મૌલાના મુફતી સલમાન અઝહરી સામે કચ્છના સામખિયાળીમાં પણ નોંધાયો ગુનો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-02-06 17:07:47

મુસ્લિમ સમાજના ધર્મ ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલી વધી રહી છે. ગત 31મી જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીની ગુજરાત એટીએસે મુંબઇના ઘાટકોપરમાંથી શુક્રવારે ધરપકડ કરી હતી. આજે તેમને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જો કે આજે મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 


કચ્છના સામખીયાળીમાં નોંધાઈ ફરિયાદ


મુફ્તી મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ  સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ઉશ્કેરણીજનક ભાષણને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે, એટલુ જ નહીં મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કચ્છના સામખીયાળીમાં ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો આ કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ વિવાદાસ્પદ ભાષણો કર્યું હતું. 


આ કલમો હેઠળ ગુનો નોંધાયો


આજે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આઇપીસી કલમ 153 બી, 505-(2) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં બે આરોપી છે. એક મામદ ખાન અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે. તેમાં બનાવ 31 જાન્યુઆરી 2024ના રોજ સામખિયાળીમાં સવારમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સંમેલનમાં મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીએ મુસ્લિમ યુવાનોને ભડકાવનારું ભાષણ આપ્યુ હતું, એ ભાષણ ઉશ્કેરણીજનક હતું એ અનુસંધાને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે