સુરતમાં બની હૃદયકંપાવી દે તેવી ઘટના, નવજાતને માતાએ નીચે ફેંક્યું


  • Published By :
  • Published Date : 2022-12-13 14:44:32

સુરતના મગદલ્લામાં બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. પાંચ કુટીર સ્ટ્રીટમાં મૃત અવસ્થામાં નવજાત બાળકી આવ્યું હતું. જેને કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. તપાસ દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નવજાત બાળકને ઉપરથી નીચે ફેકવામાં આવ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને નવજાત બાળકના માતા સુધી પહોંચી ગઈ. 



ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

અનેક વખત નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. કોઈ રસ્તા પર મૂકી આવે છે તો કોઈ કચરા પેટીમાં મૂકી આવે છે. ત્યારે સુરતમાં એવવી ઘટના બની છે જેમાં નવજાત બાળકને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ત્યજી દેવાલેયું બાળકને જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે 108ની ટીમને ઘટનાસ્થળે બોલાવી જ્યાં બાળકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. 


પોલીસે માતાની કરી ધરપકડ

આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી. આ ઘટનાને લઈ ડીસીપીએ માહિતી આપતા કહ્યું હતું કે આ ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઉંડાણપૂર્વક તપાસ કરશે. પોલીસે ત્યજી ગયેલા બાળકની માતાની અટકાયત કરી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે નિષ્ઠુર માતાએ કહ્યું કે આરોપીના તેની બહેનપણીના મિત્ર સાથે સંબંધો હતા અને એ સંબંધોમાં આ બાળકનો જન્મ થયો હતો. પોતાના પાપને છુપાવા આ બાળકને ઉપરથી નીચે ફેંક્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આરોપી સાથે જેણે સંબંધ બાંધ્યા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

આપણા વડીલો કહેતા હતા કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી. પોતાના બાળક સાથે કદી માતા ખોટું કરતી નથી. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. માતા પોતાના સંતાનને ત્યજી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.