વલસાડના સરીગામ GIDCમાં થયો ભીષણ બ્લાસ્ટ, ત્રણ કામદારોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-28 10:24:35

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આગ લાગવાને કારણે લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન પણ થતું હોય છે. ત્યારે વલસાડના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેમાં ત્રણ કામદારોના મોત થયા છે. વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ભયંકર બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ લાગી હતી. કાટમાળ પણ તૂટી પડ્યો હતો જેમાં કામદારો દબાયેલા હોવાની માહિતી સામે આવી. પ્રચંડ ધમાકા બાદ લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. ઉપરાંત પોલીસે પણ ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.

 વાપી: વલસાડના સરીગામ જીઆઈડીસીની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશય થયો છે. આ પ્રચંડ ધમાકામાં  ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ બાદ થયેલા કાટમાળમાં કેટલાક લોકો પણ દબાયાની માહિતી સામે આવી રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ ત્યાં તેમની શોધખોળ કરી રહી છે. મોડી રાતે થયેલા પ્રચંડ ધમાકા બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 આ કંપનીનાં બ્લાસ્ટનાં ધડાકાને કારણે આસપાસની કંપનીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.


ઘટનામાં થયા ત્રણ જેટલા કામદારોના મોત 

આગ લાગવાની ઘટના પ્રતિદિન વધી રહી છે. વલસાડના સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઈન્ડિયા નામની કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશાઈ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ધમાકામાં ત્રણ જેટલા કામદારોના મોત થયા છે. ઉપરાંત કાટમાળમાં અનેક કામદારો ફસાયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  

 આ લોકો એક મશીનનાં સમારકામ માટે આવ્યાં હતા. અને બ્લાસ્ટ થતા ફસાઇ ગયા હતા.

 જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.

કાટમાળમાં ફસાયેલા કામદારોનું કરાયું રેસ્ક્યુ 

પેટ્રો ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત થયા છે. તો બે માળનો એક તરફનો હિસ્સો પણ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.