રાજસ્થાનના જોધપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:02:53

રાજસ્થાનના જોધપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ કીર્તિનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. સિલિન્ડર બ્લાસ્ટ થતા 16 લોકો ઘાયલ થયા છે અને 4 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાને કારણે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોધપુરના માતા કા થાન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ગેસ બ્લાસ્ટ થવાને કારણે ઘણા વાહનો સળગી ગયા છે. ઘટનામાં ઘાયલ થતા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

મુખ્યમંત્રી ગેહલોતે ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની નોંધ લીધી હતી. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે જોધપુરના મગરા પૂંજલા વિસ્તારના કિર્તી નગરમાં ગેસ સિલિન્ડરને કારણે 4 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા વિશે જાણીને દુ:ખ થયું છે. સ્થાનિક પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી દેવાઈ છે.

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.