Surendranagarના ધ્રાંગધ્રાના એક કોમ્પ્લેક્ષમાં લાગી આગ, 15 દુકાનો આવી આગની ઝપેટમાં, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-11-07 12:33:55

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે  માલ-સામાનને તો નુકસાન પહોંચે છે પરંતુ લોકોના જીવન પર પણ સંકટ રહેલું હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આગને કારણે મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હોય. ત્યારે દિવાળી પહેલા સુરેન્દ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં કપડાની અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ. ધ્રાંગધ્રના મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી પરંતુ તે આગે વિકરાળ રૂપ લઈ લીધું અને તે આગ 15થી વધારે દુકાનોમાં પ્રસરી ગઈ. દુકાનો ઉપરાંત બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

 સુરેન્દ્રનગર: દિવાળી પહેલા જ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે.

અનેક વેપારીઓની બગડી દિવાળી!

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવાર દરમિયાન નવા કપડાની ખરીદી સહિતની વસ્તુઓ ખરીદતા હોય છે. દિવાળીને લઈ કપડા બજારમાં પણ લોકોની ચહલપહલ રહેતી હોય છે, વધારે સામાન પણ વેપારીઓએ ભર્યો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વેપારીઓની દિવાળી બગડી જઈ છે કારણ કે ધ્રાંગધ્રા શહેરમાં આવેલા વેદાંત કોમ્પ્લેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં 15 જેટલી દુકાનો આવી ગઈ છે. આગની જ્વાળા અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને દુર્ઘટના ભીષણ બની ગઈ. 

 આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે.

 આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી.

લાખો રુપિયાનો સામાન બળીને ખાખ થયા હોવાનું અનુમાન 

અનેક કારણોસર આગ લાગતી હોય છે. ત્યારે આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી અને તે અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી નથી જાણી શકાયું. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લાવવા માટે તજવીજ હાથ ધરી હતી. લાખો રુપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોય તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.      

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.


વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.