Gujarat પર ઘેરાશે મુસીબતના વાદળ! Unseasonal Rainને લઈ હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-06 18:18:29

કુદરતને પણ જાણે માણસોની અસર લાગી હોય તેવું લાગે છે. માણસોની જેમ રંગ વાતાવરણ બદલી રહ્યું છે. ક્યારેક ઠંડી તો ક્યારેક કમોસમી વરસાદ આવી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આખું ઋતુચક્ર બગડી ગયું છે ત્યારે શિયાળામાં ફરી એક વખત કમોસમી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મુસીબતનું માવઠું આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો. કડકડતી ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ હતી ત્યારે ફરી એક વખત જગતના તાત પર મુસીબતના વાદળ ઘેરાઈ રહ્યા છે. આવનાર દિવસોમાં ઠંડી નહીં પરંતુ વરસાદ આવશે તેવી આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે.

હજી 2 દિવસ કમોસમી વરસાદ, રાજકોટમાં ચોમાસા કરતા પણ ભયાનક 1 કલાકમાં સવા ઇંચ  વરસાદ - Gujarat Tak


જાન્યુઆરી શરૂ થતાં જ થયો હતો શિયાળોનો અનુભવ 

ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આશા હતી પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું. કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવું લાગતું હતું પરંતુ કમોસમી વરસાદ આવ્યો જેને કારણે ઠંડી ઓછી થઈ ગઈ. ઠંડીની આગાહી કરવાને બદલે હવામાન વિભાગને કમોસમી વરસાદની આગાહી કરવી પડી હતી. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં શિયાળાની મોસમ જામી હતી. ઠંડો પવન ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો લાગતો હતો. એવું લાગતું હતું કે આવનાર દિવસોમાં ઠંડી વધારે વધશે.

According to the forecast of the Meteorological Department, it will rain in Gujarat from January 7 Gujarat Weather: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કમોસમી વરસાદની કરી આગાહી

આગામી દિવસોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

 પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો અનેક વખત આ અંગેની આગાહી કરવામાં આવી છે પરંતુ તે તેમની આગાહી સાચી સાબિત થઈ ન હતી. ત્યારે આ વખતે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતના હવામાન અંગે પાંચ દિવસના હવામાન અંગે વાત કરીએ તો પહેલા દિવસે વાતાવરણ ડ્રાય રહેશે. જે બાદના બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે. આ બે દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાનો છે.


આ જગ્યાઓ માટે કમોસમી વરસાદની કરી છે આગાહી 

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર એટલે કે સાતમી જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દણણ, દાદરા નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, આણંદ તેમજ દાદરા નગર હવેલીમાં માવઠું 9 તારીખે આવી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ખેડૂતોને રડવાનો વારો આવશે!

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસા દરમિયાન વરસાદ જોઈએ એવો આવતો નથી પરંતુ ચોમાસાની સિઝન બાદ વરસાદ તબાહી લઈને આવે છે. પહેલા વરસાદ નથી પડતો તેને કારણે જગતના તાતને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો કોઈ વખત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. ફરી એક વખત તેમને ભોગવવાનો વારો આવવાનો છે.                                                                                           



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.