Mahisagarના સંતરામપુરમાં મોટી દુર્ઘટના બનતા બનતા બચી.. 50થી 60 જેટલા મુસાફરોને લઈ જતી બસ નદીમાં ખાબકી હોત જો...


  • Published By :
  • Published Date : 2024-05-29 14:57:01

મહીસાગરના સંતરામપુરના ખરસોલી પાસે એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ બચ્યો છે... ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં ટ્રાવેલ્સ બસ ખાબકી જતા બચી છે રેલિંગને કારણે.. મળતી માહિતી અનુસાર બસ અમદાવાદ આવી રહી હતી અને સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને બસ રેલિંગ સાથે અથળાઈ ગઈ.. બસમાં 50-60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા..


જો રેલિંગ ના હોત તો બસ નદીમાં ખાબકતી!

અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે... રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરી રહેલા લોકોનો જીવ બચ્યો છે.. જો રેલિંગ ના હોત તો બસ નદીની અંદર ખાબકી જાત અને એક મોટી દુર્ઘટના સર્જાત... પરંતુ રેલિંગને કારણે મોટી દુર્ઘટના ટળી છે.. બસ રાજસ્થાનના આનંદપુરીથી અમદાવાદ તરફ આવી રહી હતી રાત્રીના સમયે... અને તે વખતે આ ઘટના સર્જાઈ..


રોડ સાઈડ લાગેલી રેલિંગે બચાવ્યો જીવ!

બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો.. નશામાં હતો જેને કારણે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં બનેલી રેલિંગ સાથે અથડાઈ ગઈ.. આવું થતા બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.. બસના માલિક ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને તમામ મુસાફરોને પોતાના વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરી.. 


અનેક વખત બસના ડ્રાઈવરો દેખાય છે નશાની હાલતમાં 

મહત્વનું છે કે અનેક વખત બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે લોકોના જીવ જાય છે.. અનેક વખત અકસ્માત આને કારણે સર્જાય છે.. અનેક વખત બસને ચલાવતા ડ્રાઈવર પણ નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આવા ડ્રાઈવર ઝડપાય છે.. ઉલ્લેખનિય છે કે અહીંયા જો રેલિંગ ના લગાવી હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ જતી...સંતરામપુરના ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં બસ ખાબકતી અનેક લોકોના જીવ જતા..    

          



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.