Ahmedabad - Rajkot Highway પર Limbadi સર્કલના બ્રિજ પર પડ્યું ગાબડું! સવાલ થાય કે કરોડો રૂપિયા જાય છે ક્યાં?


  • Published By :
  • Published Date : 2024-07-27 17:06:19

બ્રિજ પર મસ મોટા ગાબડા પડવા જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. અનેક રસ્તાઓ, બ્રિજ એવા છે જ્યાં ભુવારાજ જોવા મળતો હોય છે. ત્યારે રાજકોટ હાઇવે પર લીંબડી સર્કલ પરના બ્રિજના દ્રશ્યો સામે આવ્યા છે. આ બ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું છે. લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. 

ઉદ્ધાટનના એક વર્ષની અંદર બ્રિજની થઈ આવી હાલત   

રસ્તાઓના નિર્માણ પાછળ કરોડો ખર્ચ થાય છે. આ બ્રિજના નિર્માણ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા હતા. એક વાત ખુબ અગત્યની છે કે , પુલના આ ભાગમાં વાહન વ્યવહાર બંધ છે , તે છતાં પુલ પર વાઈબ્રેશન થયા કરે છે અને પુલ ધધડે છે . ગઈકાલ રાતથી જ તંત્રએ આ બ્રિજ બંધ કરી દીધો હતો , નહિ તો અહીં ખુબ મોટા અકસ્માતની સંભાવના હતી . ઉદ્ઘાટનના એક વર્ષની અંદર બ્રિજમાં ભુવો પડવો તે ખુબ ચિંતાજનક વાત છે. વાત કરીએ બિહાર રાજ્યની તો ત્યાં તો હાલમાં પુલ તૂટવાની ઋતુ પૂરબહારમાં ખીલી છે . 



પહેલા વરસાદમાં જ ખૂલી જાય છે કામગીરીની પોલ!

તો આ તરફ ગુજરાતમાં રસ્તાઓ પર ભૂવાઓ અને ખાડાઓનું રાજ છે . અને આ ભૂવાઓ અને ખાડાઓએ ભ્રષ્ટાચારનું જીવતું અને જાગતું ઉદાહરણ છે . આ પ્રશ્ન જનતાને થવો જ જોઈએ કે પ્રીમોન્સૂન એકટીવીટીના નામે જે બજેટો ફળવાય છે તે બધા જાય છે ક્યાં? કારણ કે જેવો જ વરસાદ શરુ થાય એટલે રસ્તા પરનો ડામર પાણીની સાથે વહી જાય છે . તો અમને પણ કોમેન્ટ  બોક્સમાં લખીને જરૂર જણાવજો કે , તમારા વિસ્તારમાં કોઈ બ્રિજ કે પછી રસ્તા પર આવા ભૂવાઓ કે ખાડા પડ્યા છે?



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.