Manhar Patelએ લખ્યો પત્ર, પાટીદાર યુવાનો કેમ ગેરમાર્ગે જઈ રહ્યા છે? નકલી કાંડમાં કેમ મોટાભાગે Patel પકડાય છે?


  • Published By :
  • Published Date : 2023-12-09 13:30:15

નકલીનું ચલણ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યું છે. નકલીને લઈ ચર્ચાઓ તો થઈ રહી છે પરંતુ લોકોમાં વધુ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે નકલી લોકો પકડાઈ રહ્યા છે તે પટેલ કેમ હોય છે! આના થોડા ઉદાહરણો જોઈએ તો કિરણ પટેલ નકલી પીએમઓ અધિકારી ,વિરાજ પટેલ CMOના નકલી અધિકારી ,નિકુંજ પટેલ CMOના નકલી અધિકારી , નેહા પટેલ નકલી કલેક્ટર આ બધા નકલી પકડાય છે એ મોટા ભાગે કેમ પટેલ છે? આ નવો ચર્ચાનો અને વિચારવાનો વિષય બન્યો છે. 

પટેલ સમાજના અગ્રણીઓને મનહર પટેલે લખ્યો પત્ર

એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ જો ઈતિહાસમાંથી યોગ્ય બોધપાઠ ન લે તો સમય જતા તેનું પતન નિશ્ચિત છે. અને આવી જ કંઈક ચિંતા પાટીદાર સમાજને થઇ રહી છે કારણે આજકાલ જે નકલી અધિકારીઓ પકડાય છે એમાં 50 ટકાથી વધારે પટેલ હોય છે. થોડા સમય પહેલા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના નેતા મનહર પટેલે સમાજની અગ્રણી સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે.

પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે!

પત્રમાં એવો ઉલ્લેખ છે જે પાટીદાર સમાજને વિચારવા મજબૂત કરે છે. વિચારવા મજબૂર કરે છે કે પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. સાબિતીરૂપે તાજેતરમાં પકડાયેલા આરોપીઓના ઉદાહરણ આપવામાં આવ્યા. જેમાં કિરણ પટેલથી લઈને નેહા પટેલ સુધી બધાના નામ પણ લખવામાં આવ્યા હતા સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઘણા પાટીદાર અગ્રણીઓએ મનહર પટેલની વાતને વ્યાજબી ગણાવી અને સમાજના અગ્રણીઓને આ દિશામાં ગંભીર વિચાર કરવા અપીલ પણ કરી. 



આ અંગે વિચારણા કરવામાં આવે તેવી કરાઈ માગ!

નકલી અધિકારી, નકલી ખાતર-બિયારણ, નકલી દવાઓ એવા કોઈપણ ગુના હોય જેમાં સમાજની સીધી છેતરપિંડી અને નુકસાન હોય તેમા પાટીદાર વ્યક્તિનું નામ સામે આવે છે જે ગંભીર સમસ્યા છે સાથે જ મનહર ભાઈએ પાટીદાર સમાજના અગ્રણીઓ પાસે માંગણી કરી છે કે  `એક સમાજ એક બંધારણ' એવા વિચાર સાથે `પટેલ સંસદ'નું નિર્માણ થાય અને સમાજની ગતિ, પ્રગતિ, કાર્ય પદ્ધતિ, વિકાસની વ્યાખ્યા સ્પષ્ટ થાય. તંદુરસ્ત સમાજ માટે લાંબાગાળાની રણનીતિ ઘડવામાં આવે તેવી વાત મનહર પટેલ દ્વારા કરવામાં આવી છે.  




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.