સીમા હૈદરની જેમ પ્રેમમાં પાગલ બનેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી! પરંતુ લવ સ્ટોરીમાં આવી ટ્વિસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-15 14:40:56

PUBG રમી ભારતીયના પ્રેમમાં પાગલ થયેલી સીમા હૈદર વિશે તો આપણે જાણીએ છીએ. પ્રેમ સાથે રહેવા માટે પાકિસ્તાનથી પોતાના ચાર બાળકોને લઈ ભારત આવી પહોંચી. આ ઘટનાને હજી લાંબો સમય નથી વિત્યો ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ વખતની જે કહાણી છે તેમાં છોકરી પાકિસ્તાનથી નહીં પરંતુ બાંગ્લાદેશથી આવી છે. પ્રેમમાં પાગલ થયેલી પ્રેમી પોતાનો દેશ છોડી ગેરકાયદેસર રીતે ભારત આવી પહોંચી છે.   


પ્રેમમાં પાગલ થયેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી 

કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદ નથી નડતી. સીમા હૈદરની પ્રેમ કહાનીથી આપણે સૌ વાકેફ છીએ પરંતુ જે વાત આજે કરવાની છે તે પશ્ચિમ બંગાળની છે. ત્યાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. સીમાને તો ખેર એનો સચિન મળી ગયો પણ આ યુવતીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. આ વાત છે બાંગ્લાદેશથી આવેલી 21 વર્ષિય સપલા અખ્તરની. સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી પકડી છે અત્યારે કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. 


સિલીગુડી રેલ્વે સ્ટેશનથી યુવતીની કરાઈ ધરપકડ 

આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમીને મળવા અહીં આવી હતી. પણ પ્રેમીને મળ્યાના થોડા દિવસો  બાદ તે ખબર પડી કે તેનો પ્રેમી દગાબાજ છે. તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવા માટે તૈયારીઓ કરી રહ્યો હતો. સિપલાને વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ.


પ્રેમમાં યુવતીને મળ્યો દગો

છોકરીએ પોલીસને જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજો ન હતા, તો તેણે જીવને જોખમમાં નાખી, પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીની વાત સાંભળ્યા બાદને હવે પોલીસ તે યુવકની શોધખોળ કરી રહી છે. તો આગળ આ કેસમાં શું થાય છે તે જોવાનું રહ્યું. 


સીમા અને સચિનની શું હતી લવસ્ટોરી? 

જો તમને સીમા અને સચિનની સ્ટોરી વિષે ખ્યાલ નથી તો સંક્ષિપ્તમાં કહું તો PUBG રમતી વખતે સીમા હૈદર સચિનને ​​મળી હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંનેએ પોતાના મોબાઈલ નંબર શેર કર્યા. ત્યારબાદ તે 10 માર્ચે નેપાળ આવી હતી. સીમાનો દાવો છે કે તેણે સચિન સાથે નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પાકિસ્તાન પરત ફર્યો હતો. પરંતુ તે સચિન સાથે જ રહેવા માંગતી હતી. જે બાદ તે 10 મેના રોજ પોતાના ચાર બાળકો સાથે કરાચી શહેરથી શારજાહ પહોંચી હતી. પછી ફ્લાઈટ દ્વારા કાઠમંડુ પહોંચ્યા. અને ખાનગી વાહન દ્વારા પોખરા પહોંચ્યા હતા. આ પછી બસમાં દિલ્હી આવી ગઈ!




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .