બનાસકાંઠાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગતા થયું એક બાળકનું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-03-15 17:35:40

આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. સારવાર માટે દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ જો હોસ્પિટલમાં જ આગ લાગે તો? બનાસકાંઠા જિલ્લાની કાંકરેજમાં આવેલી એક હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 4 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. નાના બાળકનું મોત થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.     


ICU વોર્ડમાં આગ લાગતા થયું 4 દિવસના બાળકનું મોત 

બનાસકાંઠા જિલ્લાની કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ બાળકો એડમીટ હતા અને તેમાંથી એક બાળકનું મોત થયું છે,એ મોત વધારે કરુણ એટલાં માટે બન્યું છે કેમ કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર માત્ર 4 દિવસની હતી, જો કે બાકીના 2 બાળકોનો જીવ બચી જતા તેમને સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, અને ત્યાં સરકારી ડોક્ટર હાજર ન હોવાથી, લોકો ડોક્ટરને તેમના ઘરે બોલાવા ગયા હતા, જો કે ત્યાં ડોક્ટરે લોકો સાથે સારુ વર્તન નહોતુ કર્યુ અને લોકો સાથે આડકતરી રીતે એટલે કે એટીટ્યુડથી વાત કરી હતી.


નાના બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ 

આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભરાયો હતો અને સરકારી હોસ્પિટલ પાસે લોકો ભેગા થયા હતા અને સરકારી ડોક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો, લોકોએ કહ્યું હતું કે સરકારી ડોક્ટરની આવી મનમાની નહીં જ ચાલે..બનાસકાંઠાના લોકોએ સરકારી હોસ્પિટલ બહાર ડોક્ટરને હટાવવો તેને લઈ વિરોધપ્રદર્શન કર્યુ હતું. જો કે અંતે પોલીસ અને સ્થાનિક આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. 


આ ઘટનાને લઈ પોલીસે તપાસ આરંભી 

પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે, પણ હજી સુધી હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, માત્ર એવું માનવામાં આવી રહ્યું છે કે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. અંતે આગ કેવી રીતે લાગી એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે એ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે એક બાળકનો જીવ ગયો છે.


બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ ભોગવવું પડે છે! 

છેલ્લે સુરતની તક્ષશીલા હોય, અમદાવાદની શ્રેય હોસ્પિટલ કે પછી બનાસકાંઠાના કાંકરેજના શિહોરની કોઈ ખાનગી હોસ્પિટલ…આગ લાગે એ પાછળની બેદરકારી દર વખતે કેટલાંય નિર્દોષોનો જીવ લે છે, જેનું પરિણામ તેમના પરિવારજનોને ભોગવવું પડતું હોય છે, પણ તેમ છતાં લોકો જાગતા નથી.     

       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.