Rajkot જેવો અગ્નિકાંડ Delhiમાં બન્યો! બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 જેટલા નવજાત શિશુઓના થયા મોત...


  • Published By :
  • Published Date : 2024-05-26 11:23:53

એક તરફ રાજકોટમાં બનેલી દુર્ઘટનાની વાતો કરી રહ્યા છીએ, અનેક બાળકોના મોત આમાં થયા છે તો બીજી તરફ આગની બીજી ઘટના દિલ્હીમાં બની છે.. દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં 6થી 7 જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે બીજા બાળકોને સારવાર માટે બીજે ખસેડવામાં આવ્યા છે.. 6 જેટલા નવજાત બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે.. એકાએક શનિવારે આગ ભભૂકી ઉઠી હતી.. 

 

બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 નવજાત શિશુઓના મોત

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોના મોત આગમાં બળી જવાને કારણે થઈ ગયા છે.. રાજકોટમાં બનેલી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ ત્યાં તો દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં સાત જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે 12 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું છે..રેસ્ક્યુ કરાયેલા બાળકોને બીજી હોસ્પિટલ સિફ્ટ કરવામાં આવ્યા છે.. 


રાજકોટમાં પણ થયો અગ્નિકાંડ!

મહત્વનું છે કે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. તાજેતરમાં જ આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં આગ લાગી અને લોકો મોતને ભેટી ગયા... રાજકોટમાં બનેલી ઘટનામાં પણ મૃત્યુઆંક 28 નજીક પહોંચી ગયો છે.. શહેર બદલાય છે, રાજ્ય બદલાય છે પરંતુ નથી બદલાતી તે પરિસ્થિતિ છે.. પરિવારજનોનો આક્રંદ નથી બદલાતો..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.