Mumbaiમાં Air Indiaનાં વોક ઈન ઇન્ટરવ્યૂમાં બેરોજગારોની ભીડ જોવા મળી! દેશમાં બેરોજગારી વધી?


  • Published By :
  • Published Date : 2024-07-17 17:59:11

થોડા સમય પહેલા ભરૂચથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઈન્ટરવ્યુ આપવા માટે ઉમેદવારોની પડાપડી જોઈ હતી.. વીડિયો વાયરલ થયા બાદ તે વીડિયો અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. ત્યારે આવો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. ગુજરાતથી નહીં પરંતુ મુંબઈ થી.. મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા હતા.. 

કંપનીએ આટલી પોસ્ટ માટે રાખ્યો વોક ઈન ઈન્ટરવ્યુ અને... 

જે વીડિયો સામે આવ્યો છે તે મુંબઈના કલિનાથી સામે આવ્યો છે. એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા કંપનીએ 'હેન્ડીમેન'ની પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લીધા હતા. આ એવા લોકો છે જેઓ રિપેરિંગ તેમજ મેઈન્ટેનન્સનું કામ કરે . કુલ 2000 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની હતી. પરંતુ આટલી ઓછી જગ્યાઓ હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ. જેવા દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા હતા તેવા જ દ્રશ્યો મુંબઈથી સામે આવ્યા..   



થોડા દિવસ પહેલા અંકલેશ્વરથી સામે આવ્યો હતો વીડિયો 

ઔપચારિક સૂચના અનુસાર 12 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન વિવિધ પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લેવાના હતા. આમાં મંગળવારે મહત્તમ ભરતી કરવામાં આવી હતી એટલે કે હેન્ડીમેન માટે 2216 અને યુટિલિટી એજન્ટ માટે 22 જગ્યાઓ. તો આટલી ખાલી જગ્યામાં નોકરી માટે આટલા બધા લોકો ઉમટી પડ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તે સવાલો ઉભા કરે છે કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે? આ વીડિયો જોયા પછી તમને શું લાગે છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.