Surendranagarના ધ્રાંગધ્રાના એક કોમ્પ્લેક્ષમાં લાગી આગ, 15 દુકાનો આવી આગની ઝપેટમાં, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-11-07 12:33:55

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે  માલ-સામાનને તો નુકસાન પહોંચે છે પરંતુ લોકોના જીવન પર પણ સંકટ રહેલું હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આગને કારણે મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હોય. ત્યારે દિવાળી પહેલા સુરેન્દ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં કપડાની અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ. ધ્રાંગધ્રના મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી પરંતુ તે આગે વિકરાળ રૂપ લઈ લીધું અને તે આગ 15થી વધારે દુકાનોમાં પ્રસરી ગઈ. દુકાનો ઉપરાંત બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

 સુરેન્દ્રનગર: દિવાળી પહેલા જ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે.

અનેક વેપારીઓની બગડી દિવાળી!

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવાર દરમિયાન નવા કપડાની ખરીદી સહિતની વસ્તુઓ ખરીદતા હોય છે. દિવાળીને લઈ કપડા બજારમાં પણ લોકોની ચહલપહલ રહેતી હોય છે, વધારે સામાન પણ વેપારીઓએ ભર્યો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વેપારીઓની દિવાળી બગડી જઈ છે કારણ કે ધ્રાંગધ્રા શહેરમાં આવેલા વેદાંત કોમ્પ્લેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં 15 જેટલી દુકાનો આવી ગઈ છે. આગની જ્વાળા અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને દુર્ઘટના ભીષણ બની ગઈ. 

 આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે.

 આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી.

લાખો રુપિયાનો સામાન બળીને ખાખ થયા હોવાનું અનુમાન 

અનેક કારણોસર આગ લાગતી હોય છે. ત્યારે આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી અને તે અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી નથી જાણી શકાયું. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લાવવા માટે તજવીજ હાથ ધરી હતી. લાખો રુપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોય તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.      

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.