27 વર્ષથી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગુજરાતી ડ્રાઈવરને કરાશે સન્માનિત! રાષ્ટ્રપતિ કરશે ખેરાલુ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરનું સન્માન


  • Published By :
  • Published Date : 2023-04-17 16:34:00

કહેવાય છે કે જો તમે પ્રામાણિક્તાથી કામ કરતા હશો તો તેની કદર આજે નહીં તો આવનાર સમયમાં તો થતી જ હોય છે. પ્રામાણિક પણે કરવામાં આવતું કામ તમને નવી ઓળખાણ અપાવતી હોય છે. ત્યારે આવી જ ઘટના ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવર સાથે બની. પોતાની નોકરી દરમિયાન એક પણ દિવસ રજા ન મૂકનાર અને એક પણ અકસ્માત ન કરનાર બસ ડ્રાઈવરનું દિલ્હી ખાતે સન્માન થવાનું છે.ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરૂભાઈની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા આ ડાઈવરનું સન્માન કરવામાં આવવાનું છે. તેમની પસંદગી રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ માટે કરવામાં આવી છે.      


પ્રથમ ડ્રાઈવર છે જેનુ રાષ્ટ્રપતિ દ્વારા કરાશે સન્માન  

ખેરાલુમાં બસ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા 56 વર્ષીય પીરૂભાઈ મીરનું સન્માન રાષ્ટ્રપતિ કરવાના છે. 27 વર્ષની પોતાની ફરજ દરમિયાન તેમણે એક પણ અકસ્માત નથી સર્જ્યો ઉપરાંત એક પણ રજા નથી મૂકી. ઉપરાંત પોતાની સૂઝબૂઝથી બસ ચલાવી અત્યાર સુધીમાં ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી છે. ઉપરાંત પીરૂભાઈ વિરૂદ્ધ કોઈ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી. તેમની પસંદગી થયા બાદ ખેરાલુ બસ સ્ટેશનમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. 


વફાદારીથી કરવામાં આવેલા કામની થાય છે કદર!

સરકારી બસોના ડ્રાઈવર અનેક વખત એવી રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માત સર્જાતા હોય છે. અનેક સરકારી કર્મચારીઓ એવા હોય છે કે પોતાની ફરજમાંથી ગુલી મારતા હોય છે. ત્યારે વફાદારી દ્વારા કરવામાં આવેલા કામની કદર થાય છે તે પીરૂભાઈને જોઈને લાગે છે. તે પ્રથમ ડાઈવર છે જેનું સન્માન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. 18 એપ્રિલે તેમને આ સન્માન આપવામાં આવશે. ફરજને સમર્પિત હોવાને કારણે તેમને પોતાના કાર્યનું ફળ મળ્યું છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.