Mahisagarના સંતરામપુરમાં મોટી દુર્ઘટના બનતા બનતા બચી.. 50થી 60 જેટલા મુસાફરોને લઈ જતી બસ નદીમાં ખાબકી હોત જો...


  • Published By :
  • Published Date : 2024-05-29 14:57:01

મહીસાગરના સંતરામપુરના ખરસોલી પાસે એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ બચ્યો છે... ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં ટ્રાવેલ્સ બસ ખાબકી જતા બચી છે રેલિંગને કારણે.. મળતી માહિતી અનુસાર બસ અમદાવાદ આવી રહી હતી અને સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને બસ રેલિંગ સાથે અથળાઈ ગઈ.. બસમાં 50-60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા..


જો રેલિંગ ના હોત તો બસ નદીમાં ખાબકતી!

અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે... રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરી રહેલા લોકોનો જીવ બચ્યો છે.. જો રેલિંગ ના હોત તો બસ નદીની અંદર ખાબકી જાત અને એક મોટી દુર્ઘટના સર્જાત... પરંતુ રેલિંગને કારણે મોટી દુર્ઘટના ટળી છે.. બસ રાજસ્થાનના આનંદપુરીથી અમદાવાદ તરફ આવી રહી હતી રાત્રીના સમયે... અને તે વખતે આ ઘટના સર્જાઈ..


રોડ સાઈડ લાગેલી રેલિંગે બચાવ્યો જીવ!

બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો.. નશામાં હતો જેને કારણે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં બનેલી રેલિંગ સાથે અથડાઈ ગઈ.. આવું થતા બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.. બસના માલિક ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને તમામ મુસાફરોને પોતાના વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરી.. 


અનેક વખત બસના ડ્રાઈવરો દેખાય છે નશાની હાલતમાં 

મહત્વનું છે કે અનેક વખત બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે લોકોના જીવ જાય છે.. અનેક વખત અકસ્માત આને કારણે સર્જાય છે.. અનેક વખત બસને ચલાવતા ડ્રાઈવર પણ નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આવા ડ્રાઈવર ઝડપાય છે.. ઉલ્લેખનિય છે કે અહીંયા જો રેલિંગ ના લગાવી હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ જતી...સંતરામપુરના ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં બસ ખાબકતી અનેક લોકોના જીવ જતા..    

          



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.