કોંગ્રેસના એક ઉમેદવારે આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-08 12:25:21

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. આ પરિણામમાં ભાજપનું કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસને બહુ ઓછી બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર EVM મશીન સાથે ચેડા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની શકે છે અર્જુન મોઢવાડિયા, ભરતસિંહના  દિલ્હીમાં ધામા, આજે થઈ શકે છે જાહેરાત | The name of Arjun Modhwadia as the  new president of ...

અનેક ઉમેદવારોની જીત જાહેર 

ગુજરાતની 182 સીટો માટે મતગણતરી કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવારોની જીત ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અસારવાથી ભાજપના ઉમેદવાર, પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઠવાડિયાની જીત થઈ છે. જ્યારે જમાલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાડાની જીત થઈ છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.