થોડા મહિના પહેલા શરૂ કરાયેલા વડોદરાના અટલ બ્રિજ પર પડી તિરાડ! બ્રિજમાં તિરાડ દેખાતા લોકોના મનમાં ઉઠ્યા ભ્રષ્ટાચાર વિશે પ્રશ્ન!


  • Published By :
  • Published Date : 2023-04-25 16:55:43

બ્રિજના નિર્માણ માટે વપરાતા મટીરિયલ્સની ગુણવત્તાને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહે છે. એક બ્રિજની ચર્ચા જ્યારે ખતમ થઈ ન હોય ત્યારે તો બીજા બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરાનો બ્રિજ ચર્ચામાં આવ્યો છે. વડોદરા તેમજ ગુજરાતનો સૌથી લાંબો ગણાતો બ્રિજ એવા અટલ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. ચાર મહિના પહેલા શરૂ કરવામાં આવેલા બ્રિજમાં તિરાડો દેખાઈ હતી. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજમાં તિરાડો પડી છે.  


અટલ બ્રિજમાં દેખાઈ તિરાડ!

રાજ્યમાં આવેલા બ્રિજો ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે. એ પછી અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી મોરબીનો ઝુલતો બ્રિજ હોય. ત્યારે વડોદરાના અટલ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કારણ કે બ્રિજ પર તિરાડો દેખાઈ હતી. 


230 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ચાર મહિનાની અંદર થઈ ગયો બિસ્માર!

તેમજ રસ્તા પર પાથરવામાં આવેલો ડામર પણ પીગળી ગયો હતો. અનેક વખત ગરમીને કારણે રસ્તા પરના ડામર પીગળી જતા હોય છે. ગરમીમાં આવા કિસ્સા થવા સામાન્ય હોય છે પરંતુ જો રસ્તો નવો હોય તો તે થવું નવાઈની વાત છે. મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરના રોજ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે માત્ર ચાર મહિના પહેલા લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલા બ્રિજમાં તિરાડ દેખાતા લોકોના મનમાં પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાતા અટલ બ્રિજ ઉદ્ધાટનના થોડા મહિનાઓ બાદ ચર્ચામાં આવ્યો છે. બ્રિજ પર તિરાડો દેખાઈ રહી છે. રસ્તા પરનો ડામર પીગળી રહ્યો છે તેમજ ઉખડી પણ રહ્યો છે. 230 કરોડના ખર્ચે બનેલા બ્રિજની હાલત પણ શું અમદાવાદના હાટકેશ્વર બ્રિજ જેવી થશે તે એક પ્રશ્ન છે. 


બ્રિજના નિર્માણમાં થતો ભ્રષ્ટાચાર નોતરી શકે છે દુર્ઘટનાને! 

થોડા મહિના પહેલા શરૂ થયેલા બ્રિજની આવી દુર્દશા થતાં લોકો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી છે. ત્યારે બિસ્માર બ્રિજની હાલત માટે જવાબદાર કોણ? બ્રિજમાં વપરાયેલો સામાન હલકી ગુણવત્તાવાળો હોવાને કારણે રસ્તાઓ બિમાર, બિસ્માર થઈ જતાં હોય છે. ત્યારે મળતી માહિતી અનુસાર બ્રિજની તિરાડોને પૂરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ક્યાં સુધી બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળો સામાન વપરાતો રહેશે કારણ કે બ્રિજના નિર્માણમાં થયેલો ભ્રષ્ટાચાર કોઈ દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. અનેક લોકોના જીવન પર સંકટ રહેતું હોય છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.