અફઘાનિસ્તાનમાં થયો મોટો બોમ્બ વિસ્ફોટ


  • Published By :
  • Published Date : 2022-12-06 14:38:35

અફઘાનિસ્તાનમાં ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઉત્તરી અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. એક તેલ કંપનીના કર્મચારીઓને લઈ રહેલી બસમાં આ વિસ્ફોટ કર્યો છે. આ ધમાકામાં અંદાજીત 5 લોકોના મોત થયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો વધી પણ શકે છે. ઉત્તરી બલ્ખ પ્રાંતમાં બનેલી ઘટના અંગે પોલિસ અધિકારીએ કહ્યું કે આજે સવારે 7 વાગ્યા આસપાસ બસમાં એક ધમાકો થયો હતો. 

jagran


પોલીસ કરી રહી છે તપાસ

મળતી માહિતી મુજબ હેયરટેન ઓઈલ કંપનીની બસમાં વિસ્ફોટ થયો છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ધમાકો કર્યા પાછળ કોણ હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થયું. અફઘાનિસ્તાનમાં થોડા દિવસોથી આવા હુમલા થઈ રહ્યા છે. અનેક મહિનાઓથી આવા હુમલાઓ થઈ રહ્યા છે. અનેક હુમલાઓની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.