Suratમાં બની દિલને કંંપાવી દે તેવી ઘટના, લગ્ન માટે પ્રેમીકાએ ના પાડી તો પ્રેમીએ લીધો પ્રેમીકાનો જીવ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-15 16:41:53

એક સમય હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. એક સમય હતો જ્યારે દીકરી મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો માતા પિતાને વધારે ટેન્શન ન થતું હતું. પરંતુ હવે તો ગુજરાત પણ મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય નથી ગણવામાં આવતું. અનેક મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે તો અનેક મહિલાઓ હત્યાનો ભોગ બની રહી છે. મહિલા પર થતા અત્યાચાર વધી રહ્યા છે. 



સુરતમાં બની ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના 

આજે એક હત્યા કાંડની વાત કરવી છે જે થોડા વર્ષો પહેલા બનેલા ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવશે. પ્રેમ સંબંધ રહેવાની ના પાડી દેતા પ્રેમીએ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. ગુરૂવારે સચિન જીઆઈડીસીમાં આ બનાવ બન્યો છે જેમાં છોકરીએ યુવકને લગ્નની ના પાડી દેતા છોકરી પર જીવલેણ હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ અરેરાટી વ્યાપી ઉઠી છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાને પેચિયાથી મોઢા પર પહેલા ઘા કર્યા અને પછી પથ્થરથી માથું છુંદી દીધું. હત્યા કરી છોકરીની લાશ આગળ 10 જેટલી મિનીટ સુધી બેસી રહ્યો, 



પ્રેમીએ જાહેરમાં કરી પ્રેમીકાની હત્યા 

ગુજરાતમાં ક્રાઈમ રેટ પ્રતિદિન વધી રહ્યો છે. જાહેરમાં અને ઘોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. રાજ્યમાં લોકોને જાણે કાયદોનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો હત્યાનો ભોગ બની રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર સતત વધતા જઈ રહ્યા છે. મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહી છે. ત્યારે સુરતમાં પ્રેમીકાની હત્યા પ્રેમીએ કરી દેતા દરેક જગ્ચા પર તેની ચર્ચા થઈ રહી છે. આ હત્યા કાંડ ગઈકાલે બન્યો હતો. સચિન જીઆઈડીસીમાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાની નિર્મમ હત્યા કરી દીધી છે. 


ત્રણ વર્ષથી હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ 

મળતી માહિતી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શૈલેષ વિશ્વકર્મા અને નિલકુમારી વિશ્વકર્મા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને પાડોશી હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શૈલેષના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. નિલકુમારીને માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી. આ ત્રાસ વધતા નિલકુમારીએ સંબંધ તોડી નાખ્યો. અન્ય વ્યક્તિ સાથે નિલકુમારીની સગાઈ નક્કી કરવામાં આવી. આ વાતની જાણ શૈલેષને જાણ થઈ અને તે આ વાતને સ્વીકારી ન શક્યો અને બદલો લેવાનું વિચાર્યું. બદલો લેવાની ભાવનામાં શૈલેષે તમામ હદ વટાવી દીધી. ગુરૂવારે પ્રેમીએ પ્રેમીકા પર પહેલા હુમલો કર્યો અને તે બાદ પથ્થરથી માથું છૂંદી દીધું.



પોલીસે કરી આરોપીની ધરપકડ 

આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં આસપાસ અનેક લોકો ઉભા હતા પરંતુ કોઈ પણ છોકરીનો જીવ બચાવી ન શક્યા. આ ઘટના અંગે જ્યારે પરિવાર જનોને જાણ થઈ ત્યારે તેમના તળીયા નીચેથી જમીન ખસી ગઈ હતી. મૃતક દીકરીના પિતાએ જણાવ્યું કે અગાઉ પણ હત્યાની ધમકી આપવામાં આવી હતી. દીકરીની સગાઈ નવરાત્રીમાં થવાની હતી પરંતુ તે પહેલા જ દીકરીની હત્યા થઈ ગઈ. પોતાની પ્રેમીકાને માર્યા બાદ પ્રેમી લાશ પાસે 10 મીનિટ જેટલું બેસી રહ્યો.. થોડા સમય સુધી બેસી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. આ ઘટનાને લઈ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.



પ્રેમમાં અનેક પ્રેમીઓ ખોઈ દે છે પોતાનો પિત્તો 

આવી ઘટનાઓ સતત વધતી ગઈ રહી છે. આવી ઘટનાઓને જોતા એક પ્રશ્ન થાય કે કેવી રીતે કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને મારી શકે? આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. લગ્નની જ્યારે ના પાડવામાં આવે છે ત્યારે પ્રેમીઓ પોતાનો પિત્તો ખોઈ બેસે છે. પોતાના દ્વારા શું કરવામાં આવે છે તેની પણ તેમને જાણ હોતી નથી? કોઈનું જીવન છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.        



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .