સીમા હૈદરની જેમ પ્રેમમાં પાગલ બનેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી! પરંતુ લવ સ્ટોરીમાં આવી ટ્વિસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-15 14:40:56

PUBG રમી ભારતીયના પ્રેમમાં પાગલ થયેલી સીમા હૈદર વિશે તો આપણે જાણીએ છીએ. પ્રેમ સાથે રહેવા માટે પાકિસ્તાનથી પોતાના ચાર બાળકોને લઈ ભારત આવી પહોંચી. આ ઘટનાને હજી લાંબો સમય નથી વિત્યો ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ વખતની જે કહાણી છે તેમાં છોકરી પાકિસ્તાનથી નહીં પરંતુ બાંગ્લાદેશથી આવી છે. પ્રેમમાં પાગલ થયેલી પ્રેમી પોતાનો દેશ છોડી ગેરકાયદેસર રીતે ભારત આવી પહોંચી છે.   


પ્રેમમાં પાગલ થયેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી 

કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદ નથી નડતી. સીમા હૈદરની પ્રેમ કહાનીથી આપણે સૌ વાકેફ છીએ પરંતુ જે વાત આજે કરવાની છે તે પશ્ચિમ બંગાળની છે. ત્યાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. સીમાને તો ખેર એનો સચિન મળી ગયો પણ આ યુવતીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. આ વાત છે બાંગ્લાદેશથી આવેલી 21 વર્ષિય સપલા અખ્તરની. સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી પકડી છે અત્યારે કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. 


સિલીગુડી રેલ્વે સ્ટેશનથી યુવતીની કરાઈ ધરપકડ 

આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમીને મળવા અહીં આવી હતી. પણ પ્રેમીને મળ્યાના થોડા દિવસો  બાદ તે ખબર પડી કે તેનો પ્રેમી દગાબાજ છે. તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવા માટે તૈયારીઓ કરી રહ્યો હતો. સિપલાને વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ.


પ્રેમમાં યુવતીને મળ્યો દગો

છોકરીએ પોલીસને જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજો ન હતા, તો તેણે જીવને જોખમમાં નાખી, પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીની વાત સાંભળ્યા બાદને હવે પોલીસ તે યુવકની શોધખોળ કરી રહી છે. તો આગળ આ કેસમાં શું થાય છે તે જોવાનું રહ્યું. 


સીમા અને સચિનની શું હતી લવસ્ટોરી? 

જો તમને સીમા અને સચિનની સ્ટોરી વિષે ખ્યાલ નથી તો સંક્ષિપ્તમાં કહું તો PUBG રમતી વખતે સીમા હૈદર સચિનને ​​મળી હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંનેએ પોતાના મોબાઈલ નંબર શેર કર્યા. ત્યારબાદ તે 10 માર્ચે નેપાળ આવી હતી. સીમાનો દાવો છે કે તેણે સચિન સાથે નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પાકિસ્તાન પરત ફર્યો હતો. પરંતુ તે સચિન સાથે જ રહેવા માંગતી હતી. જે બાદ તે 10 મેના રોજ પોતાના ચાર બાળકો સાથે કરાચી શહેરથી શારજાહ પહોંચી હતી. પછી ફ્લાઈટ દ્વારા કાઠમંડુ પહોંચ્યા. અને ખાનગી વાહન દ્વારા પોખરા પહોંચ્યા હતા. આ પછી બસમાં દિલ્હી આવી ગઈ!




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.