સીમા હૈદરની જેમ પ્રેમમાં પાગલ બનેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી! પરંતુ લવ સ્ટોરીમાં આવી ટ્વિસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-15 14:40:56

PUBG રમી ભારતીયના પ્રેમમાં પાગલ થયેલી સીમા હૈદર વિશે તો આપણે જાણીએ છીએ. પ્રેમ સાથે રહેવા માટે પાકિસ્તાનથી પોતાના ચાર બાળકોને લઈ ભારત આવી પહોંચી. આ ઘટનાને હજી લાંબો સમય નથી વિત્યો ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ વખતની જે કહાણી છે તેમાં છોકરી પાકિસ્તાનથી નહીં પરંતુ બાંગ્લાદેશથી આવી છે. પ્રેમમાં પાગલ થયેલી પ્રેમી પોતાનો દેશ છોડી ગેરકાયદેસર રીતે ભારત આવી પહોંચી છે.   


પ્રેમમાં પાગલ થયેલી યુવતી બાંગ્લાદેશથી ભારત આવી પહોંચી 

કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદ નથી નડતી. સીમા હૈદરની પ્રેમ કહાનીથી આપણે સૌ વાકેફ છીએ પરંતુ જે વાત આજે કરવાની છે તે પશ્ચિમ બંગાળની છે. ત્યાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. સીમાને તો ખેર એનો સચિન મળી ગયો પણ આ યુવતીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. આ વાત છે બાંગ્લાદેશથી આવેલી 21 વર્ષિય સપલા અખ્તરની. સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી પકડી છે અત્યારે કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. 


સિલીગુડી રેલ્વે સ્ટેશનથી યુવતીની કરાઈ ધરપકડ 

આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમીને મળવા અહીં આવી હતી. પણ પ્રેમીને મળ્યાના થોડા દિવસો  બાદ તે ખબર પડી કે તેનો પ્રેમી દગાબાજ છે. તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવા માટે તૈયારીઓ કરી રહ્યો હતો. સિપલાને વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ.


પ્રેમમાં યુવતીને મળ્યો દગો

છોકરીએ પોલીસને જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજો ન હતા, તો તેણે જીવને જોખમમાં નાખી, પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીની વાત સાંભળ્યા બાદને હવે પોલીસ તે યુવકની શોધખોળ કરી રહી છે. તો આગળ આ કેસમાં શું થાય છે તે જોવાનું રહ્યું. 


સીમા અને સચિનની શું હતી લવસ્ટોરી? 

જો તમને સીમા અને સચિનની સ્ટોરી વિષે ખ્યાલ નથી તો સંક્ષિપ્તમાં કહું તો PUBG રમતી વખતે સીમા હૈદર સચિનને ​​મળી હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંનેએ પોતાના મોબાઈલ નંબર શેર કર્યા. ત્યારબાદ તે 10 માર્ચે નેપાળ આવી હતી. સીમાનો દાવો છે કે તેણે સચિન સાથે નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પાકિસ્તાન પરત ફર્યો હતો. પરંતુ તે સચિન સાથે જ રહેવા માંગતી હતી. જે બાદ તે 10 મેના રોજ પોતાના ચાર બાળકો સાથે કરાચી શહેરથી શારજાહ પહોંચી હતી. પછી ફ્લાઈટ દ્વારા કાઠમંડુ પહોંચ્યા. અને ખાનગી વાહન દ્વારા પોખરા પહોંચ્યા હતા. આ પછી બસમાં દિલ્હી આવી ગઈ!




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.