Maharastraમાં રવિવાર સાંજે સર્જાઈ મોટી દુર્ઘટના, 40મા માળેથી લિફ્ટ નીચે પટકાતા થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-11 15:00:00

મુંબઈમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. રવિવાર રાત્રે મહારાષ્ટ્રના થાણેમાં લીફ્ટ પડવાની ઘટના બની છે જે પ્રાણ ઘાતક સાબિત થઈ છે. આ દુર્ઘટનામાં સાત જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. 40 મંજિલ ઈમારતનું નિર્માણ ચાલી રહ્યું હતું. મળતી માહિતી અનુસાર કંસ્ટ્રક્શન લિફ્ટ ટૂટી પડતા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં શ્રમિકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકોને ખસેડવામાં આવ્યા હોસ્પિટલ 

મહારાષ્ટ્રમાં મોટી મોટી ઈમારતો આવેલી છે. બહુમાળી બિલ્ડીંગ હોવાને કારણે અનેક વખત બહુ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રના થાણેના બાલકુલમ વિસ્તારમાં બની છે જેમાં નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડી છે. પોતાનું કામ પતાવીને શ્રમિકો નીચે આવી રહ્યા હતા. ત્યારે રવિવારે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ છે જેને કારણે શ્રમિકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. મળતી માહિતી અનુસાર રૂનવાલ નામની 40 માળની બિલ્ડિંગની લિફ્ટ ધડામ લઈને તૂટી પડી હતી. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ, વહીવટી તંત્ર તથા બચાવ કામગીરી કરનારી ટીમ ત્વરીત ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. શ્રમિકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી. આ દુર્ઘટનામાં જે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

40માં માળથી નીચે પટકાઈ લિફ્ટ!

જ્યાં દુર્ઘટના સર્જાઈ છે ત્યાંની વાત કરીએ તો ઠાણેમાં 40 માળની બિલ્ડિંગનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. રવિવાર સાંજે છતની વોટરફ્રૂફિંગ કરીને 40માં માળથી નીચે આવી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની અને એવું માનવામાં આવી રહ્યું છે કે સપોર્ટિગ કેબલ તૂટવાને કારણે આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં પહેલા પાંચ શ્રમિકોના મોત થયા હતા પરંતુ હવે મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે. બે શ્રમિકોએ પોતાનો જીવ હોસ્પિટલમાં ગુમાવ્યો છે સારવાર દરમિયાન. એવી પણ માહિતી સામે આવી છે કે લિફ્ટમાં સાત શ્રમિકો સવાર હતા અને સાતે શ્રમિકોના મોત થઈ ગયા છે. 


ઉપમુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો 

ઘટનાને લઈ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે દુખ વ્યક્ત કર્યું છે. શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું કે ઠાણેમાં જે લિફ્ટ દુર્ઘટના સર્જાઈ તે અત્યંત દુખદ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોના પરિવાર સાથે મારી સંવેદના છે.    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.