Rajkot જેવો અગ્નિકાંડ Delhiમાં બન્યો! બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 જેટલા નવજાત શિશુઓના થયા મોત...


  • Published By :
  • Published Date : 2024-05-26 11:23:53

એક તરફ રાજકોટમાં બનેલી દુર્ઘટનાની વાતો કરી રહ્યા છીએ, અનેક બાળકોના મોત આમાં થયા છે તો બીજી તરફ આગની બીજી ઘટના દિલ્હીમાં બની છે.. દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં 6થી 7 જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે બીજા બાળકોને સારવાર માટે બીજે ખસેડવામાં આવ્યા છે.. 6 જેટલા નવજાત બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે.. એકાએક શનિવારે આગ ભભૂકી ઉઠી હતી.. 

 

બેબી કેર સેન્ટરમાં લાગી આગ, 6 નવજાત શિશુઓના મોત

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોના મોત આગમાં બળી જવાને કારણે થઈ ગયા છે.. રાજકોટમાં બનેલી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ ત્યાં તો દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં આગ લાગી છે જેમાં સાત જેટલા નવજાત બાળકોના મોત થઈ ગયા છે જ્યારે 12 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું છે..રેસ્ક્યુ કરાયેલા બાળકોને બીજી હોસ્પિટલ સિફ્ટ કરવામાં આવ્યા છે.. 


રાજકોટમાં પણ થયો અગ્નિકાંડ!

મહત્વનું છે કે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.. તાજેતરમાં જ આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં આગ લાગી અને લોકો મોતને ભેટી ગયા... રાજકોટમાં બનેલી ઘટનામાં પણ મૃત્યુઆંક 28 નજીક પહોંચી ગયો છે.. શહેર બદલાય છે, રાજ્ય બદલાય છે પરંતુ નથી બદલાતી તે પરિસ્થિતિ છે.. પરિવારજનોનો આક્રંદ નથી બદલાતો..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.