બનાસકાંઠાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગતા થયું એક બાળકનું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-03-15 17:35:40

આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. સારવાર માટે દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ જો હોસ્પિટલમાં જ આગ લાગે તો? બનાસકાંઠા જિલ્લાની કાંકરેજમાં આવેલી એક હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 4 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. નાના બાળકનું મોત થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.     


ICU વોર્ડમાં આગ લાગતા થયું 4 દિવસના બાળકનું મોત 

બનાસકાંઠા જિલ્લાની કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ બાળકો એડમીટ હતા અને તેમાંથી એક બાળકનું મોત થયું છે,એ મોત વધારે કરુણ એટલાં માટે બન્યું છે કેમ કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર માત્ર 4 દિવસની હતી, જો કે બાકીના 2 બાળકોનો જીવ બચી જતા તેમને સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, અને ત્યાં સરકારી ડોક્ટર હાજર ન હોવાથી, લોકો ડોક્ટરને તેમના ઘરે બોલાવા ગયા હતા, જો કે ત્યાં ડોક્ટરે લોકો સાથે સારુ વર્તન નહોતુ કર્યુ અને લોકો સાથે આડકતરી રીતે એટલે કે એટીટ્યુડથી વાત કરી હતી.


નાના બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ 

આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભરાયો હતો અને સરકારી હોસ્પિટલ પાસે લોકો ભેગા થયા હતા અને સરકારી ડોક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો, લોકોએ કહ્યું હતું કે સરકારી ડોક્ટરની આવી મનમાની નહીં જ ચાલે..બનાસકાંઠાના લોકોએ સરકારી હોસ્પિટલ બહાર ડોક્ટરને હટાવવો તેને લઈ વિરોધપ્રદર્શન કર્યુ હતું. જો કે અંતે પોલીસ અને સ્થાનિક આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. 


આ ઘટનાને લઈ પોલીસે તપાસ આરંભી 

પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે, પણ હજી સુધી હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, માત્ર એવું માનવામાં આવી રહ્યું છે કે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. અંતે આગ કેવી રીતે લાગી એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે એ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે એક બાળકનો જીવ ગયો છે.


બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ ભોગવવું પડે છે! 

છેલ્લે સુરતની તક્ષશીલા હોય, અમદાવાદની શ્રેય હોસ્પિટલ કે પછી બનાસકાંઠાના કાંકરેજના શિહોરની કોઈ ખાનગી હોસ્પિટલ…આગ લાગે એ પાછળની બેદરકારી દર વખતે કેટલાંય નિર્દોષોનો જીવ લે છે, જેનું પરિણામ તેમના પરિવારજનોને ભોગવવું પડતું હોય છે, પણ તેમ છતાં લોકો જાગતા નથી.     

       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.