કોંગ્રેસના એક ઉમેદવારે આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-08 12:25:21

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. આ પરિણામમાં ભાજપનું કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસને બહુ ઓછી બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર EVM મશીન સાથે ચેડા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની શકે છે અર્જુન મોઢવાડિયા, ભરતસિંહના  દિલ્હીમાં ધામા, આજે થઈ શકે છે જાહેરાત | The name of Arjun Modhwadia as the  new president of ...

અનેક ઉમેદવારોની જીત જાહેર 

ગુજરાતની 182 સીટો માટે મતગણતરી કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવારોની જીત ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અસારવાથી ભાજપના ઉમેદવાર, પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઠવાડિયાની જીત થઈ છે. જ્યારે જમાલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાડાની જીત થઈ છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે