Manhar Patelએ લખ્યો પત્ર, પાટીદાર યુવાનો કેમ ગેરમાર્ગે જઈ રહ્યા છે? નકલી કાંડમાં કેમ મોટાભાગે Patel પકડાય છે?


  • Published By :
  • Published Date : 2023-12-09 13:30:15

નકલીનું ચલણ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યું છે. નકલીને લઈ ચર્ચાઓ તો થઈ રહી છે પરંતુ લોકોમાં વધુ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે નકલી લોકો પકડાઈ રહ્યા છે તે પટેલ કેમ હોય છે! આના થોડા ઉદાહરણો જોઈએ તો કિરણ પટેલ નકલી પીએમઓ અધિકારી ,વિરાજ પટેલ CMOના નકલી અધિકારી ,નિકુંજ પટેલ CMOના નકલી અધિકારી , નેહા પટેલ નકલી કલેક્ટર આ બધા નકલી પકડાય છે એ મોટા ભાગે કેમ પટેલ છે? આ નવો ચર્ચાનો અને વિચારવાનો વિષય બન્યો છે. 

પટેલ સમાજના અગ્રણીઓને મનહર પટેલે લખ્યો પત્ર

એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ જો ઈતિહાસમાંથી યોગ્ય બોધપાઠ ન લે તો સમય જતા તેનું પતન નિશ્ચિત છે. અને આવી જ કંઈક ચિંતા પાટીદાર સમાજને થઇ રહી છે કારણે આજકાલ જે નકલી અધિકારીઓ પકડાય છે એમાં 50 ટકાથી વધારે પટેલ હોય છે. થોડા સમય પહેલા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના નેતા મનહર પટેલે સમાજની અગ્રણી સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે.

પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે!

પત્રમાં એવો ઉલ્લેખ છે જે પાટીદાર સમાજને વિચારવા મજબૂત કરે છે. વિચારવા મજબૂર કરે છે કે પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. સાબિતીરૂપે તાજેતરમાં પકડાયેલા આરોપીઓના ઉદાહરણ આપવામાં આવ્યા. જેમાં કિરણ પટેલથી લઈને નેહા પટેલ સુધી બધાના નામ પણ લખવામાં આવ્યા હતા સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઘણા પાટીદાર અગ્રણીઓએ મનહર પટેલની વાતને વ્યાજબી ગણાવી અને સમાજના અગ્રણીઓને આ દિશામાં ગંભીર વિચાર કરવા અપીલ પણ કરી. 



આ અંગે વિચારણા કરવામાં આવે તેવી કરાઈ માગ!

નકલી અધિકારી, નકલી ખાતર-બિયારણ, નકલી દવાઓ એવા કોઈપણ ગુના હોય જેમાં સમાજની સીધી છેતરપિંડી અને નુકસાન હોય તેમા પાટીદાર વ્યક્તિનું નામ સામે આવે છે જે ગંભીર સમસ્યા છે સાથે જ મનહર ભાઈએ પાટીદાર સમાજના અગ્રણીઓ પાસે માંગણી કરી છે કે  `એક સમાજ એક બંધારણ' એવા વિચાર સાથે `પટેલ સંસદ'નું નિર્માણ થાય અને સમાજની ગતિ, પ્રગતિ, કાર્ય પદ્ધતિ, વિકાસની વ્યાખ્યા સ્પષ્ટ થાય. તંદુરસ્ત સમાજ માટે લાંબાગાળાની રણનીતિ ઘડવામાં આવે તેવી વાત મનહર પટેલ દ્વારા કરવામાં આવી છે.  




રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.