Mahisagarના સંતરામપુરમાં મોટી દુર્ઘટના બનતા બનતા બચી.. 50થી 60 જેટલા મુસાફરોને લઈ જતી બસ નદીમાં ખાબકી હોત જો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 14:57:01

મહીસાગરના સંતરામપુરના ખરસોલી પાસે એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ બચ્યો છે... ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં ટ્રાવેલ્સ બસ ખાબકી જતા બચી છે રેલિંગને કારણે.. મળતી માહિતી અનુસાર બસ અમદાવાદ આવી રહી હતી અને સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને બસ રેલિંગ સાથે અથળાઈ ગઈ.. બસમાં 50-60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા..


જો રેલિંગ ના હોત તો બસ નદીમાં ખાબકતી!

અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે... રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરી રહેલા લોકોનો જીવ બચ્યો છે.. જો રેલિંગ ના હોત તો બસ નદીની અંદર ખાબકી જાત અને એક મોટી દુર્ઘટના સર્જાત... પરંતુ રેલિંગને કારણે મોટી દુર્ઘટના ટળી છે.. બસ રાજસ્થાનના આનંદપુરીથી અમદાવાદ તરફ આવી રહી હતી રાત્રીના સમયે... અને તે વખતે આ ઘટના સર્જાઈ..


રોડ સાઈડ લાગેલી રેલિંગે બચાવ્યો જીવ!

બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો.. નશામાં હતો જેને કારણે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં બનેલી રેલિંગ સાથે અથડાઈ ગઈ.. આવું થતા બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.. બસના માલિક ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને તમામ મુસાફરોને પોતાના વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરી.. 


અનેક વખત બસના ડ્રાઈવરો દેખાય છે નશાની હાલતમાં 

મહત્વનું છે કે અનેક વખત બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે લોકોના જીવ જાય છે.. અનેક વખત અકસ્માત આને કારણે સર્જાય છે.. અનેક વખત બસને ચલાવતા ડ્રાઈવર પણ નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આવા ડ્રાઈવર ઝડપાય છે.. ઉલ્લેખનિય છે કે અહીંયા જો રેલિંગ ના લગાવી હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ જતી...સંતરામપુરના ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં બસ ખાબકતી અનેક લોકોના જીવ જતા..    

          



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.