ગુરુગ્રામના સ્ટાર્ટઅપે અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના 124 વિદ્યાર્થીઓ સાથે આચરી છેતરપિંડી, રૂ. 2.5 કરોડની લીધી લોન


  • Published By :
  • Published Date : 2023-11-27 18:55:36

ગુજરાતના 100 થી વધુ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આમાં ગુરુગ્રામના એક સ્ટાર્ટઅપે પહેલા કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા પ્રોબેશન તરીકે નોકરી આપી અને પછી વિદ્યાર્થીઓના નામે બેંકમાંથી લોન લીધી હતી. આ લોન એજ્યુકેશન લોન તરીકે લેવામાં આવી હતી. વર્ક ફ્રોમ હોમ દ્વારા સ્ટાર્ટઅપમાં કામ કરતા વિદ્યાર્થીઓને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓને બેંક તરફથી ઈએમઆઈ (હપતો) ભરવાના મેસેજ આવવા લાગ્યા. આ પછી, જ્યારે વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ પ્રતિનિધિઓ સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે લોનની રકમ થોડા દિવસોમાં તેમના પગારમાં એડજસ્ટ કરી દેવામાં આવશે, જો કે તે વિદ્યાર્થીઓને હજુ સુધી ન તો પગાર આપવામાં આવ્યો છે કે ના તો કોઈ રકમ ભરપાઈ કરી આપી છે. આ વિદ્યાર્થીઓ સાથે સૌથી ખરાબ બાબત એ બની છે હજુ સુધી પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી નથી.


સ્ટાર્ટઅપે ડિજિટલ હસ્તાક્ષર લીધા હતા  


ગુરુગ્રામના સ્ટાર્ટઅપમાં કામ કરતા વિદ્યાર્થીઓનો આ મામલો અહીં જ અટક્યો નથી. 5,000 રૂપિયાની EMI વિદ્યાર્થીઓના પગારમાંથી તેમના ખાતામાંથી આપોઆપ કપાઈ (ઓટો ડિડક્ટ ) જવા લાગી હતી. ગુરુગ્રામના એક સ્ટાર્ટઅપની છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અમદાવાદના સોલામાં આવેલી એન્જિનિયરિંગ કૉલેજના છે. આ બધું પ્લેટગ્રુપ જૂથોમાં થયું. સ્ટાર્ટઅપ તરફથી ઘણા બધા દસ્તાવેજો અને કરારો પછી, આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી ડિજિટલ હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપની છેતરપિંડીનો શિકાર બનેલા ઓટોમોબાઈલ એન્જિનિયર અલવાઝ પઠાણે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે કહ્યું કે આ કોઈ હુમલાનો કેસ નથી, પણ એક સિવિલ કેસ છે. આ સ્ટાર્ટઅપે વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને ડિજિટલ સહીનો દુરુપયોગ કરીને દરેક વિદ્યાર્થીના નામે 2.10 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લીધી છે. અલવાઝ પઠાણે આ ફર્મમાંથી નોકરી છોડી દીધી પરંતુ બાદમાં તેને જાણ થઈ કે, 2021થી 2023 વચ્ચેની બેચમાંથી ગ્રેજ્યુએટ થયેલા વધુ 100 વિદ્યાર્થીઓને પણ આ રીતે નોકરી પર રાખીને આ કંપની ઠગ્યા છે.


એક વર્ષ બાદ કાયમી કરવાના હતા


પોલીસને આપેલી ફરિયાદ મુજબ, સોલા સ્થિત એન્જિનિયરિંગ કોલેજના કેટલાક જૂથોમાં વર્ષ 2021 માટે પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ પછી વિદ્યાર્થીઓને ઘરેથી કામ આપવામાં આવ્યું હતું. સ્ટાર્ટઅપ કન્સલ્ટન્સીનું કામ કરે છે. પસંદગી દરમિયાન વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે એક વર્ષ પછી તેમની નોકરીઓ કાયમી થઈ જશે, પરંતુ વિદ્યાર્થીઓનું પ્રોબેશન પૂરું થતાં જ તેમને EMI ભરવા માટેના મેસેજ શરૂ થયા હતા. બાદમાં આ રકમ તેમના બેંક ખાતામાંથી કપાવા લાગી હતી.


પોલીસે  FIR નોંધી નહીં


અલવાજ પઠાણના વકીલ ઈર્શાદ મન્સૂરીના જણાવ્યા અનુસાર, પઠાણના વકીલે પહેલા કોલેજ જે વિસ્તારમાં એટલે કે સોલામાં આવી છે ત્યાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે  સંપર્ક કર્યો હતો.પરંતુ તેઓએ ફરિયાદ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી તેમણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો, જો કે તેમણે પણ એફઆઈઆર નોંધી ન હતી. હવે ફરિયાદ શાહપુર પોલીસને મોકલવામાં આવી છે, તેઓએ પણ હજુ સુધી FIR નોંધી નથી. મન્સૂરીએ કહ્યું કે એન્જિનિયરિંગ કોલેજના 124 વિદ્યાર્થીઓના નામે 2.5 કરોડ રૂપિયાથી વધુની લોન લેવામાં આવી છે. આ મામલે ગુજરાત પોલીસે હજી સુધી ફરિયાદ નથી નોંધી કારણકે તેમનું કહેવું છે કે, આ સિવિલ કેસ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.