બનાસકાંઠાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગતા થયું એક બાળકનું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-03-15 17:35:40

આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આગને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. સારવાર માટે દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ જો હોસ્પિટલમાં જ આગ લાગે તો? બનાસકાંઠા જિલ્લાની કાંકરેજમાં આવેલી એક હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં 4 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. નાના બાળકનું મોત થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.     


ICU વોર્ડમાં આગ લાગતા થયું 4 દિવસના બાળકનું મોત 

બનાસકાંઠા જિલ્લાની કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ બાળકો એડમીટ હતા અને તેમાંથી એક બાળકનું મોત થયું છે,એ મોત વધારે કરુણ એટલાં માટે બન્યું છે કેમ કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર માત્ર 4 દિવસની હતી, જો કે બાકીના 2 બાળકોનો જીવ બચી જતા તેમને સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, અને ત્યાં સરકારી ડોક્ટર હાજર ન હોવાથી, લોકો ડોક્ટરને તેમના ઘરે બોલાવા ગયા હતા, જો કે ત્યાં ડોક્ટરે લોકો સાથે સારુ વર્તન નહોતુ કર્યુ અને લોકો સાથે આડકતરી રીતે એટલે કે એટીટ્યુડથી વાત કરી હતી.


નાના બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ 

આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભરાયો હતો અને સરકારી હોસ્પિટલ પાસે લોકો ભેગા થયા હતા અને સરકારી ડોક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો, લોકોએ કહ્યું હતું કે સરકારી ડોક્ટરની આવી મનમાની નહીં જ ચાલે..બનાસકાંઠાના લોકોએ સરકારી હોસ્પિટલ બહાર ડોક્ટરને હટાવવો તેને લઈ વિરોધપ્રદર્શન કર્યુ હતું. જો કે અંતે પોલીસ અને સ્થાનિક આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. 


આ ઘટનાને લઈ પોલીસે તપાસ આરંભી 

પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે, પણ હજી સુધી હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, માત્ર એવું માનવામાં આવી રહ્યું છે કે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. અંતે આગ કેવી રીતે લાગી એ મુદ્દો નથી, મુદ્દો એ છે કે એ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે એક બાળકનો જીવ ગયો છે.


બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ ભોગવવું પડે છે! 

છેલ્લે સુરતની તક્ષશીલા હોય, અમદાવાદની શ્રેય હોસ્પિટલ કે પછી બનાસકાંઠાના કાંકરેજના શિહોરની કોઈ ખાનગી હોસ્પિટલ…આગ લાગે એ પાછળની બેદરકારી દર વખતે કેટલાંય નિર્દોષોનો જીવ લે છે, જેનું પરિણામ તેમના પરિવારજનોને ભોગવવું પડતું હોય છે, પણ તેમ છતાં લોકો જાગતા નથી.     

       




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.