Surendranagarના ધ્રાંગધ્રાના એક કોમ્પ્લેક્ષમાં લાગી આગ, 15 દુકાનો આવી આગની ઝપેટમાં, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-11-07 12:33:55

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે  માલ-સામાનને તો નુકસાન પહોંચે છે પરંતુ લોકોના જીવન પર પણ સંકટ રહેલું હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આગને કારણે મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હોય. ત્યારે દિવાળી પહેલા સુરેન્દ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં કપડાની અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ. ધ્રાંગધ્રના મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી પરંતુ તે આગે વિકરાળ રૂપ લઈ લીધું અને તે આગ 15થી વધારે દુકાનોમાં પ્રસરી ગઈ. દુકાનો ઉપરાંત બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

 સુરેન્દ્રનગર: દિવાળી પહેલા જ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે.

અનેક વેપારીઓની બગડી દિવાળી!

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવાર દરમિયાન નવા કપડાની ખરીદી સહિતની વસ્તુઓ ખરીદતા હોય છે. દિવાળીને લઈ કપડા બજારમાં પણ લોકોની ચહલપહલ રહેતી હોય છે, વધારે સામાન પણ વેપારીઓએ ભર્યો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વેપારીઓની દિવાળી બગડી જઈ છે કારણ કે ધ્રાંગધ્રા શહેરમાં આવેલા વેદાંત કોમ્પ્લેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં 15 જેટલી દુકાનો આવી ગઈ છે. આગની જ્વાળા અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને દુર્ઘટના ભીષણ બની ગઈ. 

 આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે.

 આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી.

લાખો રુપિયાનો સામાન બળીને ખાખ થયા હોવાનું અનુમાન 

અનેક કારણોસર આગ લાગતી હોય છે. ત્યારે આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી અને તે અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી નથી જાણી શકાયું. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લાવવા માટે તજવીજ હાથ ધરી હતી. લાખો રુપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોય તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.      

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.

 ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.


થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .