આંધ્ર પ્રદેશના આ મંદિરમાં ભક્તે કર્યું 100 કરોડ રૂપિયાનું દાન! દાનપેટીમાં નાખ્યો કરોડોનો ચેક, પરંતુ ખાતામાં હતા માત્ર આટલા રુપિયા...


  • Published By :
  • Published Date : 2023-08-25 17:47:44

છેલ્લા ઘણા સમયથી ઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ નકલી પીએમઓ અધિકારી બનીને લોકોને છેતરે છે તો કોઈ નકલી સીએમઓ અધિકારી બનીને લોકોને ઠગે છે પરંતુ હમણા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઠગે ભગવાનને છેતર્યો છે. આ સમાચાર વાંચીને તમને લાગતું હશે કે ભગવાનને કેવી રીતે છતરાય. વાત એમ છે કે મંદિરની દાનપેટીમાં એક ચેક આવ્યો હતો જેમાં રકમ લખવામાં આવી હતી 100 કરોડ. જ્યારે મંદિરવાળા ચેક ડિપોઝિટ કરવા બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે જે અકાઉન્ટથી ચેક આપવામાં આવ્યો છે તે અકાઉન્ટમાં માત્ર 17 રૂપિયા બેલેન્સ હતું.   

મંદિરની દાનપેટીમાં આવ્યો 100 કરોડ લખેલી રકમનો ચેક 

આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી વરાહલક્ષ્મીનો ભંડાર ખાલી કરવામાં આવી રહ્યો હતો. ભંડારમાંથી નોટો નીકળી રહેલી હતી. આ બધા વચ્ચે એક  કાગળીયું નીકળે છે. જે કાગળિયું સામાન્ય ન હતું પરંતુ ચેક હતો. જે ચેક હતો તેમાં જે રકમ હતી તેને વાંચીને ત્યાં ઉપસ્થિત લોકોના હોશ ઉડી ગયા હતા. એ ચેક પર રકમ લખવામાં આવી 100 કરોડ. ભંડાર ખાલી રહેલા લોકોની આંખો રકમ વાંચીને પહોંળી થઈ ગઈ. 100 કરોડવાળી રકમનો ચેક જોઈ લોકો ચોંકી ગયા હતા. વધારે આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ચેકને લઈ બેન્કમાં પહોંચ્યા. કેશ કરાવવા જ્યારે ગયા ત્યારે જે હકીકત સામે આવી તે અવિશ્વસનીય હતી. જે વ્યક્તિએ 100 કરોડનો ચેક ફાળ્યો હતો તેના ખાતામાં માત્ર 17 રુપિયા હતા.   


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચેકનો ફોટો 

મંદિરમાં દાન કરવામાં આવેલા ચેકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરને જોતા જ લોકો માથું પકડી રહ્યા છે. મંદિરની દાનપેટીમાં કોણે આ ચેક નાખ્યો તેની જાણકારી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર આ ફોટા પર વાયરલ થતાં જ અલગ અલગ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીમ શેર થવા લાગી છે. 




સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.