Jamnagarની જી.જી હોસ્પિટલમાં આરામથી ફરતો દેખાયો શ્વાન! સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-15 17:26:40

રાજ્યમાં રખડતા પશુનો તેમજ રખડતા શ્વાનનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં લોકો રખડતા શ્વાનનો ભોગ બનતા હોય છે. અનેક વખત લોકો ગંભીર રીતે હુમલો થવાને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે જામનગરથી એક દ્રશ્ય સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં શ્વાન હોસ્પિટલમાં પહોંચી ગયો અને જે બેડ પર દર્દી ઉંઘતા હોય ત્યાં જઈને આરામથી ઉંઘી ગયો.   


હોસ્પિટલ બેડમાં આરામથી ઉંઘતો જોવા મળ્યો શ્વાન 

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે આપણને વિચાર કરવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જામનગરની જી.જી હોસ્પિટલનો છે. એ વીડિયોમાં એક વોર્ડના બેડ પર દર્દીઓ આરામ કરતા હોય તે બેડ પર શ્વાન આરામ કરતું દેખાઈ રહ્યું છે. જે સમયે શ્વાન દર્દીના બેડ પર આરામ ફરમાવી રહ્યો હતો તે સમયે કોઈએ વીડિયો બનાવી દીધો અને હાલ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


હજારો દર્દીઓ હોસ્પિટલમાં આવે છે સારવાર અર્થે 

હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય છે. સીસીટીવીથી હોસ્પિટલ સજ્જ હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ જી.જી હોસ્પિટલ માનવામાં આવે છે. હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં એ પણ વોર્ડ સુધી શ્વાન કેવી રીતે પહોંચ્યો તે એક પ્રશ્ન છે. હોસ્પિટલથી અવાર-નવાર આવા દ્રશ્યો સામે આવતા રહે છે તે દર્દીઓની સુરક્ષા પર પણ ગંભીર સવાલ છે.     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .