Maharastraમાં સર્જાઈ મોટી દુર્ઘટના, પુલ નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા થયા અનેક શ્રમિકોના મોત


  • Published By :
  • Published Date : 2023-08-01 10:11:09

મહારાષ્ટ્રના થાણેમાં  મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 16 જેટલા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે જ્યારે બાંધકામની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. જે ગર્ડર મશીનને કારણે દુર્ઘટના સર્જાઈ છે તે અંદાજીત 100 ફૂટની ઉંચાઈએથી નીચે પડી ગયું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. આ ઘટનામાં અનેક મજૂરો દટાયા છે અને હાલ તેમને બચાવવા માટે કામગીરી કરાઈ રહી છે. મશીનનું ભારે વજન હોવાને કારણે ઝડપથી તેને દૂર કરવામાં પણ તકલીફ પડી રહી છે.


દુર્ઘટનામાં થયા 16 લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આપણી સામે એવી અનેક એવી ઘટનાઓ આવતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ગઈકાલે ચાલતી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી તો આજે થાણેમાં નિર્માણધીન બ્રિજ  પર દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર મોડી રાત્રે અને મંગળવાર વહેલી સવારે શાહપુર નજીક ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 16 શ્રમિકોના મોત હજી સુધી થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક બીજા શ્રમિકો દટાયા છે.      


 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.