જોધપુરમાં બની દિલને કંપાવી દે તેવી ઘટના, અંગત અદાવતે લીધો આટલા લોકોનો ભોગ! જાણો ક્યાં બની આ ઘટના


  • Published By :
  • Published Date : 2023-07-19 11:02:15

અનેક વાતોને લઈ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ જોવા મળતો હોય છે. જો આપણે વાતથી સહેમત નથી હોતા તો આપણે એ વાત માનવાનો ઈન્કાર કરી લેતા હોઈએ છીએ. પરંતુ કોઈ વખત અંગત અદાવત એ હદે પહોંચી જાય કે હત્યા કરવા પર લોકો આવી પહોંચતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પરિવારના સભ્યો ઉંઘતા હતા ત્યારે તેમને સળગાવી દીધા હતા. મૃતકોમાં ચાર મહિનાના બાળકનો પણ સમાવેશ થયો છે.    


પરિવારના ચાર સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ 

હત્યાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નાની નાની વાતમાં લોકો હત્યા કરી દેતા હોય છે તેવા પણ આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અંગત અદાવતને ધ્યાનમાં રાખી લોકો હત્યા કરતા પહેલા પણ નથી વિચારતા. ત્યારે એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે. જોધપુરમાં અંગત અદાવતને ધ્યાનમાં રાખી એક જ પરિવારના ચાર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બુધવાર સવારે તેમના મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ચૌરાઈ ગામની છે. 


આ ઘટના અંગે પોલીસ કરી રહી છે તપાસ 

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે મંગળવાર રાત્રે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો ઉંઘી રહ્યા હતા અને તે દરમિયાન ધારદાર હથિયારથી પહેલા તેમનું ગળું કાપવામાં આવ્યું હતું. અને તે બાદ ઘરના આંગણામાં તેમને ખસેડવામાં આવ્યા અને ત્યાં લાવી તેમને સળગાવી દીધા હતા. આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કોણે હત્યા કરી, કેટલા લોકોએ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગ્રામજનો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે લાશ જોઈ.    



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.