સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું, વકીલના મુદ્દાને પણ ગંભીરતાથી નોંધવા કરી ટકોર


  • Published By :
  • Published Date : 2022-11-21 18:02:53

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય પીઠે સુનાવણીમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે 30 ઓક્ટોબરે થયેલી મોરબી દુર્ઘટનાનો મામલો ધ્યાને લીધો છે. અરજી કરનારને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનામાં પોતાના ભાઈ અને ભાભી ખોનારા દિલીપ ચાવડાના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓની પણ નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની જરૂર હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારોને યોગ્ય વળતર મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજી કરનારે રજૂ કરેલા મુદ્દાઓની ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. 


ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાઓની નોંધ લેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાની સુનાવણીમાં જણાવ્યું હતું કે, "અમે દર્શાવેલા મુદ્દાઓ સિવાય પણ ગુજરાત હાઈકોર્ટ સમગ્ર મામલાને બીજા એન્ગલથી પણ જોવા માટે સમય લેય. અરજીકરનાર દિલીપ ચાવડાના વકિલે જે મુદ્દાઓને સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યા છે તેની ગુજરાત હાઈકોર્ટ નોંધ લેય." જ્યારે અરજીકરનારના વકીલે જણાવ્યું હતું કે, "ગુજરાત તરફથી પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે ગુજરાતના અધિકારીઓની લાપરવાહીના કારણે આ દુર્ઘટના ઘટી છે. 141 લોકોના મોત થયા છે અને કોઈ પણ સરકારી અધિકારી કે નગરપાલિકાના અધિકારી સામે પગલા લેવામાં નથી આવ્યા. આ મામલાના કારણે ચૂંટણીમાં પણ અસર થઈ શકે છે. સરકાર મોટા લોકોને બક્ષી રહી છે જે ઓરેવા ગ્રુપના માલિકો છે." આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, "મને ગુજરાત હાઈકોર્ટ પર પૂરો વિશ્વાસ છે. ગુજરાત હાઈકોર્ટ પર ભરોષો ના કરવાનું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું. જો અરજીકર્તા હાઈકોર્ટમાં જશે તો હાઈકોર્ટ મુદ્દાને ઉઠાવશે. ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાને પણ સમજે છે અને ગંભીરતાને પણ સમજે છે."  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.