સુરતમાં બની હૃદયકંપાવી દે તેવી ઘટના, નવજાતને માતાએ નીચે ફેંક્યું


  • Published By :
  • Published Date : 2022-12-13 14:44:32

સુરતના મગદલ્લામાં બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. પાંચ કુટીર સ્ટ્રીટમાં મૃત અવસ્થામાં નવજાત બાળકી આવ્યું હતું. જેને કારણે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. તપાસ દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નવજાત બાળકને ઉપરથી નીચે ફેકવામાં આવ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને નવજાત બાળકના માતા સુધી પહોંચી ગઈ. 



ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

અનેક વખત નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતી હોય છે. કોઈ રસ્તા પર મૂકી આવે છે તો કોઈ કચરા પેટીમાં મૂકી આવે છે. ત્યારે સુરતમાં એવવી ઘટના બની છે જેમાં નવજાત બાળકને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. સ્થાનિકોને ત્યજી દેવાલેયું બાળકને જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે 108ની ટીમને ઘટનાસ્થળે બોલાવી જ્યાં બાળકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. 


પોલીસે માતાની કરી ધરપકડ

આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી. આ ઘટનાને લઈ ડીસીપીએ માહિતી આપતા કહ્યું હતું કે આ ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઉંડાણપૂર્વક તપાસ કરશે. પોલીસે ત્યજી ગયેલા બાળકની માતાની અટકાયત કરી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે નિષ્ઠુર માતાએ કહ્યું કે આરોપીના તેની બહેનપણીના મિત્ર સાથે સંબંધો હતા અને એ સંબંધોમાં આ બાળકનો જન્મ થયો હતો. પોતાના પાપને છુપાવા આ બાળકને ઉપરથી નીચે ફેંક્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આરોપી સાથે જેણે સંબંધ બાંધ્યા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 

આપણા વડીલો કહેતા હતા કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી. પોતાના બાળક સાથે કદી માતા ખોટું કરતી નથી. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. માતા પોતાના સંતાનને ત્યજી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.