આંધ્ર પ્રદેશના આ મંદિરમાં ભક્તે કર્યું 100 કરોડ રૂપિયાનું દાન! દાનપેટીમાં નાખ્યો કરોડોનો ચેક, પરંતુ ખાતામાં હતા માત્ર આટલા રુપિયા...


  • Published By :
  • Published Date : 2023-08-25 17:47:44

છેલ્લા ઘણા સમયથી ઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ નકલી પીએમઓ અધિકારી બનીને લોકોને છેતરે છે તો કોઈ નકલી સીએમઓ અધિકારી બનીને લોકોને ઠગે છે પરંતુ હમણા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઠગે ભગવાનને છેતર્યો છે. આ સમાચાર વાંચીને તમને લાગતું હશે કે ભગવાનને કેવી રીતે છતરાય. વાત એમ છે કે મંદિરની દાનપેટીમાં એક ચેક આવ્યો હતો જેમાં રકમ લખવામાં આવી હતી 100 કરોડ. જ્યારે મંદિરવાળા ચેક ડિપોઝિટ કરવા બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે જે અકાઉન્ટથી ચેક આપવામાં આવ્યો છે તે અકાઉન્ટમાં માત્ર 17 રૂપિયા બેલેન્સ હતું.   

મંદિરની દાનપેટીમાં આવ્યો 100 કરોડ લખેલી રકમનો ચેક 

આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી વરાહલક્ષ્મીનો ભંડાર ખાલી કરવામાં આવી રહ્યો હતો. ભંડારમાંથી નોટો નીકળી રહેલી હતી. આ બધા વચ્ચે એક  કાગળીયું નીકળે છે. જે કાગળિયું સામાન્ય ન હતું પરંતુ ચેક હતો. જે ચેક હતો તેમાં જે રકમ હતી તેને વાંચીને ત્યાં ઉપસ્થિત લોકોના હોશ ઉડી ગયા હતા. એ ચેક પર રકમ લખવામાં આવી 100 કરોડ. ભંડાર ખાલી રહેલા લોકોની આંખો રકમ વાંચીને પહોંળી થઈ ગઈ. 100 કરોડવાળી રકમનો ચેક જોઈ લોકો ચોંકી ગયા હતા. વધારે આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ચેકને લઈ બેન્કમાં પહોંચ્યા. કેશ કરાવવા જ્યારે ગયા ત્યારે જે હકીકત સામે આવી તે અવિશ્વસનીય હતી. જે વ્યક્તિએ 100 કરોડનો ચેક ફાળ્યો હતો તેના ખાતામાં માત્ર 17 રુપિયા હતા.   


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચેકનો ફોટો 

મંદિરમાં દાન કરવામાં આવેલા ચેકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરને જોતા જ લોકો માથું પકડી રહ્યા છે. મંદિરની દાનપેટીમાં કોણે આ ચેક નાખ્યો તેની જાણકારી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર આ ફોટા પર વાયરલ થતાં જ અલગ અલગ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીમ શેર થવા લાગી છે. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.