અમદાવાદમાં સફાઈ કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:00:17

અમદાવાદના મણિનગર વૉર્ડના દિપક સોલંકી નામના 42 વર્ષીય સફાઈ કર્મચારીએ આજે સાંજે ટ્રેન નીચે આવીને મોતને વ્હાલું કર્યું છે. યુવકે સાંજના સમય પર મણિનગર રેલવે સ્ટેશન પર આવતી નવજીવન એક્સપ્રેસનની નીચે કૂદીને જીવ ટૂંકાવ્યો હતો. 


અપરણીત યુવક ચાલતી ટ્રેન નીચે સૂઈ ગયો

આજના દિવસે મણિનગર રેલવેસ્ટેશનના ફાટક પર નવજીવન એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે દરમિયાન 42 વર્ષના દિપક સોલંકી નામના યુવકે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ફાટક બંધ હતું તે દરમિયાન યુવક પાટા પર આવીને સૂઈ જાય ગયો હતો અને તેના પરથી ટ્રેન પસાર થતા યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. ફાટક પર હાજર વ્યક્તિએ બહુ બુમો પાડી પરંતુ યુવકે ટ્રેન નીચે આવીને મોતને વહાલું કર્યું હતું. 

કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની ચર્ચા 

મૃતક દિપક સોલંકી ઈસનપુરની જોગેશ્વર સોસાયટીનો રહીશ છે અને પોતે અપરણિત છે. દુર્ઘટના બાદ લોકોએ અને પોલીસે તપાસ કરતા યુવકે કંટાળીને મોતને વ્હાલું કર્યું હોવાની જાણ થઈ હતી. યુવક પાસેથી વીએસમાં અને મણિનગરની હોસ્પિટલમાં સારવાર થઈ રહી હોય તેવા રિપોર્ટ પણ મળી આવ્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.