અમદાવાદમાં સફાઈ કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:00:17

અમદાવાદના મણિનગર વૉર્ડના દિપક સોલંકી નામના 42 વર્ષીય સફાઈ કર્મચારીએ આજે સાંજે ટ્રેન નીચે આવીને મોતને વ્હાલું કર્યું છે. યુવકે સાંજના સમય પર મણિનગર રેલવે સ્ટેશન પર આવતી નવજીવન એક્સપ્રેસનની નીચે કૂદીને જીવ ટૂંકાવ્યો હતો. 


અપરણીત યુવક ચાલતી ટ્રેન નીચે સૂઈ ગયો

આજના દિવસે મણિનગર રેલવેસ્ટેશનના ફાટક પર નવજીવન એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે દરમિયાન 42 વર્ષના દિપક સોલંકી નામના યુવકે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ફાટક બંધ હતું તે દરમિયાન યુવક પાટા પર આવીને સૂઈ જાય ગયો હતો અને તેના પરથી ટ્રેન પસાર થતા યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. ફાટક પર હાજર વ્યક્તિએ બહુ બુમો પાડી પરંતુ યુવકે ટ્રેન નીચે આવીને મોતને વહાલું કર્યું હતું. 

કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની ચર્ચા 

મૃતક દિપક સોલંકી ઈસનપુરની જોગેશ્વર સોસાયટીનો રહીશ છે અને પોતે અપરણિત છે. દુર્ઘટના બાદ લોકોએ અને પોલીસે તપાસ કરતા યુવકે કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની જાણ થઈ હતી. યુવક પાસેથી વીએસમાં અને મણિનગરની હોસ્પિટલમાં સારવાર થઈ રહી હોય તેવા રિપોર્ટ પણ મળી આવ્યા હતા. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .