ગુજરાતી સાહિત્ય જગતને પડી મોટી ખોટ, સાહિત્યકાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-03-10 17:21:41

ગુજરાત સાહિત્યમાં નવલકથાકાર, નાટ્યકાર તેમજ અનુવાદ તરીકે પોતાનું આગવું સ્થાન બનાવનાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 97 વર્ષે ધીરૂબહેને દુનિયાને અલવિદા કહ્યું છે. ભવની ભવાઈ ફિલ્મને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મળ્યું હતું જેની લેખની ધીરૂબહેને કરી હતી. તેમના લેખોને કારણે વિશ્વસ્તરે તેમણે નામના મેળવી હતી. 2002માં તેમને સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ફિલ્મ 'ભવની ભવાઇ' ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી.

ધીરૂબહેનને મળ્યો હતો શબ્દોનો વારસો   

29 મે 1926ના રોજ વડોદરાના ધર્મજમાં ધીરૂબેનનો જન્મ થયો હતો. સાન્તાક્રુઝની સ્કુલમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1949થી મંબઈની ભવન્સ કોલેજમાં અને પછી દહિસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે ડ્યુટી કરી હતી. ધીરૂબહેનના પિતા અંગેજી અને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે આગવું નામ ધરાવતા હતા જ્યારે તેમની માતા પણ આ પતિના રંગે રંગાઈ ગયા. ધીરૂબહેનને શબ્દોનો વારસો મળ્યો હતો. 


અનેક વખત ધીરૂબહેન પટેલનું કરાયું છે સન્માન  

પોતાના જીવનકાળ દરમિયાન સાહિત્ય ક્ષેત્રે તેમણે ઘણું યોગદાન આપ્યું હતું.તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, હાસ્યકથાઓ, બાળસાહિત્ય અને કાવ્ય જેવા અનેક સાહિત્યોનું સર્જન કર્યું હતું.  ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે 2003-2004માં તેમણે ફરજ નિભાવી હતી. જીવનકાળ દરમિયાન ધીરૂબહેનને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1980માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1981માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને મુન્શી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. 





સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન

સાહિત્યમાં તેમના યોગદાનને સન્માનિત કરવા ધીરૂબહેનને વર્ષ 2002માં તેમણે સાહિત્ય પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. ધીરૂબહેનના સર્જનોની વાત કરીએ તો તેમાં અધૂરો કૉલ, એક લહર, વિશ્રંભકથા વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. વડવાનલ, શીમળાનાં ફૂલ, વાવંટોળ સહિતની અનેક તેમની નવલકથાઓ છે. બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. અંડેરી ગંડેરી ટીપરીટેન, સૂતરફેણી, મમ્મી તું આવી કેવી?, છબીલના છબરડા વગેરે તેમના બાળનાટકો છે. જેફ વયે તેમનું નિધન થતાં ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.