જોધપુરમાં બની દિલને કંપાવી દે તેવી ઘટના, અંગત અદાવતે લીધો આટલા લોકોનો ભોગ! જાણો ક્યાં બની આ ઘટના


  • Published By :
  • Published Date : 2023-07-19 11:02:15

અનેક વાતોને લઈ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ જોવા મળતો હોય છે. જો આપણે વાતથી સહેમત નથી હોતા તો આપણે એ વાત માનવાનો ઈન્કાર કરી લેતા હોઈએ છીએ. પરંતુ કોઈ વખત અંગત અદાવત એ હદે પહોંચી જાય કે હત્યા કરવા પર લોકો આવી પહોંચતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પરિવારના સભ્યો ઉંઘતા હતા ત્યારે તેમને સળગાવી દીધા હતા. મૃતકોમાં ચાર મહિનાના બાળકનો પણ સમાવેશ થયો છે.    


પરિવારના ચાર સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ 

હત્યાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નાની નાની વાતમાં લોકો હત્યા કરી દેતા હોય છે તેવા પણ આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અંગત અદાવતને ધ્યાનમાં રાખી લોકો હત્યા કરતા પહેલા પણ નથી વિચારતા. ત્યારે એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બુધવાર સવારે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ચૌરાઈ ગામની છે. 


આ ઘટના અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે મંગળવાર રાત્રે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો ઉંઘી રહ્યા હતા અને તે દરમિયાન ધારદાર હથિયારથી પહેલા તેમનું ગળું કાપવામાં આવ્યું હતું. અને તે બાદ ઘરના આંગણામાં તેમને ખસેડવામાં આવ્યા અને ત્યાં લાવી તેમને સળગાવી દીધા હતા. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કોણે હત્યા કરી, કેટલા લોકોએ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગ્રામજનો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે લાશ જોઈ.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.