Bhavnagarમાં સર્જાઈ મોટી દુર્ઘટના, માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દબાયા


  • Published By :
  • Published Date : 2023-08-02 15:00:14

ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. જેમાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન અનેક વખત આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દિવાલો ધરાશાયી થતા, નિર્માણાધીન મકાનો તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થતાં હોય છે જેને લઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માધવહિલ કોમ્પલેક્ષમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે તેવી માહિતી હાલ સામે આવી છે.  

Bhavnagar: 10 to 15 people feared buried in debris after building collapse in Bhavnagar Bhavnagar:  જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના, 10થી 15 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દુર્ઘટના સર્જાવાને કારણે લોકો કાળનો કોળિયો બને છે. દિવાલ ધરાશાયી, જર્જરિત મકાન ધરાશાયી થતી હોવાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં આવી દુર્ઘટના સર્જાતી હતી. તે બાદ જૂનાગઢમાં પણ આવી ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ભાવનગરમાં બિલ્ડીંગના પાછળનો ભાગ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ કાટમાળ નીચે 10થી 15 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક  વ્યક્તિનું મોત થઈ ગયું હોય છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જે લોકો દટાયા છે તેમની હાલત ગંભીર છે તેવી માહિતી હાલ સામે  આવી રહી છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી