27 વર્ષથી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગુજરાતી ડ્રાઈવરને કરાશે સન્માનિત! રાષ્ટ્રપતિ કરશે ખેરાલુ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરનું સન્માન


  • Published By :
  • Published Date : 2023-04-17 16:34:00

કહેવાય છે કે જો તમે પ્રામાણિક્તાથી કામ કરતા હશો તો તેની કદર આજે નહીં તો આવનાર સમયમાં તો થતી જ હોય છે. પ્રામાણિક પણે કરવામાં આવતું કામ તમને નવી ઓળખાણ અપાવતી હોય છે. ત્યારે આવી જ ઘટના ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવર સાથે બની. પોતાની નોકરી દરમિયાન એક પણ દિવસ રજા ન મૂકનાર અને એક પણ અકસ્માત ન કરનાર બસ ડ્રાઈવરનું દિલ્હી ખાતે સન્માન થવાનું છે.ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરૂભાઈની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા આ ડાઈવરનું સન્માન કરવામાં આવવાનું છે. તેમની પસંદગી રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ માટે કરવામાં આવી છે.      


પ્રથમ ડ્રાઈવર છે જેનુ રાષ્ટ્રપતિ દ્વારા કરાશે સન્માન  

ખેરાલુમાં બસ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા 56 વર્ષીય પીરૂભાઈ મીરનું સન્માન રાષ્ટ્રપતિ કરવાના છે. 27 વર્ષની પોતાની ફરજ દરમિયાન તેમણે એક પણ અકસ્માત નથી સર્જ્યો ઉપરાંત એક પણ રજા નથી મૂકી. ઉપરાંત પોતાની સૂઝબૂઝથી બસ ચલાવી અત્યાર સુધીમાં ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી છે. ઉપરાંત પીરૂભાઈ વિરૂદ્ધ કોઈ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી. તેમની પસંદગી થયા બાદ ખેરાલુ બસ સ્ટેશનમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. 


વફાદારીથી કરવામાં આવેલા કામની થાય છે કદર!

સરકારી બસોના ડ્રાઈવર અનેક વખત એવી રીતે વાહન ચલાવતા હોય છે કે અકસ્માત સર્જાતા હોય છે. અનેક સરકારી કર્મચારીઓ એવા હોય છે કે પોતાની ફરજમાંથી ગુલી મારતા હોય છે. ત્યારે વફાદારી દ્વારા કરવામાં આવેલા કામની કદર થાય છે તે પીરૂભાઈને જોઈને લાગે છે. તે પ્રથમ ડાઈવર છે જેનું સન્માન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. 18 એપ્રિલે તેમને આ સન્માન આપવામાં આવશે. ફરજને સમર્પિત હોવાને કારણે તેમને પોતાના કાર્યનું ફળ મળ્યું છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.