અમદાવાદમાં સફાઈ કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:00:17

અમદાવાદના મણિનગર વૉર્ડના દિપક સોલંકી નામના 42 વર્ષીય સફાઈ કર્મચારીએ આજે સાંજે ટ્રેન નીચે આવીને મોતને વ્હાલું કર્યું છે. યુવકે સાંજના સમય પર મણિનગર રેલવે સ્ટેશન પર આવતી નવજીવન એક્સપ્રેસનની નીચે કૂદીને જીવ ટૂંકાવ્યો હતો. 


અપરણીત યુવક ચાલતી ટ્રેન નીચે સૂઈ ગયો

આજના દિવસે મણિનગર રેલવેસ્ટેશનના ફાટક પર નવજીવન એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે દરમિયાન 42 વર્ષના દિપક સોલંકી નામના યુવકે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ફાટક બંધ હતું તે દરમિયાન યુવક પાટા પર આવીને સૂઈ જાય ગયો હતો અને તેના પરથી ટ્રેન પસાર થતા યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. ફાટક પર હાજર વ્યક્તિએ બહુ બુમો પાડી પરંતુ યુવકે ટ્રેન નીચે આવીને મોતને વહાલું કર્યું હતું. 

કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની ચર્ચા 

મૃતક દિપક સોલંકી ઈસનપુરની જોગેશ્વર સોસાયટીનો રહીશ છે અને પોતે અપરણિત છે. દુર્ઘટના બાદ લોકોએ અને પોલીસે તપાસ કરતા યુવકે કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની જાણ થઈ હતી. યુવક પાસેથી વીએસમાં અને મણિનગરની હોસ્પિટલમાં સારવાર થઈ રહી હોય તેવા રિપોર્ટ પણ મળી આવ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.