ન્યુઝીલેન્ડની રાજધાનીમાં આવેલી હોસ્ટેલમાં લાગી ભીષણ આગ! ઘટનામાં થયા અનેક લોકોના મોત! પીએમએ શોક વ્યક્ત કર્યો!


  • Published By :
  • Published Date : 2023-05-16 09:02:06

આગ લાગવાની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે ન્યુઝીલેન્ડના વેલિંગટનમાં આવેલી હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ મોડી રાત્રે લાગી હતી.


આગમાં અંદાજીત 10 જેટલા લોકોના થયા મોત! 

ન્યુઝિલેન્ડની રાજધાની વેલિંગટનમાં આવેલી એક હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અંદાજીત 10 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ આંકડો વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે હોસ્ટેલમાં આગ લાગી તે હોસ્ટેલનું નામ લોફર્સ લોજ હોસ્ટેલ છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્કયુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 20 જેટલા લોકો લાપતા છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. 


આગ કયા કારણોસર લાગી તે અસ્પષ્ટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ બની હતી. ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડીંગમાં 52 જેટલા લોકો ફસાયા હતા. રેસ્ક્યુ ટીમ તેમની શોધખોળ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ શોધવા અંગેની તપાસ કરવામાં આવી છે. કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.       



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .