પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન વખતે સર્જાઈ મોટી દુર્ઘટના, પાણીમાં ડૂબી જતા 8 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:47:02

નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિ પંડાલમાં લાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીનો અનેરો મહિમા રહેલો છે. અનેક સ્થળો પર દુર્ગા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે દશેરા દિવસે મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મલ નદીમાં પાણી છોડાતા મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 8 લોકો પાણીમાં ડૂબી ગયા છે. અને 20થી 22 લોકો ગુમ થવા હોવાની આશંકા દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ડ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મૂર્તિ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના

દશેરાના દિવસે માતાજીની મૂર્તિને વિદાય આપવામાં આવે છે. પાણીમાં દુર્ગા માતાની પ્રતિમાને પધરાવવામાં આવે છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે મૂર્તિ વિસર્જન કરવા ગયેલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા. વધારે પાણીનો પ્રવાહ આવતા તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે આવી બચાવવાની કોશિશ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે આ ઘટનામાં 8 લોકોનાં મોત થયો છે. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 40 જેટલા લોકો હજુ પણ ટાપુ પર ફસાયા છે.

 

વડાપ્રધાન મોદીએ લીધી ઘટનાની નોંધ

આ દુર્ઘટનાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતા તેમણે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વિટ કરતા લખ્યું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુ:ખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.     


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.