નશામાં ધૂત કારચાલકે સર્જ્યો પાલનપુર નજીક અકસ્માત, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 15:48:12

થોડા દિવસ પહેલા અમદાવાદમાં નબીરાએ એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે પોતાની અડફેટમાં અનેક નિર્દોષ લોકોને લઈ લીધા હતા. આ ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા હતા. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણને સૌને ખબર છે. દારૂ અનેક જગ્યાઓ પર વેચવામાં આવે છે. તેની જાણ કદાચ પોલીસને પણ હોતી હશે કે આ જગ્યા પર દારૂ વેચાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠામાં નશામાં દૂત એક કાર ચાલકે અકસ્માત સર્જાયો છે. ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે.


ચાલુ ગાડીએ કાર ચાલક કરતો હતો દારૂની પાર્ટી

તથ્ય કાંડ બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે. કાયદા ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓવરસ્પીડિંગ, હેલ્મેટ વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે. અનેક લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવી ગઈ છે. ત્યારે બનાસકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ધૂત વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. આબુ હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારી હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં જાન હાની ટળી છે. ઘટનાની જાણ થતાં નશામાં ધૂત કાર ચાલક વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  


ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ 

એક તરફ પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે તો બીજી તરફ નબીરાઓના એવા કિસ્સાઓ સામે આવતા હોય જેમાં નબીરાઓને કાયદાનો ડર જ ન હોય તેવું લાગે છે. પાલનપુરમાં અકસ્માતની એક ઘટના બની છે. નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નશાખોર કાર ચાલક ગાડીમાં પાર્ટી કરી રહ્યો હતો જેનો વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો. પોલીસ સુધી એ વીડિયો પહોંચતા કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


કાયદાનો લોકોને નથી રહ્યો ડર!

મહત્વનું છે રાજ્યમાં વધતા અકસ્માત ચિંતાનો વિષય છે. અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ અકસ્માતમાં ગુમાવ્યા છે. પ્રશ્ન એ થાય કે પોલીસની બીક શું નબીરાઓને નથી રહી? ખુલ્લેઆમ ડ્રિંક કરી લોકો ડ્રાઈવ કરી રહ્યા છે પરંતુ કોઈને પણ કાયદાનો ડર નથી, પોલીસનો ડર નથી.નશામાં જો અકસ્માત સર્જાશે અને કોઈનો જીવ જશે તેની પણ તેમને ચિંતા નથી. તમારા માટે એ ભલે મજા હોઈ શકે છે, પરંતુ બીજા માટે એ સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.