Delhi International Airport પર સર્જાઈ મોટી દુર્ઘટના, ટર્મિનલ-1ની છત તૂટી પડી, ગાડીઓ દબાઈ અને લોકોને પહોંચી ઈજા...


  • Published By :
  • Published Date : 2024-06-28 11:20:05

ચોમાસાની સિઝન જામી છે.. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. વરસાદ આવવાની લોકો પ્રતિક્ષા કરી રહ્યા હતા. વરસાદ આવ્યો પરંતુ તેની તેની સાથે અનેક આફતો પણ આવી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોને ઈજા પહોંચી છે.

  

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાઈ દુર્ઘટના

રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.. રસ્તા પર પાણી ફરી વળ્યું છે. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.. વાહનચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે.. વાહનો બંધ પડી ગયા અને ધક્કા મારતા લોકો દેખાઈ રહ્યા છે.  એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. આ છતની નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ટર્મિનલ-1ની તૂટી ગઈ છત અને... 

છત પડવાની ઘટના સામે આવતા રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી.. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એકથી ઉડવાવાળી ફ્લાઈટને અસર પહોંચી છે.. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. છત તૂટી જવાને કારણે ટર્મિનલ 1મં પાર્ક કરેલી કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ મામલે આપી પ્રતિક્રિયા 

આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા X પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે લખ્યું, 'હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.મહત્વનું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, પાણી ભરાઈ રહ્યા જેને કારણે પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉભા થાય છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .