આંધ્ર પ્રદેશના આ મંદિરમાં ભક્તે કર્યું 100 કરોડ રૂપિયાનું દાન! દાનપેટીમાં નાખ્યો કરોડોનો ચેક, પરંતુ ખાતામાં હતા માત્ર આટલા રુપિયા...


  • Published By :
  • Published Date : 2023-08-25 17:47:44

છેલ્લા ઘણા સમયથી ઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ નકલી પીએમઓ અધિકારી બનીને લોકોને છેતરે છે તો કોઈ નકલી સીએમઓ અધિકારી બનીને લોકોને ઠગે છે પરંતુ હમણા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઠગે ભગવાનને છેતર્યો છે. આ સમાચાર વાંચીને તમને લાગતું હશે કે ભગવાનને કેવી રીતે છતરાય. વાત એમ છે કે મંદિરની દાનપેટીમાં એક ચેક આવ્યો હતો જેમાં રકમ લખવામાં આવી હતી 100 કરોડ. જ્યારે મંદિરવાળા ચેક ડિપોઝિટ કરવા બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે જે અકાઉન્ટથી ચેક આપવામાં આવ્યો છે તે અકાઉન્ટમાં માત્ર 17 રૂપિયા બેલેન્સ હતું.   

મંદિરની દાનપેટીમાં આવ્યો 100 કરોડ લખેલી રકમનો ચેક 

આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી વરાહલક્ષ્મીનો ભંડાર ખાલી કરવામાં આવી રહ્યો હતો. ભંડારમાંથી નોટો નીકળી રહેલી હતી. આ બધા વચ્ચે એક  કાગળીયું નીકળે છે. જે કાગળિયું સામાન્ય ન હતું પરંતુ ચેક હતો. જે ચેક હતો તેમાં જે રકમ હતી તેને વાંચીને ત્યાં ઉપસ્થિત લોકોના હોશ ઉડી ગયા હતા. એ ચેક પર રકમ લખવામાં આવી 100 કરોડ. ભંડાર ખાલી રહેલા લોકોની આંખો રકમ વાંચીને પહોંળી થઈ ગઈ. 100 કરોડવાળી રકમનો ચેક જોઈ લોકો ચોંકી ગયા હતા. વધારે આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ચેકને લઈ બેન્કમાં પહોંચ્યા. કેશ કરાવવા જ્યારે ગયા ત્યારે જે હકીકત સામે આવી તે અવિશ્વસનીય હતી. જે વ્યક્તિએ 100 કરોડનો ચેક ફાળ્યો હતો તેના ખાતામાં માત્ર 17 રુપિયા હતા.   


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચેકનો ફોટો 

મંદિરમાં દાન કરવામાં આવેલા ચેકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરને જોતા જ લોકો માથું પકડી રહ્યા છે. મંદિરની દાનપેટીમાં કોણે આ ચેક નાખ્યો તેની જાણકારી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર આ ફોટા પર વાયરલ થતાં જ અલગ અલગ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીમ શેર થવા લાગી છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .