Jamnagarમાં Ganesh Chaturthi પર એક ગ્રુપે ગણપતિજીની અનોખી મૂર્તિ બનાવી, જાણો મૂર્તિમાં શું છે ખાસ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 11:29:36

આવતી કાલે ગણેશ ચતુર્થીનો પર્વ છે. સમગ્ર દેશમાં આ તહેવારની ધામધૂકપૂર્વક ઉજવણી થતી હોય છે. ગણપતિ મહોત્સવ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન દેખાતા હોય છે. ગણેશ ચતુર્થીને લઈ બાપ્પાની અલગ અલગ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. ભવ્યથી અતિભવ્ય સ્વરૂપમાં ભગવાન ગણપતિ દેખાતા હોય છે. ઈકોફેન્ડલી ગણપતિનો કેઝ પ્રતિદિન વધી રહ્યો છે. આપણી ઉજવણીને કારણે પ્રકૃતિને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન આજકાલ લોકો રાખી રહ્યા છે. પીઓપીની મૂર્તિને કારણે પ્રકૃતિને નુકસાન થતું હોય છે જેને કારણે લોકો હવે ઈકોફેન્ડલી ગણપતિ તરફ વળ્યા છે. ત્યારે જામનગરમાં અનોખા ગણપતિની થીમ સામે આવી છે!

દગડું શેઠ ગણપતિ પંડાલમાં ગણપતિ બાપ્પા લેપટોપ સાથે બિરાજશે! 

ધર્મ અને ભણતરનો બેજોડ સમન્વય કરી જામનગરના દગડું શેઠ ગણપતિ પંડાલ દ્વારા અનોખી રીતે ગણપતિની સ્થાપના કરવામાં આવશે...આ પંડાલએ આઠ વાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ ગ્રુપના સદસ્યો છેલ્લા સવા મહિનાથી ગણપતિની વિશિષ્ટ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી રહ્યા છે.. હવે તમને થશે કે મૂર્તિમાં ખાસ શું છે તો અહીં દુંદાળા દેવ બિરાજશે હાથમાં લેપટોપ લઈને.... સાથે સાથે 20 ફૂટથી વધુની એક બોલપેન તૈયાર કરી છે.


આ વસ્તુઓની મદદથી બનાવવામાં આવી છે ઈકોફ્રેન્ડલી મૂર્તિ 

આ મૂર્તિ બનાવતી વખતે ગ્રુપે પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખ્યો છે. મૂર્તિના નિર્માણ દરમિયાન દરિયાઈ રેતી , નદીની રેતી , સફેદ રેતી , શંખ ,છીપલા અને કંતાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી પ્રાકૃતિક વસ્તુથી દુંદાળા દેવની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિના નિર્માણમાં કુલ 50 કિલો જેટલી રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તેમાં અલગ કાપડ અને કંતાનની મદદથી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે સાથે સાથે ગણપતિના આભૂષણો તૈયાર કરવા માટે છીપલા, શંખલા, સ્ટોન વગેરેનો ઉપયોગ કરીને તેના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે.


આઠ વાર ગ્રુપે દર્જ કર્યું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ!

હવે આ ગ્રુપની વાત કરીએ તો, આ ગ્રુપ અનેક વખત વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવી ચૂક્યું છે. એઇટ વન્ડર ગ્રુપનું નામ આઠ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવી ચુક્યૂં છે. ત્યારે નવમી વખત વર્લ્ડ રેકોર્ડ દર્જ કરાવવા માટે આ ગ્રુપ દ્વારા 20 ફૂટ થી વધુ લાંબી બોલપેન તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ઈનર કેપ આઉટર કેપ પેનમાં વાપરવામાં આવતી શાહી જે 5 લીટરથી વધુ નાખવામાં આવશે.... અને આ ગ્રુપ દ્વારા નવમી વખત વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. મહત્વનું છે કે આપણે પણ આપણા ઘરમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિ ઘરે લાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.