Jharkhandમાં PM Modiની સુરક્ષામાં જોવા મળી મોટી ચૂક, પીએમના કાફલા વચ્ચે આવી મહિલા, ત્રણ પોલીસકર્મી વિરૂદ્ધ લેવાયા પગલા


  • Published By :
  • Published Date : 2023-11-16 15:08:36

બુધવારે જ્યારે પીએમ મોદી ઝારખંડમાં હતા ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ ગઈ હતી. પીએમ મોદીના કાફલા વચ્ચે અચાનક મહિલા આવી ગઈ હતી જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે પીએમ મોદી બિરસા મુંડા મેમોરિયલ પાર્ક જઈ રહ્યા હતા. પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થતાં સુરક્ષામાં તૈનાત 3 પોલીસકર્મીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં ચૂક થવા મામલે ત્રણ પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદી ભગવાન બિરસા મુંડાની જયંતીના અવસર પર ઝારખંડ ગયા હતા. 

Three policemen suspended for lapse in PM's security in Jharkhand

ત્રણ પોલીસકર્મી વિરૂદ્ધ લેવાયા કાયદાકીય પગલા 

પીએમ મોદીની સુરક્ષામાં બહુ મોટો પોલીસ કાફલો તૈનાત હોય છે. એજન્સીઓ પણ પીએમ મોદીની સુરક્ષામાં લાગેલી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં સુરક્ષામાં ચૂક જઈ જતી હોય છે. ત્યારે ગઈકાલે પીએમની સુરક્ષામાં એક મોટી ચૂક થઈ ગઈ છે. રસ્તા પરથી જ્યારે કાફલો ગુજર્તો હોય ત્યારે એકદમ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે. પરિંદા પણ પર ન મારી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ગઈકાલે પીએમ મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં હતા ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થઈ હતી. કાફલા વચ્ચે અચાનક એક મહિલા આવી ગઈ હતી. 


 

પીએમ મોદીના કાફલા વચ્ચે આવી ગઈ હતી મહિલા 

પીએમ મોદી ગઈકાલે એટલે કે બુધવારે ઝારખંડ પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી અલગ અલગ સ્થળો પર ગયા હતા અને જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન જેલ ચોક સ્થિત બિરસા મુંડા મેમોરિયલ કમ પાર્ક જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મહિલા રેડિયમ રોડ પર વડાપ્રધાનના કાફલાની સામે આવી. મહિલા અચાનક કારશેડમાં ઘૂસી જતાં ઈમરજન્સી બ્રેક લગાવવી પડી હતી. થોડા ક્ષણોની અંદર મહિલાને ત્યાંથી ખસેડી દેવામાં આવી અને કાફલો આગળ વધી ગયો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન ફરજમાં બેદરકારી બદલ એક ASI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ASI અબુ ઝફર, કોન્સ્ટેબલ છોટાલાલ ટુડુ અને કોન્સ્ટેબલ રંજન કુમારનો સમાવેશ થાય છે.

Three policemen suspended for lapse in PM's security in Jharkhand

પોલીસ અધિકારીએ મહિલા વિશે કહી આ વાત 

જે મહિલા પીએમના કાફલાની સામે આવી હતી તેની જ્યારે પૂછપરછ કરાઈ ત્યારે પોલીસને જાણવા મળ્યું કે તે મહિલા પોતાના પતીની ફરિયાદ પીએમને કરવા માગતી હતી! આ મામલે મળતી માહિતી અનુસાર આ મહિલા પતિથી પીડિત હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કહ્યું કે તેના લગ્ન 2012માં ઝારખંડના દેવધર જિલ્લામાં જમુની ગામમાં થયા હતા. 2016થી પતિ સાથે ઝઘડો ચાલતો હતો. મહિલા ઈચ્છતિ હતી કે પતિનું વેતન તેના ખાતામાં  આવે. આ મામલે તે ઓક્ટોબરમાં પીએમ મોદીને મળવા દિલ્હી પણ ગઈ હતી. 10 દિવસ રહી પણ તેને નિરાશા હાથમાં આવી. રાષ્ટ્રપતિ સાથે પણ તેણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. તે મહિલા પોતાના સાસરે પાછી આવી ગઈ. 


પોતાની વેદના સંભળાવવા માટે મહિલા કરી રહી હતી પ્રયાસ 

વધુમાં અધિકારીએ જણાવ્યું કે પીએમ મોદી રાંચી આવવાને છે તેની જાણ મહિલા થઈ તો તે પીએમને મળવા માટે ત્યાં આવી ગઈ. મહિલાએ મંગળવારે પીએમ મોદીને મળવાની કોશિશ કરી પરંતુ તે સફળ ન થઈ. તો બુધવારે જ્યારે પીએમ જઈ રહ્યા હતા તે વખતે તેમને મળવાની કોશિશ કરી. પરંતુ આ વખતે પણ તે નિષ્ફળ ગઈ. ભીડમાં ઉભેલી મહિલાને અચાનક સાઈરન સંભળાયું અને તે પીએમના કાફલાની સામે આવી ગઈ.     



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.