Ahmedabadમાં 14 માસના બાળક પર શ્વાને કર્યો હુમલો, વધી રહેલા શ્વાનના આતંક પર ક્યારે લાગશે રોક?


  • Published By :
  • Published Date : 2023-11-17 13:35:31

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. રખડતા ઢોર મુદ્દે તંત્રની ઝાટકણી કોર્ટે અનેક વખત કાઢી છે. એક તરફ રખડતા ઢોર પર નિયંત્રણ લાવવાની કામગીરી કરવામાં આવી પરંતુ હવે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા શ્વાને 14 માસની બાળકી પર હુમલો કરી દીધો. જુહાપુરથી આ ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. નાની બાળકી ફરી એક વખત રખડતા શ્વાનનો શિકાર બની છે. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર કાઢ્યું.  

નવસારી: રખડતા શ્વાનનો આંતક યથાવત,5થી 6 શ્વાનનું ટોળું યુવક પર તૂટી પડ્યું  અને બચકાં ભર્યાં, હોસ્પિટલમાં દાખલ કરાયો


14 માસની બાળકી પર રખડતા શ્વાને કર્યો હુમલો 

રસ્તા પર જ્યારે તમે નીકળો છો ત્યારે તમારા ખરાબ રસ્તા તેમજ રખડતા ઢોરનો સામનો કરવો પડે છે. રખડતા ઢોરનો આતંક તો હજી શાંત નથી થયો ત્યાં તો રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. રખડતા ઢોરનો આતંક તો છે જ પરંતુ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનનો આતંક સ્માર્ટ શહેર ગણાતા અમદાવાદથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 14 માસના બાળક પર શ્વાને હુમલો કર્યો છે. જુહાપુરા વિસ્તારમાં બાળક ઘરના દરવાજા આગળ રમી રહ્યું હતું ત્યારે શ્વાને તેની પર હુમલો કર્યો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ત્યાં આવી ગયા અને બાળકને શ્વાનના મુખથી બહાર લાવ્યા. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો છે. 

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત, બે વર્ષના બાળક ઉપર હુમલો,  terror-of-stray-dogs-continues-in-surat-stray-dogs-attacked-a-child-in-two-years

રખડતા શ્વાનના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તે એક સવાલ છે! 

બાળક પર શ્વાનના થતા હુમલાની ઘટના નવી નથી. આની પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં શ્વાને બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યા હોય. થોડા મહિના પહેલા જુહાપુરાથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સોનલ સિનેમા પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. વારંવાર થતી આવી ઘટનાઓ વિચારવા માટે મજબૂર કરે છે કે શું હાઈકોર્ટની ટકોર બાદ જ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે? રખડતા ઢોર પકડવાની કામગીરી હમણા ચાલે છે કે નહીં તે એક ગંભીર પ્રશ્ન છે..! રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ મળે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે આવો કિસ્સો કોઈની સાથે પણ બની શકે છે. કોઈના બાળક પર રખડતો શ્વાન હુમલો કરી શકે છે..!       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.