Rajkot જેવો અગ્નિકાંડ Delhiમાં બન્યો! બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 જેટલા નવજાત શિશુઓના થયા મોત...


  • Published By :
  • Published Date : 2024-05-26 11:23:53

એક તરફ રાજકોટમાં બનેલી દુર્ઘટનાની વાતો કરી રહ્યા છીએ, અનેક બાળકોના મોત આમાં થયા છે તો બીજી તરફ આગની બીજી ઘટના દિલ્હીમાં બની છે.. દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં 6થી 7 જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે બીજા બાળકોને સારવાર માટે બીજે ખસેડવામાં આવ્યા છે.. 6 જેટલા નવજાત બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે.. એકાએક શનિવારે આગ ભભૂકી ઉઠી હતી.. 

 

બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 નવજાત શિશુઓના મોત

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોના મોત આગમાં બળી જવાને કારણે થઈ ગયા છે.. રાજકોટમાં બનેલી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ ત્યાં તો દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં સાત જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે 12 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું છે..રેસ્ક્યુ કરાયેલા બાળકોને બીજી હોસ્પિટલ સિફ્ટ કરવામાં આવ્યા છે.. 


રાજકોટમાં પણ થયો અગ્નિકાંડ!

મહત્વનું છે કે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. તાજેતરમાં જ આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં આગ લાગી અને લોકો મોતને ભેટી ગયા... રાજકોટમાં બનેલી ઘટનામાં પણ મૃત્યુઆંક 28 નજીક પહોંચી ગયો છે.. શહેર બદલાય છે, રાજ્ય બદલાય છે પરંતુ નથી બદલાતી તે પરિસ્થિતિ છે.. પરિવારજનોનો આક્રંદ નથી બદલાતો..  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .