પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન વખતે સર્જાઈ મોટી દુર્ઘટના, પાણીમાં ડૂબી જતા 8 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:47:02

નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિ પંડાલમાં લાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીનો અનેરો મહિમા રહેલો છે. અનેક સ્થળો પર દુર્ગા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે દશેરા દિવસે મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મલ નદીમાં પાણી છોડાતા મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 8 લોકો પાણીમાં ડૂબી ગયા છે. અને 20થી 22 લોકો ગુમ થવા હોવાની આશંકા દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ડ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મૂર્તિ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના

દશેરાના દિવસે માતાજીની મૂર્તિને વિદાય આપવામાં આવે છે. પાણીમાં દુર્ગા માતાની પ્રતિમાને પધરાવવામાં આવે છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે મૂર્તિ વિસર્જન કરવા ગયેલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા. વધારે પાણીનો પ્રવાહ આવતા તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે આવી બચાવવાની કોશિશ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે આ ઘટનામાં 8 લોકોનાં મોત થયો છે. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 40 જેટલા લોકો હજુ પણ ટાપુ પર ફસાયા છે.

 

વડાપ્રધાન મોદીએ લીધી ઘટનાની નોંધ

આ દુર્ઘટનાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતા તેમણે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વિટ કરતા લખ્યું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુ:ખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.     


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.