રાજસ્થાનના જોધપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:02:53

રાજસ્થાનના જોધપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ કીર્તિનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. સિલિન્ડર બ્લાસ્ટ થતા 16 લોકો ઘાયલ થયા છે અને 4 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાને કારણે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોધપુરના માતા કા થાન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. ગેસ બ્લાસ્ટ થવાને કારણે ઘણા વાહનો સળગી ગયા છે. ઘટનામાં ઘાયલ થતા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

મુખ્યમંત્રી ગેહલોતે ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની નોંધ લીધી હતી. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે જોધપુરના મગરા પૂંજલા વિસ્તારના કિર્તી નગરમાં ગેસ સિલિન્ડરને કારણે 4 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા વિશે જાણીને દુ:ખ થયું છે. સ્થાનિક પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી દેવાઈ છે.

  



ગુજરાતમાં બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે પ્રચાર માટેની..

સાબરકાંંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે. શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. શોભનાબેનને ટિકીટ અપાતા ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનંત પટેલ આક્રામક દેખાય છે ત્યારે ફરી એક વખત અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

UPSCનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવે પરીક્ષાને ટોપ કરી છે... લાખો ઉમેદવારોનું સપનું હોય છે યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવા માટે.