Delhi International Airport પર સર્જાઈ મોટી દુર્ઘટના, ટર્મિનલ-1ની છત તૂટી પડી, ગાડીઓ દબાઈ અને લોકોને પહોંચી ઈજા...


  • Published By :
  • Published Date : 2024-06-28 11:20:05

ચોમાસાની સિઝન જામી છે.. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. વરસાદ આવવાની લોકો પ્રતિક્ષા કરી રહ્યા હતા. વરસાદ આવ્યો પરંતુ તેની તેની સાથે અનેક આફતો પણ આવી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોને ઈજા પહોંચી છે.

  

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાઈ દુર્ઘટના

રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.. રસ્તા પર પાણી ફરી વળ્યું છે. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.. વાહનચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે.. વાહનો બંધ પડી ગયા અને ધક્કા મારતા લોકો દેખાઈ રહ્યા છે.  એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. આ છતની નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ટર્મિનલ-1ની તૂટી ગઈ છત અને... 

છત પડવાની ઘટના સામે આવતા રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી.. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એકથી ઉડવાવાળી ફ્લાઈટને અસર પહોંચી છે.. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. છત તૂટી જવાને કારણે ટર્મિનલ 1મં પાર્ક કરેલી કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ મામલે આપી પ્રતિક્રિયા 

આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા X પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે લખ્યું, 'હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.મહત્વનું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, પાણી ભરાઈ રહ્યા જેને કારણે પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉભા થાય છે.  



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.