અટલ બ્રિજ પર લાગેલા કાચમાં જોવા મળી તિરાડ, થોડા મહિના પહેલા જ બ્રિજનું થયું ઉદ્ધાટન


  • Published By :
  • Published Date : 2023-04-06 09:17:52

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજોને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજનો મામલો હજી શાંત નથી થયો ત્યારે થોડા મહિના પહેલા શરૂ કરાયેલો અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે ફૂટ બ્રિજ પર લગાવાયેલા કાચમાંથી એક કાચમાં તિરાડ દેખાઈ હતી. જેને લઈ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.  પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અધિકારીઓએ કહ્યું કે તિરાડ ગરમીને કારણે પડી છે. આમ કહી અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો.


કાચમાં તિરાડ દેખાતા બ્રિજની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. અટલ ફૂટ બ્રિજ લોકોની પસંદગી બની રહ્યું છે. સાત મહિના પહેલા શરૂ થયેલા આ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પરંતુ અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે બ્રિજ પર કાચ લગાવવામાં  આવ્યા છે. ત્યારે કાચમાં તિરાડ પડેલી દેખાતા લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 


ગરમીને કારણે કાચમાં પડી તિરાડ! 

થોડા સમય પહેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. ઓછી ગુણવત્તા વાળો સામાન વપરાયો હોવાની લોકો ચર્ચા કરી રહ્યા હતા. એ વિવાદ હજી એની ચર્ચા શાંત નથી થઈ ત્યારે અટલ બ્રિજને લઈ આવા સમાચાર આવતા લોકોને અનેક સવાલ થઈ રહ્યા છે. બ્રિજ શરૂ થયાના થોડા સમય બાદ જ કાચમાં તિરાડો પડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીએ લૂલો બચાવ કરતા કહ્યું કે ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજી તો અસહ્ય ગરમીની શરૂઆત પણ નથી થઈ અને આ હાલત છે તે તો જ્યારે તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચશે ત્યારે શું થશે.



બ્રિજને લઈ શરૂ થઈ રાજનીતિ 

તિરાડો દેખાતા એ કાચના ભાગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એક સમયે દાવો કરવામાં આવ્યો હતો કે કાચ 1000 કિલો જેટલું વજન ખમી શકવા સક્ષમ છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. બ્રિજને લઈ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.      


   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે