Maharastraમાં સર્જાઈ મોટી દુર્ઘટના, પુલ નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા થયા અનેક શ્રમિકોના મોત


  • Published By :
  • Published Date : 2023-08-01 10:11:09

મહારાષ્ટ્રના થાણેમાં  મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 16 જેટલા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે જ્યારે બાંધકામની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. જે ગર્ડર મશીનને કારણે દુર્ઘટના સર્જાઈ છે તે અંદાજીત 100 ફૂટની ઉંચાઈએથી નીચે પડી ગયું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. આ ઘટનામાં અનેક મજૂરો દટાયા છે અને હાલ તેમને બચાવવા માટે કામગીરી કરાઈ રહી છે. મશીનનું ભારે વજન હોવાને કારણે ઝડપથી તેને દૂર કરવામાં પણ તકલીફ પડી રહી છે.


દુર્ઘટનામાં થયા 16 લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આપણી સામે એવી અનેક એવી ઘટનાઓ આવતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ગઈકાલે ચાલતી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી તો આજે થાણેમાં નિર્માણધીન બ્રિજ  પર દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર મોડી રાત્રે અને મંગળવાર વહેલી સવારે શાહપુર નજીક ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 16 શ્રમિકોના મોત હજી સુધી થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક બીજા શ્રમિકો દટાયા છે.      


 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.