Jamnagarમાં Ganesh Chaturthi પર એક ગ્રુપે ગણપતિજીની અનોખી મૂર્તિ બનાવી, જાણો મૂર્તિમાં શું છે ખાસ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 11:29:36

આવતી કાલે ગણેશ ચતુર્થીનો પર્વ છે. સમગ્ર દેશમાં આ તહેવારની ધામધૂકપૂર્વક ઉજવણી થતી હોય છે. ગણપતિ મહોત્સવ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન દેખાતા હોય છે. ગણેશ ચતુર્થીને લઈ બાપ્પાની અલગ અલગ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. ભવ્યથી અતિભવ્ય સ્વરૂપમાં ભગવાન ગણપતિ દેખાતા હોય છે. ઈકોફેન્ડલી ગણપતિનો કેઝ પ્રતિદિન વધી રહ્યો છે. આપણી ઉજવણીને કારણે પ્રકૃતિને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન આજકાલ લોકો રાખી રહ્યા છે. પીઓપીની મૂર્તિને કારણે પ્રકૃતિને નુકસાન થતું હોય છે જેને કારણે લોકો હવે ઈકોફેન્ડલી ગણપતિ તરફ વળ્યા છે. ત્યારે જામનગરમાં અનોખા ગણપતિની થીમ સામે આવી છે!

દગડું શેઠ ગણપતિ પંડાલમાં ગણપતિ બાપ્પા લેપટોપ સાથે બિરાજશે! 

ધર્મ અને ભણતરનો બેજોડ સમન્વય કરી જામનગરના દગડું શેઠ ગણપતિ પંડાલ દ્વારા અનોખી રીતે ગણપતિની સ્થાપના કરવામાં આવશે...આ પંડાલએ આઠ વાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ ગ્રુપના સદસ્યો છેલ્લા સવા મહિનાથી ગણપતિની વિશિષ્ટ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી રહ્યા છે.. હવે તમને થશે કે મૂર્તિમાં ખાસ શું છે તો અહીં દુંદાળા દેવ બિરાજશે હાથમાં લેપટોપ લઈને.... સાથે સાથે 20 ફૂટથી વધુની એક બોલપેન તૈયાર કરી છે.


આ વસ્તુઓની મદદથી બનાવવામાં આવી છે ઈકોફ્રેન્ડલી મૂર્તિ 

આ મૂર્તિ બનાવતી વખતે ગ્રુપે પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખ્યો છે. મૂર્તિના નિર્માણ દરમિયાન દરિયાઈ રેતી , નદીની રેતી , સફેદ રેતી , શંખ ,છીપલા અને કંતાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી પ્રાકૃતિક વસ્તુથી દુંદાળા દેવની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિના નિર્માણમાં કુલ 50 કિલો જેટલી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તેમાં અલગ કાપડ અને કંતાનની મદદથી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે સાથે સાથે ગણપતિના આભૂષણો તૈયાર કરવા માટે છીપલા, શંખલા, સ્ટોન વગેરેનો ઉપયોગ કરીને તેના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે.


આઠ વાર ગ્રુપે દર્જ કર્યું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ!

હવે આ ગ્રુપની વાત કરીએ તો, આ ગ્રુપ અનેક વખત વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવી ચૂક્યું છે. એઇટ વન્ડર ગ્રુપનું નામ આઠ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવી ચુક્યૂં છે. ત્યારે નવમી વખત વર્લ્ડ રેકોર્ડ દર્જ કરાવવા માટે આ ગ્રુપ દ્વારા 20 ફૂટ થી વધુ લાંબી બોલપેન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઈનર કેપ આઉટર કેપ પેનમાં વાપરવામાં આવતી શાહી જે 5 લીટરથી વધુ નાખવામાં આવશે.... અને આ ગ્રુપ દ્વારા નવમી વખત વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. મહત્વનું છે કે આપણે પણ આપણા ઘરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિ ઘરે લાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.