Mahisagarના સંતરામપુરમાં મોટી દુર્ઘટના બનતા બનતા બચી.. 50થી 60 જેટલા મુસાફરોને લઈ જતી બસ નદીમાં ખાબકી હોત જો...


  • Published By :
  • Published Date : 2024-05-29 14:57:01

મહીસાગરના સંતરામપુરના ખરસોલી પાસે એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ બચ્યો છે... ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં ટ્રાવેલ્સ બસ ખાબકી જતા બચી છે રેલિંગને કારણે.. મળતી માહિતી અનુસાર બસ અમદાવાદ આવી રહી હતી અને સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને બસ રેલિંગ સાથે અથળાઈ ગઈ.. બસમાં 50-60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા..


જો રેલિંગ ના હોત તો બસ નદીમાં ખાબકતી!

અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે... રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરી રહેલા લોકોનો જીવ બચ્યો છે.. જો રેલિંગ ના હોત તો બસ નદીની અંદર ખાબકી જાત અને એક મોટી દુર્ઘટના સર્જાત... પરંતુ રેલિંગને કારણે મોટી દુર્ઘટના ટળી છે.. બસ રાજસ્થાનના આનંદપુરીથી અમદાવાદ તરફ આવી રહી હતી રાત્રીના સમયે... અને તે વખતે આ ઘટના સર્જાઈ..


રોડ સાઈડ લાગેલી રેલિંગે બચાવ્યો જીવ!

બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો.. નશામાં હતો જેને કારણે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં બનેલી રેલિંગ સાથે અથડાઈ ગઈ.. આવું થતા બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.. બસના માલિક ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને તમામ મુસાફરોને પોતાના વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરી.. 


અનેક વખત બસના ડ્રાઈવરો દેખાય છે નશાની હાલતમાં 

મહત્વનું છે કે અનેક વખત બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે લોકોના જીવ જાય છે.. અનેક વખત અકસ્માત આને કારણે સર્જાય છે.. અનેક વખત બસને ચલાવતા ડ્રાઈવર પણ નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આવા ડ્રાઈવર ઝડપાય છે.. ઉલ્લેખનિય છે કે અહીંયા જો રેલિંગ ના લગાવી હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ જતી...સંતરામપુરના ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં બસ ખાબકતી અનેક લોકોના જીવ જતા..    

          



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.