Jamnagarની જી.જી હોસ્પિટલમાં આરામથી ફરતો દેખાયો શ્વાન! સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-15 17:26:40

રાજ્યમાં રખડતા પશુનો તેમજ રખડતા શ્વાનનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં લોકો રખડતા શ્વાનનો ભોગ બનતા હોય છે. અનેક વખત લોકો ગંભીર રીતે હુમલો થવાને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે જામનગરથી એક દ્રશ્ય સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં શ્વાન હોસ્પિટલમાં પહોંચી ગયો અને જે બેડ પર દર્દી ઉંઘતા હોય ત્યાં જઈને આરામથી ઉંઘી ગયો.   


હોસ્પિટલ બેડમાં આરામથી ઉંઘતો જોવા મળ્યો શ્વાન 

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે આપણને વિચાર કરવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જામનગરની જી.જી હોસ્પિટલનો છે. એ વીડિયોમાં એક વોર્ડના બેડ પર દર્દીઓ આરામ કરતા હોય તે બેડ પર શ્વાન આરામ કરતું દેખાઈ રહ્યું છે. જે સમયે શ્વાન દર્દીના બેડ પર આરામ ફરમાવી રહ્યો હતો તે સમયે કોઈએ વીડિયો બનાવી દીધો અને હાલ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


હજારો દર્દીઓ હોસ્પિટલમાં આવે છે સારવાર અર્થે 

હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય છે. સીસીટીવીથી હોસ્પિટલ સજ્જ હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ જી.જી હોસ્પિટલ માનવામાં આવે છે. હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં એ પણ વોર્ડ સુધી શ્વાન કેવી રીતે પહોંચ્યો તે એક પ્રશ્ન છે. હોસ્પિટલથી અવાર-નવાર આવા દ્રશ્યો સામે આવતા રહે છે તે દર્દીઓની સુરક્ષા પર પણ ગંભીર સવાલ છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.