અફઘાનિસ્તાનમાં થયો મોટો બોમ્બ વિસ્ફોટ


  • Published By :
  • Published Date : 2022-12-06 14:38:35

અફઘાનિસ્તાનમાં ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઉત્તરી અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. એક તેલ કંપનીના કર્મચારીઓને લઈ રહેલી બસમાં આ વિસ્ફોટ કર્યો છે. આ ધમાકામાં અંદાજીત 5 લોકોના મોત થયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો વધી પણ શકે છે. ઉત્તરી બલ્ખ પ્રાંતમાં બનેલી ઘટના અંગે પોલિસ અધિકારીએ કહ્યું કે આજે સવારે 7 વાગ્યા આસપાસ બસમાં એક ધમાકો થયો હતો. 

jagran


પોલીસ કરી રહી છે તપાસ

મળતી માહિતી મુજબ હેયરટેન ઓઈલ કંપનીની બસમાં વિસ્ફોટ થયો છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ધમાકો કર્યા પાછળ કોણ હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થયું. અફઘાનિસ્તાનમાં થોડા દિવસોથી આવા હુમલા થઈ રહ્યા છે. અનેક મહિનાઓથી આવા હુમલાઓ થઈ રહ્યા છે. અનેક હુમલાઓની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે