સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું, વકીલના મુદ્દાને પણ ગંભીરતાથી નોંધવા કરી ટકોર


  • Published By :
  • Published Date : 2022-11-21 18:02:53

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય પીઠે સુનાવણીમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે 30 ઓક્ટોબરે થયેલી મોરબી દુર્ઘટનાનો મામલો ધ્યાને લીધો છે. અરજી કરનારને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનામાં પોતાના ભાઈ અને ભાભી ખોનારા દિલીપ ચાવડાના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓની પણ નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની જરૂર હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારોને યોગ્ય વળતર મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજી કરનારે રજૂ કરેલા મુદ્દાઓની ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. 


ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાઓની નોંધ લેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાની સુનાવણીમાં જણાવ્યું હતું કે, "અમે દર્શાવેલા મુદ્દાઓ સિવાય પણ ગુજરાત હાઈકોર્ટ સમગ્ર મામલાને બીજા એન્ગલથી પણ જોવા માટે સમય લેય. અરજીકરનાર દિલીપ ચાવડાના વકિલે જે મુદ્દાઓને સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યા છે તેની ગુજરાત હાઈકોર્ટ નોંધ લેય." જ્યારે અરજીકરનારના વકીલે જણાવ્યું હતું કે, "ગુજરાત તરફથી પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે ગુજરાતના અધિકારીઓની લાપરવાહીના કારણે આ દુર્ઘટના ઘટી છે. 141 લોકોના મોત થયા છે અને કોઈ પણ સરકારી અધિકારી કે નગરપાલિકાના અધિકારી સામે પગલા લેવામાં નથી આવ્યા. આ મામલાના કારણે ચૂંટણીમાં પણ અસર થઈ શકે છે. સરકાર મોટા લોકોને બક્ષી રહી છે જે ઓરેવા ગ્રુપના માલિકો છે." આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, "મને ગુજરાત હાઈકોર્ટ પર પૂરો વિશ્વાસ છે. ગુજરાત હાઈકોર્ટ પર ભરોષો ના કરવાનું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું. જો અરજીકર્તા હાઈકોર્ટમાં જશે તો હાઈકોર્ટ મુદ્દાને ઉઠાવશે. ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાને પણ સમજે છે અને ગંભીરતાને પણ સમજે છે."  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.