Bhavnagarમાં સર્જાઈ મોટી દુર્ઘટના, માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દબાયા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-02 15:00:14

ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. જેમાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન અનેક વખત આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દિવાલો ધરાશાયી થતા, નિર્માણાધીન મકાનો તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થતાં હોય છે જેને લઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માધવહિલ કોમ્પલેક્ષમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે તેવી માહિતી હાલ સામે આવી છે.  

Bhavnagar: 10 to 15 people feared buried in debris after building collapse in Bhavnagar Bhavnagar:  જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના, 10થી 15 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દુર્ઘટના સર્જાવાને કારણે લોકો કાળનો કોળિયો બને છે. દિવાલ ધરાશાયી, જર્જરિત મકાન ધરાશાયી થતી હોવાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં આવી દુર્ઘટના સર્જાતી હતી. તે બાદ જૂનાગઢમાં પણ આવી ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ભાવનગરમાં બિલ્ડીંગના પાછળનો ભાગ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ કાટમાળ નીચે 10થી 15 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક  વ્યક્તિનું મોત થઈ ગયું હોય છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જે લોકો દટાયા છે તેમની હાલત ગંભીર છે તેવી માહિતી હાલ સામે  આવી રહી છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે