રક્ષક જ ભક્ષક બને ત્યારે! Ahmedabadમાં રહેતા દંપત્તિને પોલીસનો કડવો અનુભવ, દંપત્તિ પાસેથી પડાવ્યા આટલા હજાર રૂપિયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-28 14:12:28

અનેક વખત આપણે જોયું હશે અથવા તો આપણને પોતાને અનુભવ થયો હશે કે રસ્તા પર ઉભેલા ટ્રાફિક જવાનો તોડ કરતા હોય છે. કાયદાનો ડર બતાવી વાહનચાલકો પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. અનેક વખત તો ભૂલ ન હોવા છતાંય દંડ ભરવો અથવા તો પૈસા આપો તેવી વાતો આપણે સાંભળી હશે. અનેક લોકો આવી ધમકીઓથી ગભરાઈને પૈસા આપી દેતા હોય. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. રાત્રે ડ્યુટી પર રહેલા વર્દી પહેરીને ઉભેલા જવાનોએ પરિવાર પાસેથી 2 લાખની માગણી કરી હતી પરંતુ પૈસા ન હોવાને કારણે આ તોડ 60 હજારમાં પત્યો હતો.  


સાઉથ બોપલમાં રહેતા પરિવારને પોલીસનો થયો કડવો અનુભવ 

પોલીસ દ્વારા કરવામાં આવતી દાદાગીરી અનેક વખત ચર્ચાનો વિષય બનતી હોય છે. રસ્તા પર ટ્રાફિકનું ધ્યાન રાખતા જવાનો અનેક વખત તોડ કરતા દેખાય છે. ત્યારે એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદમાં પોલીસ કર્મચારીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે અમદાવાદ પોલીસને વર્દીએ કલંકીત કરી દેશે. આખા ઘટનાની વાત કરીએ તો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ તેમના પત્ની પોતાના એક વર્ષના બાળક સાથે થાઈલેન્ડ ફરવા ગયા હતા. 25 ઓગસ્ટની રાત્રે ફરીને પાછા તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ઘરે પહોંચવા માટે તેમણે ટેક્સી કરી. ટેક્સી ઘરે પહોંચે તે પહેલા એસપી રીંગ રોડ પાસે ઓગણજ ટોલ ટેક્સ સર્કલ પાસે પોલીસે તેમની ગાડીને ઉભી રાખી અને ચેકિંગ કરવાની વાત કહી. 



પોલીસે દંપત્તિ પાસે કરી 2 લાખની માગણી 

મહત્વનું છે કે તથ્યકાંડ બાદ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં બે પોલીસ કર્મચારી ખાખી વર્દીમાં હતા અને એક વ્યક્તિ સામાન્ય કપડામાં હતો. સાદા કપડા પહેરેલા માણસે દંપતીને પૂછ્યું આટલી મોડી રાત્રે ક્યાંથી આવો છો, તમને ખબર નથી પડતી કે અત્યારે પોલીસની ડ્રાઈવ ચાલે છે. આવું કહીને તેમણે તો મિલનભાઈને પોલીસની ગાડીમાં બેસાડી દીધા અને પોલીસની વર્દી પહેરેલો માણસ ગાડીમાં બેસી ગયો અને મિલનભાઈના પત્ની પાસેથી મોબાઈલ લઈને બંધ કરી દીધો. દંપતીને એક અજાણી જગ્યાએ લઈ જઈ તેમણે ઉભા રાખ્યા અને કહ્યું કે 2 લાખ રૂપિયા આપો બાકી તમને ફસાવી દઈશું. 


60 હજારમાં પોલીસે કર્યો તોડ 

બે લાખની વાત કરવામાં આવતા દંપતી ચોંકી ઉઠી હતી. વાટાઘાટો શરૂ થઈ.મિલનભાઈે કહ્યું કે હું વધારે તો રૂપિયા નહીં આપું દસ હજાર રૂપિયા તમે રાખી લો. 10 હજારથી સંતોષ ન માન્યો અને 60 હજાર રૂપિયા આપવા દબાણ કર્યું. 60 હજાર રૂપિયાની ડીલ થઈ. 60 હજારનું નક્કી થતા પૈસા ઉપાડવા માટે પોલીસ મિલનભાઈને એસબીઆઈના એટીએમ પાસે લઈ ગઈ. 40 હજારની વ્યવસ્થા એટીએમથી થઈ ગઈ અને બાકીના 20 હજાર રૂપિયા પોલીસે ડ્રાઈવરના ખાતામાં નખાવ્યા. મિલનભાઈ જાગૃત નાગરિક હતા તો તેમણે સોલા પોલીસ મથક જઈને ફરિયાદ નોંધાવી કે મારી સાથે આવું થયું હતું. પોલીસે ફરિયાદ લઈ લીધી અને આ ગુનામાં 3 પોલીસ કર્મચારીની ઓળખ થઈ ગઈ છે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે . 


અનેક ખરાબ લોકોને કારણે પોલીસ કોમ થાય છે બદનામ

ખરેખર અવારનવાર સામે આવતા આવા કિસ્સાઓને કારણે પોલીસની છબી વધારે ખરાબ થતી જઈ રહી છે. અમુક લોકો પોલીસ જાતને બદનામ કરી નાખે છે. થોડા તોડબાજ પોલીસકર્મીઓના કારણે આખી પોલીસ કોમ બદનામ થઈ જાય છે. સમાજમાં પોલીસની નકારાત્મક છબી પણ આવા લોકોના કારણે જ બની છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ બાકી રક્ષક કરતી પોલીસ ભક્ષક બનતા વાર નહીં લાગે. આ સડો દૂર થવો અ્તિ જરૂરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.