Maharastraમાં સર્જાઈ મોટી દુર્ઘટના, પુલ નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા થયા અનેક શ્રમિકોના મોત


  • Published By :
  • Published Date : 2023-08-01 10:11:09

મહારાષ્ટ્રના થાણેમાં  મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 16 જેટલા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે જ્યારે બાંધકામની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. જે ગર્ડર મશીનને કારણે દુર્ઘટના સર્જાઈ છે તે અંદાજીત 100 ફૂટની ઉંચાઈએથી નીચે પડી ગયું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. આ ઘટનામાં અનેક મજૂરો દટાયા છે અને હાલ તેમને બચાવવા માટે કામગીરી કરાઈ રહી છે. મશીનનું ભારે વજન હોવાને કારણે ઝડપથી તેને દૂર કરવામાં પણ તકલીફ પડી રહી છે.


દુર્ઘટનામાં થયા 16 લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આપણી સામે એવી અનેક એવી ઘટનાઓ આવતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ગઈકાલે ચાલતી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી તો આજે થાણેમાં નિર્માણધીન બ્રિજ  પર દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર મોડી રાત્રે અને મંગળવાર વહેલી સવારે શાહપુર નજીક ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 16 શ્રમિકોના મોત હજી સુધી થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક બીજા શ્રમિકો દટાયા છે.      


 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .