અફઘાનિસ્તાનમાં થયો મોટો બોમ્બ વિસ્ફોટ


  • Published By :
  • Published Date : 2022-12-06 14:38:35

અફઘાનિસ્તાનમાં ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઉત્તરી અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. એક તેલ કંપનીના કર્મચારીઓને લઈ રહેલી બસમાં આ વિસ્ફોટ કર્યો છે. આ ધમાકામાં અંદાજીત 5 લોકોના મોત થયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો વધી પણ શકે છે. ઉત્તરી બલ્ખ પ્રાંતમાં બનેલી ઘટના અંગે પોલિસ અધિકારીએ કહ્યું કે આજે સવારે 7 વાગ્યા આસપાસ બસમાં એક ધમાકો થયો હતો. 

jagran


પોલીસ કરી રહી છે તપાસ

મળતી માહિતી મુજબ હેયરટેન ઓઈલ કંપનીની બસમાં વિસ્ફોટ થયો છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ધમાકો કર્યા પાછળ કોણ હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થયું. અફઘાનિસ્તાનમાં થોડા દિવસોથી આવા હુમલા થઈ રહ્યા છે. અનેક મહિનાઓથી આવા હુમલાઓ થઈ રહ્યા છે. અનેક હુમલાઓની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે.       



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .