Jamnagarમાં Ganesh Chaturthi પર એક ગ્રુપે ગણપતિજીની અનોખી મૂર્તિ બનાવી, જાણો મૂર્તિમાં શું છે ખાસ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 11:29:36

આવતી કાલે ગણેશ ચતુર્થીનો પર્વ છે. સમગ્ર દેશમાં આ તહેવારની ધામધૂકપૂર્વક ઉજવણી થતી હોય છે. ગણપતિ મહોત્સવ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન દેખાતા હોય છે. ગણેશ ચતુર્થીને લઈ બાપ્પાની અલગ અલગ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. ભવ્યથી અતિભવ્ય સ્વરૂપમાં ભગવાન ગણપતિ દેખાતા હોય છે. ઈકોફેન્ડલી ગણપતિનો કેઝ પ્રતિદિન વધી રહ્યો છે. આપણી ઉજવણીને કારણે પ્રકૃતિને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન આજકાલ લોકો રાખી રહ્યા છે. પીઓપીની મૂર્તિને કારણે પ્રકૃતિને નુકસાન થતું હોય છે જેને કારણે લોકો હવે ઈકોફેન્ડલી ગણપતિ તરફ વળ્યા છે. ત્યારે જામનગરમાં અનોખા ગણપતિની થીમ સામે આવી છે!

દગડું શેઠ ગણપતિ પંડાલમાં ગણપતિ બાપ્પા લેપટોપ સાથે બિરાજશે! 

ધર્મ અને ભણતરનો બેજોડ સમન્વય કરી જામનગરના દગડું શેઠ ગણપતિ પંડાલ દ્વારા અનોખી રીતે ગણપતિની સ્થાપના કરવામાં આવશે...આ પંડાલએ આઠ વાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ ગ્રુપના સદસ્યો છેલ્લા સવા મહિનાથી ગણપતિની વિશિષ્ટ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી રહ્યા છે.. હવે તમને થશે કે મૂર્તિમાં ખાસ શું છે તો અહીં દુંદાળા દેવ બિરાજશે હાથમાં લેપટોપ લઈને.... સાથે સાથે 20 ફૂટથી વધુની એક બોલપેન તૈયાર કરી છે.


આ વસ્તુઓની મદદથી બનાવવામાં આવી છે ઈકોફ્રેન્ડલી મૂર્તિ 

આ મૂર્તિ બનાવતી વખતે ગ્રુપે પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખ્યો છે. મૂર્તિના નિર્માણ દરમિયાન દરિયાઈ રેતી , નદીની રેતી , સફેદ રેતી , શંખ ,છીપલા અને કંતાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી પ્રાકૃતિક વસ્તુથી દુંદાળા દેવની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિના નિર્માણમાં કુલ 50 કિલો જેટલી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તેમાં અલગ કાપડ અને કંતાનની મદદથી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે સાથે સાથે ગણપતિના આભૂષણો તૈયાર કરવા માટે છીપલા, શંખલા, સ્ટોન વગેરેનો ઉપયોગ કરીને તેના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે.


આઠ વાર ગ્રુપે દર્જ કર્યું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ!

હવે આ ગ્રુપની વાત કરીએ તો, આ ગ્રુપ અનેક વખત વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવી ચૂક્યું છે. એઇટ વન્ડર ગ્રુપનું નામ આઠ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવી ચુક્યૂં છે. ત્યારે નવમી વખત વર્લ્ડ રેકોર્ડ દર્જ કરાવવા માટે આ ગ્રુપ દ્વારા 20 ફૂટ થી વધુ લાંબી બોલપેન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઈનર કેપ આઉટર કેપ પેનમાં વાપરવામાં આવતી શાહી જે 5 લીટરથી વધુ નાખવામાં આવશે.... અને આ ગ્રુપ દ્વારા નવમી વખત વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. મહત્વનું છે કે આપણે પણ આપણા ઘરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિ ઘરે લાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.