Ahmedabadમાં 14 માસના બાળક પર શ્વાને કર્યો હુમલો, વધી રહેલા શ્વાનના આતંક પર ક્યારે લાગશે રોક?


  • Published By :
  • Published Date : 2023-11-17 13:35:31

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. રખડતા ઢોર મુદ્દે તંત્રની ઝાટકણી કોર્ટે અનેક વખત કાઢી છે. એક તરફ રખડતા ઢોર પર નિયંત્રણ લાવવાની કામગીરી કરવામાં આવી પરંતુ હવે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાને 14 માસની બાળકી પર હુમલો કરી દીધો. જુહાપુરથી આ ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. નાની બાળકી ફરી એક વખત રખડતા શ્વાનનો શિકાર બની છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર કાઢ્યું.  

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો


14 માસની બાળકી પર રખડતા શ્વાને કર્યો હુમલો 

રસ્તા પર જ્યારે તમે નીકળો છો ત્યારે તમારા ખરાબ રસ્તા તેમજ રખડતા ઢોરનો સામનો કરવો પડે છે. રખડતા ઢોરનો આતંક તો હજી શાંત નથી થયો ત્યાં તો રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. રખડતા ઢોરનો આતંક તો છે જ પરંતુ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનનો આતંક સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 14 માસના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. જુહાપુરા વિસ્તારમાં બાળક ઘરના દરવાજા આગળ રમી રહ્યું હતું ત્યારે શ્વાને તેની પર હુમલો કર્યો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર લાવ્યા. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો છે. 

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, બે વર્ષના બાળક ઉપર હુમલો,  terror-of-stray-dogs-continues-in-surat-stray-dogs-attacked-a-child-in-two-years

રખડતા શ્વાનના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તે એક સવાલ છે! 

બાળક પર શ્વાનના થતા હુમલાની ઘટના નવી નથી. આની પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં શ્વાને બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યા હોય. થોડા મહિના પહેલા જુહાપુરાથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સોનલ સિનેમા પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. વારંવાર થતી આવી ઘટનાઓ વિચારવા માટે મજબૂર કરે છે કે શું હાઈકોર્ટની ટકોર બાદ જ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે? રખડતા ઢોર પકડવાની કામગીરી હમણા ચાલે છે કે નહીં તે એક ગંભીર પ્રશ્ન છે..! રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ મળે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે આવો કિસ્સો કોઈની સાથે પણ બની શકે છે. કોઈના બાળક પર રખડતો શ્વાન હુમલો કરી શકે છે..!       



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.