27 વર્ષથી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગુજરાતી ડ્રાઈવરને કરાશે સન્માનિત! રાષ્ટ્રપતિ કરશે ખેરાલુ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરનું સન્માન


  • Published By :
  • Published Date : 2023-04-17 16:34:00

કહેવાય છે કે જો તમે પ્રામાણિક્તાથી કામ કરતા હશો તો તેની કદર આજે નહીં તો આવનાર સમયમાં તો થતી જ હોય છે. પ્રામાણિક પણે કરવામાં આવતું કામ તમને નવી ઓળખાણ અપાવતી હોય છે. ત્યારે આવી જ ઘટના ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવર સાથે બની. પોતાની નોકરી દરમિયાન એક પણ દિવસ રજા ન મૂકનાર અને એક પણ અકસ્માત ન કરનાર બસ ડ્રાઈવરનું દિલ્હી ખાતે સન્માન થવાનું છે.ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરૂભાઈની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા આ ડાઈવરનું સન્માન કરવામાં આવવાનું છે. તેમની પસંદગી રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ માટે કરવામાં આવી છે.      


પ્રથમ ડ્રાઈવર છે જેનુ રાષ્ટ્રપતિ દ્વારા કરાશે સન્માન  

ખેરાલુમાં બસ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા 56 વર્ષીય પીરૂભાઈ મીરનું સન્માન રાષ્ટ્રપતિ કરવાના છે. 27 વર્ષની પોતાની ફરજ દરમિયાન તેમણે એક પણ અકસ્માત નથી સર્જ્યો ઉપરાંત એક પણ રજા નથી મૂકી. ઉપરાંત પોતાની સૂઝબૂઝથી બસ ચલાવી અત્યાર સુધીમાં ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી છે. ઉપરાંત પીરૂભાઈ વિરૂદ્ધ કોઈ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી. તેમની પસંદગી થયા બાદ ખેરાલુ બસ સ્ટેશનમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. 


વફાદારીથી કરવામાં આવેલા કામની થાય છે કદર!

સરકારી બસોના ડ્રાઈવર અનેક વખત એવી રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માત સર્જાતા હોય છે. અનેક સરકારી કર્મચારીઓ એવા હોય છે કે પોતાની ફરજમાંથી ગુલી મારતા હોય છે. ત્યારે વફાદારી દ્વારા કરવામાં આવેલા કામની કદર થાય છે તે પીરૂભાઈને જોઈને લાગે છે. તે પ્રથમ ડાઈવર છે જેનું સન્માન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. 18 એપ્રિલે તેમને આ સન્માન આપવામાં આવશે. ફરજને સમર્પિત હોવાને કારણે તેમને પોતાના કાર્યનું ફળ મળ્યું છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.