ગુજરાતી સાહિત્ય જગતને પડી મોટી ખોટ, સાહિત્યકાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-03-10 17:21:41

ગુજરાત સાહિત્યમાં નવલકથાકાર, નાટ્યકાર તેમજ અનુવાદ તરીકે પોતાનું આગવું સ્થાન બનાવનાર ધીરૂબહેન પટેલે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 97 વર્ષે ધીરૂબહેને દુનિયાને અલવિદા કહ્યું છે. ભવની ભવાઈ ફિલ્મને ઓસ્કાર નોમિનેશનમાં સ્થાન મળ્યું હતું જેની લેખની ધીરૂબહેને કરી હતી. તેમના લેખોને કારણે વિશ્વસ્તરે તેમણે નામના મેળવી હતી. 2002માં તેમને સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ફિલ્મ 'ભવની ભવાઇ' ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી.

ધીરૂબહેનને મળ્યો હતો શબ્દોનો વારસો   

29 મે 1926ના રોજ વડોદરાના ધર્મજમાં ધીરૂબેનનો જન્મ થયો હતો. સાન્તાક્રુઝની સ્કુલમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1949થી મંબઈની ભવન્સ કોલેજમાં અને પછી દહિસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે ડ્યુટી કરી હતી. ધીરૂબહેનના પિતા અંગેજી અને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે આગવું નામ ધરાવતા હતા જ્યારે તેમની માતા પણ આ પતિના રંગે રંગાઈ ગયા. ધીરૂબહેનને શબ્દોનો વારસો મળ્યો હતો. 


અનેક વખત ધીરૂબહેન પટેલનું કરાયું છે સન્માન  

પોતાના જીવનકાળ દરમિયાન સાહિત્ય ક્ષેત્રે તેમણે ઘણું યોગદાન આપ્યું હતું.તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, હાસ્યકથાઓ, બાળસાહિત્ય અને કાવ્ય જેવા અનેક સાહિત્યોનું સર્જન કર્યું હતું.  ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે 2003-2004માં તેમણે ફરજ નિભાવી હતી. જીવનકાળ દરમિયાન ધીરૂબહેનને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1980માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1981માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને મુન્શી સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. 





સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન

સાહિત્યમાં તેમના યોગદાનને સન્માનિત કરવા ધીરૂબહેનને વર્ષ 2002માં તેમણે સાહિત્ય પુરસ્કારથી નવાઝવામાં આવ્યા હતા. ધીરૂબહેનના સર્જનોની વાત કરીએ તો તેમાં અધૂરો કૉલ, એક લહર, વિશ્રંભકથા વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. વડવાનલ, શીમળાનાં ફૂલ, વાવંટોળ સહિતની અનેક તેમની નવલકથાઓ છે. બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. અંડેરી ગંડેરી ટીપરીટેન, સૂતરફેણી, મમ્મી તું આવી કેવી?, છબીલના છબરડા વગેરે તેમના બાળનાટકો છે. જેફ વયે તેમનું નિધન થતાં ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે.      




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.