કોંગ્રેસના એક ઉમેદવારે આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-08 12:25:21

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. આ પરિણામમાં ભાજપનું કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસને બહુ ઓછી બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર EVM મશીન સાથે ચેડા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની શકે છે અર્જુન મોઢવાડિયા, ભરતસિંહના  દિલ્હીમાં ધામા, આજે થઈ શકે છે જાહેરાત | The name of Arjun Modhwadia as the  new president of ...

અનેક ઉમેદવારોની જીત જાહેર 

ગુજરાતની 182 સીટો માટે મતગણતરી કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવારોની જીત ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અસારવાથી ભાજપના ઉમેદવાર, પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઠવાડિયાની જીત થઈ છે. જ્યારે જમાલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાડાની જીત થઈ છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.