સુરતમાં બની હૃદયકંપાવી દે તેવી ઘટના, નવજાતને માતાએ નીચે ફેંક્યું


  • Published By :
  • Published Date : 2022-12-13 14:44:32

સુરતના મગદલ્લામાં બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. પાંચ કુટીર સ્ટ્રીટમાં મૃત અવસ્થામાં નવજાત બાળકી આવ્યું હતું. જેને કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. તપાસ દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નવજાત બાળકને ઉપરથી નીચે ફેકવામાં આવ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને નવજાત બાળકના માતા સુધી પહોંચી ગઈ. 



ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

અનેક વખત નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. કોઈ રસ્તા પર મૂકી આવે છે તો કોઈ કચરા પેટીમાં મૂકી આવે છે. ત્યારે સુરતમાં એવવી ઘટના બની છે જેમાં નવજાત બાળકને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ત્યજી દેવાલેયું બાળકને જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે 108ની ટીમને ઘટનાસ્થળે બોલાવી જ્યાં બાળકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. 


પોલીસે માતાની કરી ધરપકડ

આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી. આ ઘટનાને લઈ ડીસીપીએ માહિતી આપતા કહ્યું હતું કે આ ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઉંડાણપૂર્વક તપાસ કરશે. પોલીસે ત્યજી ગયેલા બાળકની માતાની અટકાયત કરી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે નિષ્ઠુર માતાએ કહ્યું કે આરોપીના તેની બહેનપણીના મિત્ર સાથે સંબંધો હતા અને એ સંબંધોમાં આ બાળકનો જન્મ થયો હતો. પોતાના પાપને છુપાવા આ બાળકને ઉપરથી નીચે ફેંક્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આરોપી સાથે જેણે સંબંધ બાંધ્યા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

આપણા વડીલો કહેતા હતા કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી. પોતાના બાળક સાથે કદી માતા ખોટું કરતી નથી. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. માતા પોતાના સંતાનને ત્યજી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.