સુરતમાં બની હૃદયકંપાવી દે તેવી ઘટના, નવજાતને માતાએ નીચે ફેંક્યું


  • Published By :
  • Published Date : 2022-12-13 14:44:32

સુરતના મગદલ્લામાં બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. પાંચ કુટીર સ્ટ્રીટમાં મૃત અવસ્થામાં નવજાત બાળકી આવ્યું હતું. જેને કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. તપાસ દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નવજાત બાળકને ઉપરથી નીચે ફેકવામાં આવ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને નવજાત બાળકના માતા સુધી પહોંચી ગઈ. 



ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

અનેક વખત નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. કોઈ રસ્તા પર મૂકી આવે છે તો કોઈ કચરા પેટીમાં મૂકી આવે છે. ત્યારે સુરતમાં એવવી ઘટના બની છે જેમાં નવજાત બાળકને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ત્યજી દેવાલેયું બાળકને જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે 108ની ટીમને ઘટનાસ્થળે બોલાવી જ્યાં બાળકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. 


પોલીસે માતાની કરી ધરપકડ

આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી. આ ઘટનાને લઈ ડીસીપીએ માહિતી આપતા કહ્યું હતું કે આ ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઉંડાણપૂર્વક તપાસ કરશે. પોલીસે ત્યજી ગયેલા બાળકની માતાની અટકાયત કરી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે નિષ્ઠુર માતાએ કહ્યું કે આરોપીના તેની બહેનપણીના મિત્ર સાથે સંબંધો હતા અને એ સંબંધોમાં આ બાળકનો જન્મ થયો હતો. પોતાના પાપને છુપાવા આ બાળકને ઉપરથી નીચે ફેંક્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આરોપી સાથે જેણે સંબંધ બાંધ્યા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

આપણા વડીલો કહેતા હતા કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી. પોતાના બાળક સાથે કદી માતા ખોટું કરતી નથી. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. માતા પોતાના સંતાનને ત્યજી રહી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.