જોધપુરમાં બની દિલને કંપાવી દે તેવી ઘટના, અંગત અદાવતે લીધો આટલા લોકોનો ભોગ! જાણો ક્યાં બની આ ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 11:02:15

અનેક વાતોને લઈ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ જોવા મળતો હોય છે. જો આપણે વાતથી સહેમત નથી હોતા તો આપણે એ વાત માનવાનો ઈન્કાર કરી લેતા હોઈએ છીએ. પરંતુ કોઈ વખત અંગત અદાવત એ હદે પહોંચી જાય કે હત્યા કરવા પર લોકો આવી પહોંચતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પરિવારના સભ્યો ઉંઘતા હતા ત્યારે તેમને સળગાવી દીધા હતા. મૃતકોમાં ચાર મહિનાના બાળકનો પણ સમાવેશ થયો છે.    


પરિવારના ચાર સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ 

હત્યાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નાની નાની વાતમાં લોકો હત્યા કરી દેતા હોય છે તેવા પણ આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અંગત અદાવતને ધ્યાનમાં રાખી લોકો હત્યા કરતા પહેલા પણ નથી વિચારતા. ત્યારે એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બુધવાર સવારે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ચૌરાઈ ગામની છે. 


આ ઘટના અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે મંગળવાર રાત્રે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો ઉંઘી રહ્યા હતા અને તે દરમિયાન ધારદાર હથિયારથી પહેલા તેમનું ગળું કાપવામાં આવ્યું હતું. અને તે બાદ ઘરના આંગણામાં તેમને ખસેડવામાં આવ્યા અને ત્યાં લાવી તેમને સળગાવી દીધા હતા. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કોણે હત્યા કરી, કેટલા લોકોએ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગ્રામજનો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે લાશ જોઈ.    



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.