કોંગ્રેસના એક ઉમેદવારે આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-08 12:25:21

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. આ પરિણામમાં ભાજપનું કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસને બહુ ઓછી બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર EVM મશીન સાથે ચેડા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બની શકે છે અર્જુન મોઢવાડિયા, ભરતસિંહના  દિલ્હીમાં ધામા, આજે થઈ શકે છે જાહેરાત | The name of Arjun Modhwadia as the  new president of ...

અનેક ઉમેદવારોની જીત જાહેર 

ગુજરાતની 182 સીટો માટે મતગણતરી કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ઉમેદવારોની જીત ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અસારવાથી ભાજપના ઉમેદવાર, પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઠવાડિયાની જીત થઈ છે. જ્યારે જમાલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાડાની જીત થઈ છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.