ન્યુઝીલેન્ડની રાજધાનીમાં આવેલી હોસ્ટેલમાં લાગી ભીષણ આગ! ઘટનામાં થયા અનેક લોકોના મોત! પીએમએ શોક વ્યક્ત કર્યો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-16 09:02:06

આગ લાગવાની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે ન્યુઝીલેન્ડના વેલિંગટનમાં આવેલી હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ મોડી રાત્રે લાગી હતી.


આગમાં અંદાજીત 10 જેટલા લોકોના થયા મોત! 

ન્યુઝિલેન્ડની રાજધાની વેલિંગટનમાં આવેલી એક હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અંદાજીત 10 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ આંકડો વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે હોસ્ટેલમાં આગ લાગી તે હોસ્ટેલનું નામ લોફર્સ લોજ હોસ્ટેલ છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્કયુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 20 જેટલા લોકો લાપતા છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. 


આગ કયા કારણોસર લાગી તે અસ્પષ્ટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ બની હતી. ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડીંગમાં 52 જેટલા લોકો ફસાયા હતા. રેસ્ક્યુ ટીમ તેમની શોધખોળ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ શોધવા અંગેની તપાસ કરવામાં આવી છે. કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.       



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'