Mumbaiમાં Air Indiaનાં વોક ઈન ઇન્ટરવ્યૂમાં બેરોજગારોની ભીડ જોવા મળી! દેશમાં બેરોજગારી વધી?


  • Published By :
  • Published Date : 2024-07-17 17:59:11

થોડા સમય પહેલા ભરૂચથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઈન્ટરવ્યુ આપવા માટે ઉમેદવારોની પડાપડી જોઈ હતી.. વીડિયો વાયરલ થયા બાદ તે વીડિયો અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. ત્યારે આવો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. ગુજરાતથી નહીં પરંતુ મુંબઈ થી.. મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા હતા.. 

કંપનીએ આટલી પોસ્ટ માટે રાખ્યો વોક ઈન ઈન્ટરવ્યુ અને... 

જે વીડિયો સામે આવ્યો છે તે મુંબઈના કલિનાથી સામે આવ્યો છે. એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા કંપનીએ 'હેન્ડીમેન'ની પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લીધા હતા. આ એવા લોકો છે જેઓ રિપેરિંગ તેમજ મેઈન્ટેનન્સનું કામ કરે . કુલ 2000 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની હતી. પરંતુ આટલી ઓછી જગ્યાઓ હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ. જેવા દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા હતા તેવા જ દ્રશ્યો મુંબઈથી સામે આવ્યા..   



થોડા દિવસ પહેલા અંકલેશ્વરથી સામે આવ્યો હતો વીડિયો 

ઔપચારિક સૂચના અનુસાર 12 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન વિવિધ પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લેવાના હતા. આમાં મંગળવારે મહત્તમ ભરતી કરવામાં આવી હતી એટલે કે હેન્ડીમેન માટે 2216 અને યુટિલિટી એજન્ટ માટે 22 જગ્યાઓ. તો આટલી ખાલી જગ્યામાં નોકરી માટે આટલા બધા લોકો ઉમટી પડ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તે સવાલો ઉભા કરે છે કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે? આ વીડિયો જોયા પછી તમને શું લાગે છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.