Uttrakhandમાં સર્જાઈ મોટી દુર્ઘટના, યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્બેલ! આટલા શ્રમિકોના જીવ સંકટમાં!


  • Published By :
  • Published Date : 2023-11-12 13:00:14

દેશના અનેક રાજ્યોમાં ટનલ બનાવાની કામગીરી ચાલી રહી છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નિર્માણ પામી રહેલી બિલ્ડીંગ, બ્રિજો,ટનલ તૂટી પડતા હોય છે. ત્યારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. એક ભાગ તૂટી પડતા તેની નીચે અનેક શ્રમિકો ફસાયા છે તેવી જાણકારી પણ સામે આવી છે. દુર્ઘટના સર્જાયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની નથી થઈ. પરંતુ જાનહાની નહીં જ થઈ હોય તેવી સંભાવના નથી.! 

નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્લેબ! 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે નિર્માણાધીન ટનલનો એક સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં અનેક શ્રમિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. બ્રહ્મખાલ-યમનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સ્લેબ નીચે 40 જેટલા મજૂરો ફસાયા છે. ઘટનાની જાણ થતા જ બચાવની કામગીરી શરૂ થઈ ગઈ છે. શ્રમિકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ક્યાં સર્જાઈ આ દુર્ઘટના? 

મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સવારે 5:00 વાગ્યે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા. ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર 2023 હતો, પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.