છે. શિક્ષકની એ ફરજ છે કે એ બાળકને એના માતા પિતા જેટલો જ પ્રેમ આપે અને સંભાળ રાખે. પણ અફસોસ આજકાલ શિક્ષકો હેવાન બનતા જાય છે. ગઈકાલે મહીસાગરથી એક સ્ટોરી આવી પછી દાંતાથી સ્ટોરી આવી એક શિક્ષકે ધોરણ 3 મા ભણતા 9 વર્ષનાં બાળકને બહરેમીથી માર્યું. મહીસાગરથી તો આવા સમાચાર સામે આવ્યા પરંતુ બનાસકાંઠાથી પણ આવા વીડિયો સામે આવ્યા છે. 

9 વર્ષના બાળક સાથે શાળામાં કરાયું આવું વર્તન!

બનાસકાંઠાના દાંતથી સમાચાર આવ્યા કે હડાદ પેનીયલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બાળકને ઢોર માર મારવામા આવ્યો છે. 9 વર્ષના બાળકને જે ત્રીજા ધોરણમાં ભણતા બાળકને માર મારવામાં આવ્યો છે તેવો વીડિયો સામે આવ્યો છે. કઈ વાત પર પ્રિન્સિપલે માર્યું તો કારણ માત્ર એટલું કે હોમવર્ક કરતાં કરતાં એ બાળકથી કંઈક મેસેજ થઈ ગયો હતો. પછી પિતાએ માફી પણ માંગી હતી છતાંય સવારે બાળક સ્કૂલમાં આવ્યો ત્યારે પ્રિન્સિપાલે દાઝ કાઢી હતી. બાળકને એટલો માર્યો કે શરીર પર ગંભીર ઈજા થઈ છે. એ જ્યારે ઘરે ગયો ત્યારે રડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને વાલીએ શિક્ષકોને સવાલ કર્યો તો એ લોકોએ કંઈ જવાબ ના આપ્યો. તો માતા પિતાએ સ્કૂલ અને શિક્ષક સામે એફઆઈઆર પણ કરી છે.  


વિદ્યાર્થીને પ્રિન્સીપલે માર્યો ઢોર માર!

શિક્ષકોનું બગડતું માનસિક સ્વાસ્થ્ય, એમના ખરાબ સ્વાસ્થ્યના કારણે બાળકો ભોગ બની જાય છે. કેમ કે આ જમાનામાં કોઈક અસ્થિર માણસ જ બાળકોને આ રીતે મારે. બાકી નાના બાળકોને મારવાનો જીવ કઈ રીતે ચાલે? આવી જ ઘટના મહીસાગરથી કાલે સામે આવી હતી. જેમાં સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને પીવીસી પાઈપથી બહેરહેમીથી માર માર્યો હતો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. એટલે કેટલી ગંભીર આ બાબત છે કે બાળકોને શાળાના શિક્ષક આ રીતે મારે સંતરામપુરમાં વિદ્યાર્થી સાથે શું થયું?  


બાળકના કોમળ મનમાં પડતી હોય છે આવી ઘટનાની ગંભીર અસર! 

આવા કિસ્સાઓ સામે આવ્યા પછી એક સવાલ થાય કે આવા ફૂલ જેવા બાળકોના માનસ પર આની કેવી અસર પડતી હશે? આ બાળકો આ માર અને આ ઈજાઓના ઘાવ જીવનભર પોતાની સાથે લઈને ફરશે! તમારું આવી ઘટનાઓ માટે શું માનવું છે અમને કમેંટમાં જણાવો!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.