વલસાડના સરીગામ GIDCમાં થયો ભીષણ બ્લાસ્ટ, ત્રણ કામદારોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-28 10:24:35

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આગ લાગવાને કારણે લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન પણ થતું હોય છે. ત્યારે વલસાડના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેમાં ત્રણ કામદારોના મોત થયા છે. વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ભયંકર બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ લાગી હતી. કાટમાળ પણ તૂટી પડ્યો હતો જેમાં કામદારો દબાયેલા હોવાની માહિતી સામે આવી. પ્રચંડ ધમાકા બાદ લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. ઉપરાંત પોલીસે પણ ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.

 વાપી: વલસાડના સરીગામ જીઆઈડીસીની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશય થયો છે. આ પ્રચંડ ધમાકામાં  ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ બાદ થયેલા કાટમાળમાં કેટલાક લોકો પણ દબાયાની માહિતી સામે આવી રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ ત્યાં તેમની શોધખોળ કરી રહી છે. મોડી રાતે થયેલા પ્રચંડ ધમાકા બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 આ કંપનીનાં બ્લાસ્ટનાં ધડાકાને કારણે આસપાસની કંપનીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.


ઘટનામાં થયા ત્રણ જેટલા કામદારોના મોત 

આગ લાગવાની ઘટના પ્રતિદિન વધી રહી છે. વલસાડના સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઈન્ડિયા નામની કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશાઈ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ધમાકામાં ત્રણ જેટલા કામદારોના મોત થયા છે. ઉપરાંત કાટમાળમાં અનેક કામદારો ફસાયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  

 આ લોકો એક મશીનનાં સમારકામ માટે આવ્યાં હતા. અને બ્લાસ્ટ થતા ફસાઇ ગયા હતા.

 જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.

કાટમાળમાં ફસાયેલા કામદારોનું કરાયું રેસ્ક્યુ 

પેટ્રો ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત થયા છે. તો બે માળનો એક તરફનો હિસ્સો પણ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.