Vadodaraની એક શાળામાં એકદમથી વર્ગખંડ બાળકો સમેત પડી ગયો! જુઓ સીસીટીવી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-20 14:46:39

બાળક જ્યારે શાળામાં જાય છે ત્યારે માતા પિતા માનતા હોય છે કે બાળક સુરક્ષિત જગ્યા પર છે માટે તેમને બાળકની સુરક્ષાનું ટેન્શન નથી હોતું.. પરંતુ વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે બે મિનીટ આપના ધબકારાને બંધ કરી દે તેવા છે.. વડોદરાની એક શાળામાં ક્લાસરૂમ અચાનક તૂટી ગયો..ધમ્મ્મ કરીને જે ક્લાસની દીવાલનો એક ભાગ પડ્યો તેમાં વિદ્યાર્થીઓ પણ બેઠા હતા.. અનેક વિદ્યાર્થીઓ પણ ક્લાસરૂમ પડી જવાને કારણે પડી ગયા.. 

બાળકો ક્લાસ રૂમમાં હતા અને ક્લાસની દિવાલ પડી ગઈ!

આપણે અનેક વખત એવા દ્રશ્યો જોયા છે જેમાં પુલ ધરાશાયી થતો હોય, દીવાલ ધરાશાયી થતી હોય વગેરે વગેરે... પરંતુ વડોદરાથી જે ઘટના સામે આવી છે તે ચોંકાવનારી છે.. ઘટના વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલની છે જેમાં પહેલા માળનો ક્લાસ પડી ગયો. એ રૂમ પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પણ શાળાના ડિરેક્ટરે દાવો કર્યો હતો કે ઘટના સમયે વર્ગ ખાલી હતો બાદમાં સીસીટીવી સામે આવતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો છે. બાળકો ક્લાસ રૂમમાં બેઠા છે. ત્યારે અચાનક જ વર્ગખંડની દિવાલનો એક ભાગ ધરાશાયી થાય છે. સ્કૂલ મેનેજમેન્ટે ઘટના બાદ જણાવ્યું હતું કે જે ક્લાસમાં દીવાલ પડી હતી ત્યાં કોઈ વિદ્યાર્થી હાજર નહોતો. પરંતુ વિડીયોમાં સત્ય સામે આવ્યું છે. સત્ય એ છે કે વર્ગખંડ વિદ્યાર્થીઓથી ભરેલો હતો, જેમાંથી કેટલાક દીવાલ સાથે પડી ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. માત્ર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી. આ આખી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.



સ્કૂલ વિરૂદ્ધ શું પગલા લેવાશે?

આમ તો વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે છે. પરંતુ સ્કૂલોના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી. જેને પરિણામે આવા દ્રશ્યો સામે આવે છે આ તો ના કરેને નારાયણ કોઈ બાળકને કંઈક થઇ ગયું હોત તો એની જવાબદારી કોણ લેત? ખેર આ સ્કૂલ તંત્ર સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.