ન્યુઝીલેન્ડની રાજધાનીમાં આવેલી હોસ્ટેલમાં લાગી ભીષણ આગ! ઘટનામાં થયા અનેક લોકોના મોત! પીએમએ શોક વ્યક્ત કર્યો!


  • Published By :
  • Published Date : 2023-05-16 09:02:06

આગ લાગવાની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે ન્યુઝીલેન્ડના વેલિંગટનમાં આવેલી હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ મોડી રાત્રે લાગી હતી.


આગમાં અંદાજીત 10 જેટલા લોકોના થયા મોત! 

ન્યુઝિલેન્ડની રાજધાની વેલિંગટનમાં આવેલી એક હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અંદાજીત 10 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ આંકડો વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે હોસ્ટેલમાં આગ લાગી તે હોસ્ટેલનું નામ લોફર્સ લોજ હોસ્ટેલ છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્કયુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 20 જેટલા લોકો લાપતા છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. 


આગ કયા કારણોસર લાગી તે અસ્પષ્ટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ બની હતી. ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડીંગમાં 52 જેટલા લોકો ફસાયા હતા. રેસ્ક્યુ ટીમ તેમની શોધખોળ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ શોધવા અંગેની તપાસ કરવામાં આવી છે. કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.