રાજસ્થાનના જોધપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:02:53

રાજસ્થાનના જોધપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ કીર્તિનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. સિલિન્ડર બ્લાસ્ટ થતા 16 લોકો ઘાયલ થયા છે અને 4 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાને કારણે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોધપુરના માતા કા થાન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ગેસ બ્લાસ્ટ થવાને કારણે ઘણા વાહનો સળગી ગયા છે. ઘટનામાં ઘાયલ થતા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

મુખ્યમંત્રી ગેહલોતે ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની નોંધ લીધી હતી. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે જોધપુરના મગરા પૂંજલા વિસ્તારના કિર્તી નગરમાં ગેસ સિલિન્ડરને કારણે 4 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા વિશે જાણીને દુ:ખ થયું છે. સ્થાનિક પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી દેવાઈ છે.

  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .