Vadodaraની એક શાળામાં એકદમથી વર્ગખંડ બાળકો સમેત પડી ગયો! જુઓ સીસીટીવી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-20 14:46:39

બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે માતા પિતા માનતા હોય છે કે બાળક સુરક્ષિત જગ્યા પર છે માટે તેમને બાળકની સુરક્ષાનું ટેન્શન નથી હોતું.. પરંતુ વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે બે મિનીટ આપના ધબકારાને બંધ કરી દે તેવા છે.. વડોદરાની એક શાળામાં ક્લાસરૂમ અચાનક તૂટી ગયો..ધમ્મ્મ કરીને જે ક્લાસની દીવાલનો એક ભાગ પડ્યો તેમાં વિદ્યાર્થીઓ પણ બેઠા હતા.. અનેક વિદ્યાર્થીઓ પણ ક્લાસરૂમ પડી જવાને કારણે પડી ગયા.. 

બાળકો ક્લાસ રૂમમાં હતા અને ક્લાસની દિવાલ પડી ગઈ!

આપણે અનેક વખત એવા દ્રશ્યો જોયા છે જેમાં પુલ ધરાશાયી થતો હોય, દીવાલ ધરાશાયી થતી હોય વગેરે વગેરે... પરંતુ વડોદરાથી જે ઘટના સામે આવી છે તે ચોંકાવનારી છે.. ઘટના વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલની છે જેમાં પહેલા માળનો ક્લાસ પડી ગયો. એ રૂમ પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પણ શાળાના ડિરેક્ટરે દાવો કર્યો હતો કે ઘટના સમયે વર્ગ ખાલી હતો બાદમાં સીસીટીવી સામે આવતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો છે. બાળકો ક્લાસ રૂમમાં બેઠા છે. ત્યારે અચાનક જ વર્ગખંડની દિવાલનો એક ભાગ ધરાશાયી થાય છે. સ્કૂલ મેનેજમેન્ટે ઘટના બાદ જણાવ્યું હતું કે જે ક્લાસમાં દીવાલ પડી હતી ત્યાં કોઈ વિદ્યાર્થી હાજર નહોતો. પરંતુ વિડીયોમાં સત્ય સામે આવ્યું છે. સત્ય એ છે કે વર્ગખંડ વિદ્યાર્થીઓથી ભરેલો હતો, જેમાંથી કેટલાક દીવાલ સાથે પડી ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. માત્ર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી. આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.



સ્કૂલ વિરૂદ્ધ શું પગલા લેવાશે?

આમ તો વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આવા દ્રશ્યો સામે આવે છે આ તો ના કરેને નારાયણ કોઈ બાળકને કંઈક થઇ ગયું હોત તો એની જવાબદારી કોણ લેત? ખેર આ સ્કૂલ તંત્ર સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."