Ahmedabadમાં 14 માસના બાળક પર શ્વાને કર્યો હુમલો, વધી રહેલા શ્વાનના આતંક પર ક્યારે લાગશે રોક?


  • Published By :
  • Published Date : 2023-11-17 13:35:31

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. રખડતા ઢોર મુદ્દે તંત્રની ઝાટકણી કોર્ટે અનેક વખત કાઢી છે. એક તરફ રખડતા ઢોર પર નિયંત્રણ લાવવાની કામગીરી કરવામાં આવી પરંતુ હવે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાને 14 માસની બાળકી પર હુમલો કરી દીધો. જુહાપુરથી આ ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. નાની બાળકી ફરી એક વખત રખડતા શ્વાનનો શિકાર બની છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર કાઢ્યું.  

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો


14 માસની બાળકી પર રખડતા શ્વાને કર્યો હુમલો 

રસ્તા પર જ્યારે તમે નીકળો છો ત્યારે તમારા ખરાબ રસ્તા તેમજ રખડતા ઢોરનો સામનો કરવો પડે છે. રખડતા ઢોરનો આતંક તો હજી શાંત નથી થયો ત્યાં તો રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. રખડતા ઢોરનો આતંક તો છે જ પરંતુ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનનો આતંક સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 14 માસના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. જુહાપુરા વિસ્તારમાં બાળક ઘરના દરવાજા આગળ રમી રહ્યું હતું ત્યારે શ્વાને તેની પર હુમલો કર્યો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર લાવ્યા. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો છે. 

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, બે વર્ષના બાળક ઉપર હુમલો,  terror-of-stray-dogs-continues-in-surat-stray-dogs-attacked-a-child-in-two-years

રખડતા શ્વાનના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તે એક સવાલ છે! 

બાળક પર શ્વાનના થતા હુમલાની ઘટના નવી નથી. આની પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં શ્વાને બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યા હોય. થોડા મહિના પહેલા જુહાપુરાથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સોનલ સિનેમા પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. વારંવાર થતી આવી ઘટનાઓ વિચારવા માટે મજબૂર કરે છે કે શું હાઈકોર્ટની ટકોર બાદ જ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે? રખડતા ઢોર પકડવાની કામગીરી હમણા ચાલે છે કે નહીં તે એક ગંભીર પ્રશ્ન છે..! રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ મળે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે આવો કિસ્સો કોઈની સાથે પણ બની શકે છે. કોઈના બાળક પર રખડતો શ્વાન હુમલો કરી શકે છે..!       



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .