Delhi International Airport પર સર્જાઈ મોટી દુર્ઘટના, ટર્મિનલ-1ની છત તૂટી પડી, ગાડીઓ દબાઈ અને લોકોને પહોંચી ઈજા...


  • Published By :
  • Published Date : 2024-06-28 11:20:05

ચોમાસાની સિઝન જામી છે.. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. વરસાદ આવવાની લોકો પ્રતિક્ષા કરી રહ્યા હતા. વરસાદ આવ્યો પરંતુ તેની તેની સાથે અનેક આફતો પણ આવી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોને ઈજા પહોંચી છે.

  

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાઈ દુર્ઘટના

રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.. રસ્તા પર પાણી ફરી વળ્યું છે. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.. વાહનચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે.. વાહનો બંધ પડી ગયા અને ધક્કા મારતા લોકો દેખાઈ રહ્યા છે.  એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. આ છતની નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ટર્મિનલ-1ની તૂટી ગઈ છત અને... 

છત પડવાની ઘટના સામે આવતા રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી.. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એકથી ઉડવાવાળી ફ્લાઈટને અસર પહોંચી છે.. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. છત તૂટી જવાને કારણે ટર્મિનલ 1મં પાર્ક કરેલી કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ મામલે આપી પ્રતિક્રિયા 

આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા X પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે લખ્યું, 'હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.મહત્વનું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, પાણી ભરાઈ રહ્યા જેને કારણે પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉભા થાય છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.