Maharastraમાં રવિવાર સાંજે સર્જાઈ મોટી દુર્ઘટના, 40મા માળેથી લિફ્ટ નીચે પટકાતા થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-11 15:00:00

મુંબઈમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. રવિવાર રાત્રે મહારાષ્ટ્રના થાણેમાં લીફ્ટ પડવાની ઘટના બની છે જે પ્રાણ ઘાતક સાબિત થઈ છે. આ દુર્ઘટનામાં સાત જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. 40 મંજિલ ઈમારતનું નિર્માણ ચાલી રહ્યું હતું. મળતી માહિતી અનુસાર કંસ્ટ્રક્શન લિફ્ટ ટૂટી પડતા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં શ્રમિકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકોને ખસેડવામાં આવ્યા હોસ્પિટલ 

મહારાષ્ટ્રમાં મોટી મોટી ઈમારતો આવેલી છે. બહુમાળી બિલ્ડીંગ હોવાને કારણે અનેક વખત બહુ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મહારાષ્ટ્રના થાણેના બાલકુલમ વિસ્તારમાં બની છે જેમાં નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડી છે. પોતાનું કામ પતાવીને શ્રમિકો નીચે આવી રહ્યા હતા. ત્યારે રવિવારે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ છે જેને કારણે શ્રમિકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. મળતી માહિતી અનુસાર રૂનવાલ નામની 40 માળની બિલ્ડિંગની લિફ્ટ ધડામ લઈને તૂટી પડી હતી. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ, વહીવટી તંત્ર તથા બચાવ કામગીરી કરનારી ટીમ ત્વરીત ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. શ્રમિકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી. આ દુર્ઘટનામાં જે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

40માં માળથી નીચે પટકાઈ લિફ્ટ!

જ્યાં દુર્ઘટના સર્જાઈ છે ત્યાંની વાત કરીએ તો ઠાણેમાં 40 માળની બિલ્ડિંગનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. રવિવાર સાંજે છતની વોટરફ્રૂફિંગ કરીને 40માં માળથી નીચે આવી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની અને એવું માનવામાં આવી રહ્યું છે કે સપોર્ટિગ કેબલ તૂટવાને કારણે આ દુર્ઘટના બની છે. આ ઘટનામાં પહેલા પાંચ શ્રમિકોના મોત થયા હતા પરંતુ હવે મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે. બે શ્રમિકોએ પોતાનો જીવ હોસ્પિટલમાં ગુમાવ્યો છે સારવાર દરમિયાન. એવી પણ માહિતી સામે આવી છે કે લિફ્ટમાં સાત શ્રમિકો સવાર હતા અને સાતે શ્રમિકોના મોત થઈ ગયા છે. 


ઉપમુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો 

ઘટનાને લઈ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે દુખ વ્યક્ત કર્યું છે. શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું કે ઠાણેમાં જે લિફ્ટ દુર્ઘટના સર્જાઈ તે અત્યંત દુખદ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોના પરિવાર સાથે મારી સંવેદના છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .