Uttrakhandમાં સર્જાઈ મોટી દુર્ઘટના, યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્બેલ! આટલા શ્રમિકોના જીવ સંકટમાં!


  • Published By :
  • Published Date : 2023-11-12 13:00:14

દેશના અનેક રાજ્યોમાં ટનલ બનાવાની કામગીરી ચાલી રહી છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નિર્માણ પામી રહેલી બિલ્ડીંગ, બ્રિજો,ટનલ તૂટી પડતા હોય છે. ત્યારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. એક ભાગ તૂટી પડતા તેની નીચે અનેક શ્રમિકો ફસાયા છે તેવી જાણકારી પણ સામે આવી છે. દુર્ઘટના સર્જાયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની નથી થઈ. પરંતુ જાનહાની નહીં જ થઈ હોય તેવી સંભાવના નથી.! 

નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્લેબ! 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે નિર્માણાધીન ટનલનો એક સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં અનેક શ્રમિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. બ્રહ્મખાલ-યમનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સ્લેબ નીચે 40 જેટલા મજૂરો ફસાયા છે. ઘટનાની જાણ થતા જ બચાવની કામગીરી શરૂ થઈ ગઈ છે. શ્રમિકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ક્યાં સર્જાઈ આ દુર્ઘટના? 

મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સવારે 5:00 વાગ્યે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા. ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર 2023 હતો, પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.      



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .