રખડતા ઢોરના હુમલાને કારણે એક પરિવારે ગુમાવ્યો પોતાનો સદસ્ય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 14:58:25

રાજ્ય તેમજ અમદાવાદમાં રખડતા પશુઓની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. રખડતા પશુઓને કારણે, નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. નરોડા વિસ્તારમાં બાઈક ચાલક ઢોરની અડફેટે આવતા, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. નિર્દોષ વ્યક્તિનું મોત થતા લોકોમાં શાંત થયેલો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો છે. 

તંત્રની બેદરકારીને કારણે લોકોનો જઈ રહ્યો છે જીવ 

 AMCની બેદરકારીને કારણે એક પત્નીએ પોતાનો પતિ,એક માતાએ પોતાનો પુત્ર અને દિકરીઓએ તેમના પિતાને ગુમાવ્યા છે.  મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો એક વૃદ્ધનું મોત રખડતા પશુને કારણે નિપજ્યું હતું. ઉપરાંત રાજ્યના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ પર પણ ઢોરે આક્રમણ કર્યું હતું, જેને કારણે તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આવા તો એક નહી પણ અનેક કિસ્સાઓ છે જેમાં પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યો હોય. 
Nitin Patel injured in Kadi after stray cattle attack - રખડતા પશુએ હુમલો  કરતા નીતિન પટેલ ઈજાગ્રસ્ત – News18 Gujarati
Haryana govt forms Animal Welfare Board - The Statesman

શું સ્વીકારાશે મૃતકના પરિવારની માગ

એક તરફ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓ પણ પરેશાની વેઠવા મજબૂર બન્યા છે. બંને સ્થિતિમાં તંત્રની બેદરકારીને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તંત્રની નબળી કામગીરીને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાઈકોર્ટે રખડતા પશુઓને પકડવાની કામગીરી AMCને સોંપી હતી. પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ પણ યોગ્ય કામગીરી નથી કરવામાં આવી રહી. ત્યારે મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. ત્યારે શું ખરેખર મૃતકના પરિવારની માગ સ્વીકારાશે કે પછી ઢોરને પકડવાની કામગીરીની માફક માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવશે, તે જોવું રહ્યું. 


ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.