Suratમાં બની દિલને કંંપાવી દે તેવી ઘટના, લગ્ન માટે પ્રેમીકાએ ના પાડી તો પ્રેમીએ લીધો પ્રેમીકાનો જીવ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-15 16:41:53

એક સમય હતો જ્યારે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. એક સમય હતો જ્યારે દીકરી મોડી રાત્રે પણ ઘરની બહાર નીકળે તો માતા પિતાને વધારે ટેન્શન ન થતું હતું. પરંતુ હવે તો ગુજરાત પણ મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય નથી ગણવામાં આવતું. અનેક મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે તો અનેક મહિલાઓ હત્યાનો ભોગ બની રહી છે. મહિલા પર થતા અત્યાચાર વધી રહ્યા છે. 



સુરતમાં બની ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના 

આજે એક હત્યા કાંડની વાત કરવી છે જે થોડા વર્ષો પહેલા બનેલા ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવશે. પ્રેમ સંબંધ રહેવાની ના પાડી દેતા પ્રેમીએ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. ગુરૂવારે સચિન જીઆઈડીસીમાં આ બનાવ બન્યો છે જેમાં છોકરીએ યુવકને લગ્નની ના પાડી દેતા છોકરી પર જીવલેણ હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ અરેરાટી વ્યાપી ઉઠી છે. આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાને પેચિયાથી મોઢા પર પહેલા ઘા કર્યા અને પછી પથ્થરથી માથું છુંદી દીધું. હત્યા કરી છોકરીની લાશ આગળ 10 જેટલી મિનીટ સુધી બેસી રહ્યો, 



પ્રેમીએ જાહેરમાં કરી પ્રેમીકાની હત્યા 

ગુજરાતમાં ક્રાઈમ રેટ પ્રતિદિન વધી રહ્યો છે. જાહેરમાં અને ઘોળા દિવસે લોકોની હત્યા થઈ રહી છે. રાજ્યમાં લોકોને જાણે કાયદોનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો હત્યાનો ભોગ બની રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર સતત વધતા જઈ રહ્યા છે. મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહી છે. ત્યારે સુરતમાં પ્રેમીકાની હત્યા પ્રેમીએ કરી દેતા દરેક જગ્ચા પર તેની ચર્ચા થઈ રહી છે. આ હત્યા કાંડ ગઈકાલે બન્યો હતો. સચિન જીઆઈડીસીમાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાની નિર્મમ હત્યા કરી દીધી છે. 


ત્રણ વર્ષથી હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ 

મળતી માહિતી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શૈલેષ વિશ્વકર્મા અને નિલકુમારી વિશ્વકર્મા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને પાડોશી હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શૈલેષના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. નિલકુમારીને માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી. આ ત્રાસ વધતા નિલકુમારીએ સંબંધ તોડી નાખ્યો. અન્ય વ્યક્તિ સાથે નિલકુમારીની સગાઈ નક્કી કરવામાં આવી. આ વાતની જાણ શૈલેષને જાણ થઈ અને તે આ વાતને સ્વીકારી ન શક્યો અને બદલો લેવાનું વિચાર્યું. બદલો લેવાની ભાવનામાં શૈલેષે તમામ હદ વટાવી દીધી. ગુરૂવારે પ્રેમીએ પ્રેમીકા પર પહેલા હુમલો કર્યો અને તે બાદ પથ્થરથી માથું છૂંદી દીધું.



પોલીસે કરી આરોપીની ધરપકડ 

આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં આસપાસ અનેક લોકો ઉભા હતા પરંતુ કોઈ પણ છોકરીનો જીવ બચાવી ન શક્યા. આ ઘટના અંગે જ્યારે પરિવાર જનોને જાણ થઈ ત્યારે તેમના તળીયા નીચેથી જમીન ખસી ગઈ હતી. મૃતક દીકરીના પિતાએ જણાવ્યું કે અગાઉ પણ હત્યાની ધમકી આપવામાં આવી હતી. દીકરીની સગાઈ નવરાત્રીમાં થવાની હતી પરંતુ તે પહેલા જ દીકરીની હત્યા થઈ ગઈ. પોતાની પ્રેમીકાને માર્યા બાદ પ્રેમી લાશ પાસે 10 મીનિટ જેટલું બેસી રહ્યો.. થોડા સમય સુધી બેસી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. આ ઘટનાને લઈ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.



પ્રેમમાં અનેક પ્રેમીઓ ખોઈ દે છે પોતાનો પિત્તો 

આવી ઘટનાઓ સતત વધતી ગઈ રહી છે. આવી ઘટનાઓને જોતા એક પ્રશ્ન થાય કે કેવી રીતે કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને મારી શકે? આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. લગ્નની જ્યારે ના પાડવામાં આવે છે ત્યારે પ્રેમીઓ પોતાનો પિત્તો ખોઈ બેસે છે. પોતાના દ્વારા શું કરવામાં આવે છે તેની પણ તેમને જાણ હોતી નથી? કોઈનું જીવન છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.