નશામાં ધૂત કારચાલકે સર્જ્યો પાલનપુર નજીક અકસ્માત, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 15:48:12

થોડા દિવસ પહેલા અમદાવાદમાં નબીરાએ એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે પોતાની અડફેટમાં અનેક નિર્દોષ લોકોને લઈ લીધા હતા. આ ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા હતા. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણને સૌને ખબર છે. દારૂ અનેક જગ્યાઓ પર વેચવામાં આવે છે. તેની જાણ કદાચ પોલીસને પણ હોતી હશે કે આ જગ્યા પર દારૂ વેચાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે બનાસકાંઠામાં નશામાં દૂત એક કાર ચાલકે અકસ્માત સર્જાયો છે. ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે.


ચાલુ ગાડીએ કાર ચાલક કરતો હતો દારૂની પાર્ટી

તથ્ય કાંડ બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે. કાયદા ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓવરસ્પીડિંગ, હેલ્મેટ વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે. અનેક લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવી ગઈ છે. ત્યારે બનાસકાંઠાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ધૂત વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે. આબુ હાઈવે પર નશામાં ધૂત કાર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારી હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં જાન હાની ટળી છે. ઘટનાની જાણ થતાં નશામાં ધૂત કાર ચાલક વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  


ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ 

એક તરફ પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે તો બીજી તરફ નબીરાઓના એવા કિસ્સાઓ સામે આવતા હોય જેમાં નબીરાઓને કાયદાનો ડર જ ન હોય તેવું લાગે છે. પાલનપુરમાં અકસ્માતની એક ઘટના બની છે. નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નશાખોર કાર ચાલક ગાડીમાં પાર્ટી કરી રહ્યો હતો જેનો વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો. પોલીસ સુધી એ વીડિયો પહોંચતા કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


કાયદાનો લોકોને નથી રહ્યો ડર!

મહત્વનું છે રાજ્યમાં વધતા અકસ્માત ચિંતાનો વિષય છે. અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ અકસ્માતમાં ગુમાવ્યા છે. પ્રશ્ન એ થાય કે પોલીસની બીક શું નબીરાઓને નથી રહી? ખુલ્લેઆમ ડ્રિંક કરી લોકો ડ્રાઈવ કરી રહ્યા છે પરંતુ કોઈને પણ કાયદાનો ડર નથી, પોલીસનો ડર નથી.નશામાં જો અકસ્માત સર્જાશે અને કોઈનો જીવ જશે તેની પણ તેમને ચિંતા નથી. તમારા માટે એ ભલે મજા હોઈ શકે છે, પરંતુ બીજા માટે એ સજા ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.       



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી