Mumbaiમાં Air Indiaનાં વોક ઈન ઇન્ટરવ્યૂમાં બેરોજગારોની ભીડ જોવા મળી! દેશમાં બેરોજગારી વધી?


  • Published By :
  • Published Date : 2024-07-17 17:59:11

થોડા સમય પહેલા ભરૂચથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઈન્ટરવ્યુ આપવા માટે ઉમેદવારોની પડાપડી જોઈ હતી.. વીડિયો વાયરલ થયા બાદ તે વીડિયો અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. ત્યારે આવો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. ગુજરાતથી નહીં પરંતુ મુંબઈ થી.. મુંબઈના કલિનામાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા હતા.. 

કંપનીએ આટલી પોસ્ટ માટે રાખ્યો વોક ઈન ઈન્ટરવ્યુ અને... 

જે વીડિયો સામે આવ્યો છે તે મુંબઈના કલિનાથી સામે આવ્યો છે. એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક-ઈન ઈન્ટરવ્યુ આપવા માટે હજારો લોકો પહોંચી ગયા કંપનીએ 'હેન્ડીમેન'ની પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લીધા હતા. આ એવા લોકો છે જેઓ રિપેરિંગ તેમજ મેઈન્ટેનન્સનું કામ કરે . કુલ 2000 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની હતી. પરંતુ આટલી ઓછી જગ્યાઓ હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ. જેવા દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા હતા તેવા જ દ્રશ્યો મુંબઈથી સામે આવ્યા..   



થોડા દિવસ પહેલા અંકલેશ્વરથી સામે આવ્યો હતો વીડિયો 

ઔપચારિક સૂચના અનુસાર 12 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન વિવિધ પોસ્ટ માટે વોક-ઈન ઈન્ટરવ્યુ લેવાના હતા. આમાં મંગળવારે મહત્તમ ભરતી કરવામાં આવી હતી એટલે કે હેન્ડીમેન માટે 2216 અને યુટિલિટી એજન્ટ માટે 22 જગ્યાઓ. તો આટલી ખાલી જગ્યામાં નોકરી માટે આટલા બધા લોકો ઉમટી પડ્યા હતા. જે વીડિયો સામે આવ્યો છે તે સવાલો ઉભા કરે છે કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે? આ વીડિયો જોયા પછી તમને શું લાગે છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.