અમદાવાદમાં સફાઈ કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:00:17

અમદાવાદના મણિનગર વૉર્ડના દિપક સોલંકી નામના 42 વર્ષીય સફાઈ કર્મચારીએ આજે સાંજે ટ્રેન નીચે આવીને મોતને વ્હાલું કર્યું છે. યુવકે સાંજના સમય પર મણિનગર રેલવે સ્ટેશન પર આવતી નવજીવન એક્સપ્રેસનની નીચે કૂદીને જીવ ટૂંકાવ્યો હતો. 


અપરણીત યુવક ચાલતી ટ્રેન નીચે સૂઈ ગયો

આજના દિવસે મણિનગર રેલવેસ્ટેશનના ફાટક પર નવજીવન એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે દરમિયાન 42 વર્ષના દિપક સોલંકી નામના યુવકે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ફાટક બંધ હતું તે દરમિયાન યુવક પાટા પર આવીને સૂઈ જાય ગયો હતો અને તેના પરથી ટ્રેન પસાર થતા યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. ફાટક પર હાજર વ્યક્તિએ બહુ બુમો પાડી પરંતુ યુવકે ટ્રેન નીચે આવીને મોતને વહાલું કર્યું હતું. 

કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની ચર્ચા 

મૃતક દિપક સોલંકી ઈસનપુરની જોગેશ્વર સોસાયટીનો રહીશ છે અને પોતે અપરણિત છે. દુર્ઘટના બાદ લોકોએ અને પોલીસે તપાસ કરતા યુવકે કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની જાણ થઈ હતી. યુવક પાસેથી વીએસમાં અને મણિનગરની હોસ્પિટલમાં સારવાર થઈ રહી હોય તેવા રિપોર્ટ પણ મળી આવ્યા હતા. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.