આંધ્ર પ્રદેશના આ મંદિરમાં ભક્તે કર્યું 100 કરોડ રૂપિયાનું દાન! દાનપેટીમાં નાખ્યો કરોડોનો ચેક, પરંતુ ખાતામાં હતા માત્ર આટલા રુપિયા...


  • Published By :
  • Published Date : 2023-08-25 17:47:44

છેલ્લા ઘણા સમયથી ઠગોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ નકલી પીએમઓ અધિકારી બનીને લોકોને છેતરે છે તો કોઈ નકલી સીએમઓ અધિકારી બનીને લોકોને ઠગે છે પરંતુ હમણા એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઠગે ભગવાનને છેતર્યો છે. આ સમાચાર વાંચીને તમને લાગતું હશે કે ભગવાનને કેવી રીતે છતરાય. વાત એમ છે કે મંદિરની દાનપેટીમાં એક ચેક આવ્યો હતો જેમાં રકમ લખવામાં આવી હતી 100 કરોડ. જ્યારે મંદિરવાળા ચેક ડિપોઝિટ કરવા બેંકમાં ગયા ત્યારે ખબર પડી કે જે અકાઉન્ટથી ચેક આપવામાં આવ્યો છે તે અકાઉન્ટમાં માત્ર 17 રૂપિયા બેલેન્સ હતું.   

મંદિરની દાનપેટીમાં આવ્યો 100 કરોડ લખેલી રકમનો ચેક 

આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી વરાહલક્ષ્મીનો ભંડાર ખાલી કરવામાં આવી રહ્યો હતો. ભંડારમાંથી નોટો નીકળી રહેલી હતી. આ બધા વચ્ચે એક  કાગળીયું નીકળે છે. જે કાગળિયું સામાન્ય ન હતું પરંતુ ચેક હતો. જે ચેક હતો તેમાં જે રકમ હતી તેને વાંચીને ત્યાં ઉપસ્થિત લોકોના હોશ ઉડી ગયા હતા. એ ચેક પર રકમ લખવામાં આવી 100 કરોડ. ભંડાર ખાલી રહેલા લોકોની આંખો રકમ વાંચીને પહોંળી થઈ ગઈ. 100 કરોડવાળી રકમનો ચેક જોઈ લોકો ચોંકી ગયા હતા. વધારે આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ચેકને લઈ બેન્કમાં પહોંચ્યા. કેશ કરાવવા જ્યારે ગયા ત્યારે જે હકીકત સામે આવી તે અવિશ્વસનીય હતી. જે વ્યક્તિએ 100 કરોડનો ચેક ફાળ્યો હતો તેના ખાતામાં માત્ર 17 રુપિયા હતા.   


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ચેકનો ફોટો 

મંદિરમાં દાન કરવામાં આવેલા ચેકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરને જોતા જ લોકો માથું પકડી રહ્યા છે. મંદિરની દાનપેટીમાં કોણે આ ચેક નાખ્યો તેની જાણકારી સામે આવી નથી. સોશિયલ મીડિયા પર આ ફોટા પર વાયરલ થતાં જ અલગ અલગ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીમ શેર થવા લાગી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.