27 વર્ષથી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગુજરાતી ડ્રાઈવરને કરાશે સન્માનિત! રાષ્ટ્રપતિ કરશે ખેરાલુ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરનું સન્માન


  • Published By :
  • Published Date : 2023-04-17 16:34:00

કહેવાય છે કે જો તમે પ્રામાણિક્તાથી કામ કરતા હશો તો તેની કદર આજે નહીં તો આવનાર સમયમાં તો થતી જ હોય છે. પ્રામાણિક પણે કરવામાં આવતું કામ તમને નવી ઓળખાણ અપાવતી હોય છે. ત્યારે આવી જ ઘટના ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવર સાથે બની. પોતાની નોકરી દરમિયાન એક પણ દિવસ રજા ન મૂકનાર અને એક પણ અકસ્માત ન કરનાર બસ ડ્રાઈવરનું દિલ્હી ખાતે સન્માન થવાનું છે.ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરૂભાઈની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા આ ડાઈવરનું સન્માન કરવામાં આવવાનું છે. તેમની પસંદગી રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ માટે કરવામાં આવી છે.      


પ્રથમ ડ્રાઈવર છે જેનુ રાષ્ટ્રપતિ દ્વારા કરાશે સન્માન  

ખેરાલુમાં બસ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા 56 વર્ષીય પીરૂભાઈ મીરનું સન્માન રાષ્ટ્રપતિ કરવાના છે. 27 વર્ષની પોતાની ફરજ દરમિયાન તેમણે એક પણ અકસ્માત નથી સર્જ્યો ઉપરાંત એક પણ રજા નથી મૂકી. ઉપરાંત પોતાની સૂઝબૂઝથી બસ ચલાવી અત્યાર સુધીમાં ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી છે. ઉપરાંત પીરૂભાઈ વિરૂદ્ધ કોઈ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી. તેમની પસંદગી થયા બાદ ખેરાલુ બસ સ્ટેશનમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. 


વફાદારીથી કરવામાં આવેલા કામની થાય છે કદર!

સરકારી બસોના ડ્રાઈવર અનેક વખત એવી રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માત સર્જાતા હોય છે. અનેક સરકારી કર્મચારીઓ એવા હોય છે કે પોતાની ફરજમાંથી ગુલી મારતા હોય છે. ત્યારે વફાદારી દ્વારા કરવામાં આવેલા કામની કદર થાય છે તે પીરૂભાઈને જોઈને લાગે છે. તે પ્રથમ ડાઈવર છે જેનું સન્માન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. 18 એપ્રિલે તેમને આ સન્માન આપવામાં આવશે. ફરજને સમર્પિત હોવાને કારણે તેમને પોતાના કાર્યનું ફળ મળ્યું છે.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.