Suratમાં બની દિલને કંંપાવી દે તેવી ઘટના, લગ્ન માટે પ્રેમીકાએ ના પાડી તો પ્રેમીએ લીધો પ્રેમીકાનો જીવ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-15 16:41:53

એક સમય હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. એક સમય હતો જ્યારે દીકરી મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો માતા પિતાને વધારે ટેન્શન ન થતું હતું. પરંતુ હવે તો ગુજરાત પણ મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય નથી ગણવામાં આવતું. અનેક મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે તો અનેક મહિલાઓ હત્યાનો ભોગ બની રહી છે. મહિલા પર થતા અત્યાચાર વધી રહ્યા છે. 



સુરતમાં બની ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના 

આજે એક હત્યા કાંડની વાત કરવી છે જે થોડા વર્ષો પહેલા બનેલા ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવશે. પ્રેમ સંબંધ રહેવાની ના પાડી દેતા પ્રેમીએ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. ગુરૂવારે સચિન જીઆઈડીસીમાં આ બનાવ બન્યો છે જેમાં છોકરીએ યુવકને લગ્નની ના પાડી દેતા છોકરી પર જીવલેણ હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ અરેરાટી વ્યાપી ઉઠી છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાને પેચિયાથી મોઢા પર પહેલા ઘા કર્યા અને પછી પથ્થરથી માથું છુંદી દીધું. હત્યા કરી છોકરીની લાશ આગળ 10 જેટલી મિનીટ સુધી બેસી રહ્યો, 



પ્રેમીએ જાહેરમાં કરી પ્રેમીકાની હત્યા 

ગુજરાતમાં ક્રાઈમ રેટ પ્રતિદિન વધી રહ્યો છે. જાહેરમાં અને ઘોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. રાજ્યમાં લોકોને જાણે કાયદોનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો હત્યાનો ભોગ બની રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર સતત વધતા જઈ રહ્યા છે. મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહી છે. ત્યારે સુરતમાં પ્રેમીકાની હત્યા પ્રેમીએ કરી દેતા દરેક જગ્ચા પર તેની ચર્ચા થઈ રહી છે. આ હત્યા કાંડ ગઈકાલે બન્યો હતો. સચિન જીઆઈડીસીમાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાની નિર્મમ હત્યા કરી દીધી છે. 


ત્રણ વર્ષથી હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ 

મળતી માહિતી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શૈલેષ વિશ્વકર્મા અને નિલકુમારી વિશ્વકર્મા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને પાડોશી હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શૈલેષના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. નિલકુમારીને માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી. આ ત્રાસ વધતા નિલકુમારીએ સંબંધ તોડી નાખ્યો. અન્ય વ્યક્તિ સાથે નિલકુમારીની સગાઈ નક્કી કરવામાં આવી. આ વાતની જાણ શૈલેષને જાણ થઈ અને તે આ વાતને સ્વીકારી ન શક્યો અને બદલો લેવાનું વિચાર્યું. બદલો લેવાની ભાવનામાં શૈલેષે તમામ હદ વટાવી દીધી. ગુરૂવારે પ્રેમીએ પ્રેમીકા પર પહેલા હુમલો કર્યો અને તે બાદ પથ્થરથી માથું છૂંદી દીધું.



પોલીસે કરી આરોપીની ધરપકડ 

આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં આસપાસ અનેક લોકો ઉભા હતા પરંતુ કોઈ પણ છોકરીનો જીવ બચાવી ન શક્યા. આ ઘટના અંગે જ્યારે પરિવાર જનોને જાણ થઈ ત્યારે તેમના તળીયા નીચેથી જમીન ખસી ગઈ હતી. મૃતક દીકરીના પિતાએ જણાવ્યું કે અગાઉ પણ હત્યાની ધમકી આપવામાં આવી હતી. દીકરીની સગાઈ નવરાત્રીમાં થવાની હતી પરંતુ તે પહેલા જ દીકરીની હત્યા થઈ ગઈ. પોતાની પ્રેમીકાને માર્યા બાદ પ્રેમી લાશ પાસે 10 મીનિટ જેટલું બેસી રહ્યો.. થોડા સમય સુધી બેસી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. આ ઘટનાને લઈ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.



પ્રેમમાં અનેક પ્રેમીઓ ખોઈ દે છે પોતાનો પિત્તો 

આવી ઘટનાઓ સતત વધતી ગઈ રહી છે. આવી ઘટનાઓને જોતા એક પ્રશ્ન થાય કે કેવી રીતે કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને મારી શકે? આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. લગ્નની જ્યારે ના પાડવામાં આવે છે ત્યારે પ્રેમીઓ પોતાનો પિત્તો ખોઈ બેસે છે. પોતાના દ્વારા શું કરવામાં આવે છે તેની પણ તેમને જાણ હોતી નથી? કોઈનું જીવન છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.