અટલ બ્રિજ પર લાગેલા કાચમાં જોવા મળી તિરાડ, થોડા મહિના પહેલા જ બ્રિજનું થયું ઉદ્ધાટન


  • Published By :
  • Published Date : 2023-04-06 09:17:52

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજોને લઈ સમાચારો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજનો મામલો હજી શાંત નથી થયો ત્યારે થોડા મહિના પહેલા શરૂ કરાયેલો અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે ફૂટ બ્રિજ પર લગાવાયેલા કાચમાંથી એક કાચમાં તિરાડ દેખાઈ હતી. જેને લઈ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.  પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અધિકારીઓએ કહ્યું કે તિરાડ ગરમીને કારણે પડી છે. આમ કહી અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો.


કાચમાં તિરાડ દેખાતા બ્રિજની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. અટલ ફૂટ બ્રિજ લોકોની પસંદગી બની રહ્યું છે. સાત મહિના પહેલા શરૂ થયેલા આ બ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પરંતુ અટલ બ્રિજ ચર્ચામાં આવ્યો છે. લોકોને આકર્ષવા માટે બ્રિજ પર કાચ લગાવવામાં  આવ્યા છે. ત્યારે કાચમાં તિરાડ પડેલી દેખાતા લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 


ગરમીને કારણે કાચમાં પડી તિરાડ! 

થોડા સમય પહેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. ઓછી ગુણવત્તા વાળો સામાન વપરાયો હોવાની લોકો ચર્ચા કરી રહ્યા હતા. એ વિવાદ હજી એની ચર્ચા શાંત નથી થઈ ત્યારે અટલ બ્રિજને લઈ આવા સમાચાર આવતા લોકોને અનેક સવાલ થઈ રહ્યા છે. બ્રિજ શરૂ થયાના થોડા સમય બાદ જ કાચમાં તિરાડો પડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીએ લૂલો બચાવ કરતા કહ્યું કે ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજી તો અસહ્ય ગરમીની શરૂઆત પણ નથી થઈ અને આ હાલત છે તે તો જ્યારે તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચશે ત્યારે શું થશે.



બ્રિજને લઈ શરૂ થઈ રાજનીતિ 

તિરાડો દેખાતા એ કાચના ભાગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એક સમયે દાવો કરવામાં આવ્યો હતો કે કાચ 1000 કિલો જેટલું વજન ખમી શકવા સક્ષમ છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. બ્રિજને લઈ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.      


   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.