અટલ બ્રિજ પર લાગેલા કાચમાં જોવા મળી તિરાડ, થોડા મહિના પહેલા જ બ્રિજનું થયું ઉદ્ધાટન


  • Published By :
  • Published Date : 2023-04-06 09:17:52

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજોને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજનો મામલો હજી શાંત નથી થયો ત્યારે થોડા મહિના પહેલા શરૂ કરાયેલો અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે ફૂટ બ્રિજ પર લગાવાયેલા કાચમાંથી એક કાચમાં તિરાડ દેખાઈ હતી. જેને લઈ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.  પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અધિકારીઓએ કહ્યું કે તિરાડ ગરમીને કારણે પડી છે. આમ કહી અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો.


કાચમાં તિરાડ દેખાતા બ્રિજની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. અટલ ફૂટ બ્રિજ લોકોની પસંદગી બની રહ્યું છે. સાત મહિના પહેલા શરૂ થયેલા આ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પરંતુ અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે બ્રિજ પર કાચ લગાવવામાં  આવ્યા છે. ત્યારે કાચમાં તિરાડ પડેલી દેખાતા લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 


ગરમીને કારણે કાચમાં પડી તિરાડ! 

થોડા સમય પહેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. ઓછી ગુણવત્તા વાળો સામાન વપરાયો હોવાની લોકો ચર્ચા કરી રહ્યા હતા. એ વિવાદ હજી એની ચર્ચા શાંત નથી થઈ ત્યારે અટલ બ્રિજને લઈ આવા સમાચાર આવતા લોકોને અનેક સવાલ થઈ રહ્યા છે. બ્રિજ શરૂ થયાના થોડા સમય બાદ જ કાચમાં તિરાડો પડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીએ લૂલો બચાવ કરતા કહ્યું કે ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજી તો અસહ્ય ગરમીની શરૂઆત પણ નથી થઈ અને આ હાલત છે તે તો જ્યારે તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચશે ત્યારે શું થશે.



બ્રિજને લઈ શરૂ થઈ રાજનીતિ 

તિરાડો દેખાતા એ કાચના ભાગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એક સમયે દાવો કરવામાં આવ્યો હતો કે કાચ 1000 કિલો જેટલું વજન ખમી શકવા સક્ષમ છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. બ્રિજને લઈ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.      


   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.