ગુજરાતી સાહિત્ય જગતને પડી મોટી ખોટ, સાહિત્યકાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-03-10 17:21:41

ગુજરાત સાહિત્યમાં નવલકથાકાર, નાટ્યકાર તેમજ અનુવાદ તરીકે પોતાનું આગવું સ્થાન બનાવનાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 97 વર્ષે ધીરૂબહેને દુનિયાને અલવિદા કહ્યું છે. ભવની ભવાઈ ફિલ્મને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મળ્યું હતું જેની લેખની ધીરૂબહેને કરી હતી. તેમના લેખોને કારણે વિશ્વસ્તરે તેમણે નામના મેળવી હતી. 2002માં તેમને સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ફિલ્મ 'ભવની ભવાઇ' ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી.

ધીરૂબહેનને મળ્યો હતો શબ્દોનો વારસો   

29 મે 1926ના રોજ વડોદરાના ધર્મજમાં ધીરૂબેનનો જન્મ થયો હતો. સાન્તાક્રુઝની સ્કુલમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1949થી મંબઈની ભવન્સ કોલેજમાં અને પછી દહિસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે ડ્યુટી કરી હતી. ધીરૂબહેનના પિતા અંગેજી અને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે આગવું નામ ધરાવતા હતા જ્યારે તેમની માતા પણ આ પતિના રંગે રંગાઈ ગયા. ધીરૂબહેનને શબ્દોનો વારસો મળ્યો હતો. 


અનેક વખત ધીરૂબહેન પટેલનું કરાયું છે સન્માન  

પોતાના જીવનકાળ દરમિયાન સાહિત્ય ક્ષેત્રે તેમણે ઘણું યોગદાન આપ્યું હતું.તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, હાસ્યકથાઓ, બાળસાહિત્ય અને કાવ્ય જેવા અનેક સાહિત્યોનું સર્જન કર્યું હતું.  ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે 2003-2004માં તેમણે ફરજ નિભાવી હતી. જીવનકાળ દરમિયાન ધીરૂબહેનને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1980માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1981માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને મુન્શી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. 





સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન

સાહિત્યમાં તેમના યોગદાનને સન્માનિત કરવા ધીરૂબહેનને વર્ષ 2002માં તેમણે સાહિત્ય પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. ધીરૂબહેનના સર્જનોની વાત કરીએ તો તેમાં અધૂરો કૉલ, એક લહર, વિશ્રંભકથા વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. વડવાનલ, શીમળાનાં ફૂલ, વાવંટોળ સહિતની અનેક તેમની નવલકથાઓ છે. બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. અંડેરી ગંડેરી ટીપરીટેન, સૂતરફેણી, મમ્મી તું આવી કેવી?, છબીલના છબરડા વગેરે તેમના બાળનાટકો છે. જેફ વયે તેમનું નિધન થતાં ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.