સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું, વકીલના મુદ્દાને પણ ગંભીરતાથી નોંધવા કરી ટકોર


  • Published By :
  • Published Date : 2022-11-21 18:02:53

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય પીઠે સુનાવણીમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે 30 ઓક્ટોબરે થયેલી મોરબી દુર્ઘટનાનો મામલો ધ્યાને લીધો છે. અરજી કરનારને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનામાં પોતાના ભાઈ અને ભાભી ખોનારા દિલીપ ચાવડાના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓની પણ નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની જરૂર હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારોને યોગ્ય વળતર મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજી કરનારે રજૂ કરેલા મુદ્દાઓની ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. 


ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાઓની નોંધ લેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાની સુનાવણીમાં જણાવ્યું હતું કે, "અમે દર્શાવેલા મુદ્દાઓ સિવાય પણ ગુજરાત હાઈકોર્ટ સમગ્ર મામલાને બીજા એન્ગલથી પણ જોવા માટે સમય લેય. અરજીકરનાર દિલીપ ચાવડાના વકિલે જે મુદ્દાઓને સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યા છે તેની ગુજરાત હાઈકોર્ટ નોંધ લેય." જ્યારે અરજીકરનારના વકીલે જણાવ્યું હતું કે, "ગુજરાત તરફથી પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે ગુજરાતના અધિકારીઓની લાપરવાહીના કારણે આ દુર્ઘટના ઘટી છે. 141 લોકોના મોત થયા છે અને કોઈ પણ સરકારી અધિકારી કે નગરપાલિકાના અધિકારી સામે પગલા લેવામાં નથી આવ્યા. આ મામલાના કારણે ચૂંટણીમાં પણ અસર થઈ શકે છે. સરકાર મોટા લોકોને બક્ષી રહી છે જે ઓરેવા ગ્રુપના માલિકો છે." આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, "મને ગુજરાત હાઈકોર્ટ પર પૂરો વિશ્વાસ છે. ગુજરાત હાઈકોર્ટ પર ભરોષો ના કરવાનું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું. જો અરજીકર્તા હાઈકોર્ટમાં જશે તો હાઈકોર્ટ મુદ્દાને ઉઠાવશે. ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાને પણ સમજે છે અને ગંભીરતાને પણ સમજે છે."  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે