Banaskathaથી શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો 9 વર્ષના બાળકને ભયંકર માર માર્યો!


  • Published By :
  • Published Date : 2024-03-01 16:22:36

એક શિક્ષક જેની જોડે બાળક પોતાના પરિવાર કરતાં પણ વધુ સમય રહે છે. શિક્ષકની એ ફરજ છે કે એ બાળકને એના માતા પિતા જેટલો જ પ્રેમ આપે અને સંભાળ રાખે. પણ અફસોસ આજકાલ શિક્ષકો હેવાન બનતા જાય છે. ગઈકાલે મહીસાગરથી એક સ્ટોરી આવી પછી દાંતાથી સ્ટોરી આવી એક શિક્ષકે ધોરણ 3 મા ભણતા 9 વર્ષનાં બાળકને બહરેમીથી માર્યું. મહીસાગરથી તો આવા સમાચાર સામે આવ્યા પરંતુ બનાસકાંઠાથી પણ આવા વીડિયો સામે આવ્યા છે. 

9 વર્ષના બાળક સાથે શાળામાં કરાયું આવું વર્તન!

બનાસકાંઠાના દાંતથી સમાચાર આવ્યા કે હડાદ પેનીયલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બાળકને ઢોર માર મારવામા આવ્યો છે. 9 વર્ષના બાળકને જે ત્રીજા ધોરણમાં ભણતા બાળકને માર મારવામાં આવ્યો છે તેવો વીડિયો સામે આવ્યો છે. કઈ વાત પર પ્રિન્સિપલે માર્યું તો કારણ માત્ર એટલું કે હોમવર્ક કરતાં કરતાં એ બાળકથી કંઈક મેસેજ થઈ ગયો હતો. પછી પિતાએ માફી પણ માંગી હતી છતાંય સવારે બાળક સ્કૂલમાં આવ્યો ત્યારે પ્રિન્સિપાલે દાઝ કાઢી હતી. બાળકને એટલો માર્યો કે શરીર પર ગંભીર ઈજા થઈ છે. એ જ્યારે ઘરે ગયો ત્યારે રડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને વાલીએ શિક્ષકોને સવાલ કર્યો તો એ લોકોએ કંઈ જવાબ ના આપ્યો. તો માતા પિતાએ સ્કૂલ અને શિક્ષક સામે એફઆઈઆર પણ કરી છે.  


વિદ્યાર્થીને પ્રિન્સીપલે માર્યો ઢોર માર!

શિક્ષકોનું બગડતું માનસિક સ્વાસ્થ્ય, એમના ખરાબ સ્વાસ્થ્યના કારણે બાળકો ભોગ બની જાય છે. કેમ કે આ જમાનામાં કોઈક અસ્થિર માણસ જ બાળકોને આ રીતે મારે. બાકી નાના બાળકોને મારવાનો જીવ કઈ રીતે ચાલે? આવી જ ઘટના મહીસાગરથી કાલે સામે આવી હતી. જેમાં સંતરામપુર તાલુકાના મોવાસા પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીને પીવીસી પાઈપથી બહેરહેમીથી માર માર્યો હતો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. એટલે કેટલી ગંભીર આ બાબત છે કે બાળકોને શાળાના શિક્ષક આ રીતે મારે સંતરામપુરમાં વિદ્યાર્થી સાથે શું થયું?  


બાળકના કોમળ મનમાં પડતી હોય છે આવી ઘટનાની ગંભીર અસર! 

આવા કિસ્સાઓ સામે આવ્યા પછી એક સવાલ થાય કે આવા ફૂલ જેવા બાળકોના માનસ પર આની કેવી અસર પડતી હશે? આ બાળકો આ માર અને આ ઈજાઓના ઘાવ જીવનભર પોતાની સાથે લઈને ફરશે! તમારું આવી ઘટનાઓ માટે શું માનવું છે અમને કમેંટમાં જણાવો!



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે