Jharkhandમાં PM Modiની સુરક્ષામાં જોવા મળી મોટી ચૂક, પીએમના કાફલા વચ્ચે આવી મહિલા, ત્રણ પોલીસકર્મી વિરૂદ્ધ લેવાયા પગલા


  • Published By :
  • Published Date : 2023-11-16 15:08:36

બુધવારે જ્યારે પીએમ મોદી ઝારખંડમાં હતા ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ ગઈ હતી. પીએમ મોદીના કાફલા વચ્ચે અચાનક મહિલા આવી ગઈ હતી જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે પીએમ મોદી બિરસા મુંડા મેમોરિયલ પાર્ક જઈ રહ્યા હતા. પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થતાં સુરક્ષામાં તૈનાત 3 પોલીસકર્મીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં ચૂક થવા મામલે ત્રણ પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદી ભગવાન બિરસા મુંડાની જયંતીના અવસર પર ઝારખંડ ગયા હતા. 

Three policemen suspended for lapse in PM's security in Jharkhand

ત્રણ પોલીસકર્મી વિરૂદ્ધ લેવાયા કાયદાકીય પગલા 

પીએમ મોદીની સુરક્ષામાં બહુ મોટો પોલીસ કાફલો તૈનાત હોય છે. એજન્સીઓ પણ પીએમ મોદીની સુરક્ષામાં લાગેલી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં સુરક્ષામાં ચૂક જઈ જતી હોય છે. ત્યારે ગઈકાલે પીએમની સુરક્ષામાં એક મોટી ચૂક થઈ ગઈ છે. રસ્તા પરથી જ્યારે કાફલો ગુજર્તો હોય ત્યારે એકદમ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે. પરિંદા પણ પર ન મારી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ગઈકાલે પીએમ મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં હતા ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થઈ હતી. કાફલા વચ્ચે અચાનક એક મહિલા આવી ગઈ હતી. 


 

પીએમ મોદીના કાફલા વચ્ચે આવી ગઈ હતી મહિલા 

પીએમ મોદી ગઈકાલે એટલે કે બુધવારે ઝારખંડ પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી અલગ અલગ સ્થળો પર ગયા હતા અને જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન જેલ ચોક સ્થિત બિરસા મુંડા મેમોરિયલ કમ પાર્ક જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મહિલા રેડિયમ રોડ પર વડાપ્રધાનના કાફલાની સામે આવી. મહિલા અચાનક કારશેડમાં ઘૂસી જતાં ઈમરજન્સી બ્રેક લગાવવી પડી હતી. થોડા ક્ષણોની અંદર મહિલાને ત્યાંથી ખસેડી દેવામાં આવી અને કાફલો આગળ વધી ગયો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન ફરજમાં બેદરકારી બદલ એક ASI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ASI અબુ ઝફર, કોન્સ્ટેબલ છોટાલાલ ટુડુ અને કોન્સ્ટેબલ રંજન કુમારનો સમાવેશ થાય છે.

Three policemen suspended for lapse in PM's security in Jharkhand

પોલીસ અધિકારીએ મહિલા વિશે કહી આ વાત 

જે મહિલા પીએમના કાફલાની સામે આવી હતી તેની જ્યારે પૂછપરછ કરાઈ ત્યારે પોલીસને જાણવા મળ્યું કે તે મહિલા પોતાના પતીની ફરિયાદ પીએમને કરવા માગતી હતી! આ મામલે મળતી માહિતી અનુસાર આ મહિલા પતિથી પીડિત હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કહ્યું કે તેના લગ્ન 2012માં ઝારખંડના દેવધર જિલ્લામાં જમુની ગામમાં થયા હતા. 2016થી પતિ સાથે ઝઘડો ચાલતો હતો. મહિલા ઈચ્છતિ હતી કે પતિનું વેતન તેના ખાતામાં  આવે. આ મામલે તે ઓક્ટોબરમાં પીએમ મોદીને મળવા દિલ્હી પણ ગઈ હતી. 10 દિવસ રહી પણ તેને નિરાશા હાથમાં આવી. રાષ્ટ્રપતિ સાથે પણ તેણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. તે મહિલા પોતાના સાસરે પાછી આવી ગઈ. 


પોતાની વેદના સંભળાવવા માટે મહિલા કરી રહી હતી પ્રયાસ 

વધુમાં અધિકારીએ જણાવ્યું કે પીએમ મોદી રાંચી આવવાને છે તેની જાણ મહિલા થઈ તો તે પીએમને મળવા માટે ત્યાં આવી ગઈ. મહિલાએ મંગળવારે પીએમ મોદીને મળવાની કોશિશ કરી પરંતુ તે સફળ ન થઈ. તો બુધવારે જ્યારે પીએમ જઈ રહ્યા હતા તે વખતે તેમને મળવાની કોશિશ કરી. પરંતુ આ વખતે પણ તે નિષ્ફળ ગઈ. ભીડમાં ઉભેલી મહિલાને અચાનક સાઈરન સંભળાયું અને તે પીએમના કાફલાની સામે આવી ગઈ.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.