Jamnagarની જી.જી હોસ્પિટલમાં આરામથી ફરતો દેખાયો શ્વાન! સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-15 17:26:40

રાજ્યમાં રખડતા પશુનો તેમજ રખડતા શ્વાનનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં લોકો રખડતા શ્વાનનો ભોગ બનતા હોય છે. અનેક વખત લોકો ગંભીર રીતે હુમલો થવાને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે જામનગરથી એક દ્રશ્ય સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં શ્વાન હોસ્પિટલમાં પહોંચી ગયો અને જે બેડ પર દર્દી ઉંઘતા હોય ત્યાં જઈને આરામથી ઉંઘી ગયો.   


હોસ્પિટલ બેડમાં આરામથી ઉંઘતો જોવા મળ્યો શ્વાન 

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે આપણને વિચાર કરવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જામનગરની જી.જી હોસ્પિટલનો છે. એ વીડિયોમાં એક વોર્ડના બેડ પર દર્દીઓ આરામ કરતા હોય તે બેડ પર શ્વાન આરામ કરતું દેખાઈ રહ્યું છે. જે સમયે શ્વાન દર્દીના બેડ પર આરામ ફરમાવી રહ્યો હતો તે સમયે કોઈએ વીડિયો બનાવી દીધો અને હાલ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


હજારો દર્દીઓ હોસ્પિટલમાં આવે છે સારવાર અર્થે 

હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ગેટ પર સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય છે. સીસીટીવીથી હોસ્પિટલ સજ્જ હોય છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ જી.જી હોસ્પિટલ માનવામાં આવે છે. હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં એ પણ વોર્ડ સુધી શ્વાન કેવી રીતે પહોંચ્યો તે એક પ્રશ્ન છે. હોસ્પિટલથી અવાર-નવાર આવા દ્રશ્યો સામે આવતા રહે છે તે દર્દીઓની સુરક્ષા પર પણ ગંભીર સવાલ છે.     



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .