ન્યુઝીલેન્ડની રાજધાનીમાં આવેલી હોસ્ટેલમાં લાગી ભીષણ આગ! ઘટનામાં થયા અનેક લોકોના મોત! પીએમએ શોક વ્યક્ત કર્યો!


  • Published By :
  • Published Date : 2023-05-16 09:02:06

આગ લાગવાની ઘટનામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે ન્યુઝીલેન્ડના વેલિંગટનમાં આવેલી હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગ મોડી રાત્રે લાગી હતી.


આગમાં અંદાજીત 10 જેટલા લોકોના થયા મોત! 

ન્યુઝિલેન્ડની રાજધાની વેલિંગટનમાં આવેલી એક હોસ્ટેલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાને કારણે અંદાજીત 10 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ આંકડો વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે હોસ્ટેલમાં આગ લાગી તે હોસ્ટેલનું નામ લોફર્સ લોજ હોસ્ટેલ છે. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ રેસ્કયુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 20 જેટલા લોકો લાપતા છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. 


આગ કયા કારણોસર લાગી તે અસ્પષ્ટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ બની હતી. ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર બિલ્ડીંગમાં 52 જેટલા લોકો ફસાયા હતા. રેસ્ક્યુ ટીમ તેમની શોધખોળ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ શોધવા અંગેની તપાસ કરવામાં આવી છે. કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.       



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.