મૌલાના મુફતી સલમાન અઝહરી સામે કચ્છના સામખિયાળીમાં પણ નોંધાયો ગુનો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-02-06 17:07:47

મુસ્લિમ સમાજના ધર્મ ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી રહી છે. ગત 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની ગુજરાત એટીએસે મુંબઇના ઘાટકોપરમાંથી શુક્રવારે ધરપકડ કરી હતી. આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જો કે આજે મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 


કચ્છના સામખીયાળીમાં નોંધાઈ ફરિયાદ


મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ઉશ્કેરણીજનક ભાષણને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે, એટલુ જ નહીં મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કચ્છના સામખીયાળીમાં ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો આ કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ વિવાદાસ્પદ ભાષણો કર્યું હતું. 


આ કલમો હેઠળ ગુનો નોંધાયો


આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આઇપીસી કલમ 153 બી, 505-(2) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં બે આરોપી છે. એક મામદ ખાન અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે. તેમાં બનાવ 31 જાન્યુઆરી 2024ના રોજ સામખિયાળીમાં સવારમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીએ મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યુ હતું, એ ભાષણ ઉશ્કેરણીજનક હતું એ અનુસંધાને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.