વલસાડના સરીગામ GIDCમાં થયો ભીષણ બ્લાસ્ટ, ત્રણ કામદારોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-28 10:24:35

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આગ લાગવાને કારણે લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન પણ થતું હોય છે. ત્યારે વલસાડના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેમાં ત્રણ કામદારોના મોત થયા છે. વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ભયંકર બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ લાગી હતી. કાટમાળ પણ તૂટી પડ્યો હતો જેમાં કામદારો દબાયેલા હોવાની માહિતી સામે આવી. પ્રચંડ ધમાકા બાદ લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. ઉપરાંત પોલીસે પણ ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.

 વાપી: વલસાડના સરીગામ જીઆઈડીસીની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશય થયો છે. આ પ્રચંડ ધમાકામાં  ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ બાદ થયેલા કાટમાળમાં કેટલાક લોકો પણ દબાયાની માહિતી સામે આવી રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ ત્યાં તેમની શોધખોળ કરી રહી છે. મોડી રાતે થયેલા પ્રચંડ ધમાકા બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 આ કંપનીનાં બ્લાસ્ટનાં ધડાકાને કારણે આસપાસની કંપનીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.


ઘટનામાં થયા ત્રણ જેટલા કામદારોના મોત 

આગ લાગવાની ઘટના પ્રતિદિન વધી રહી છે. વલસાડના સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઈન્ડિયા નામની કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશાઈ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ધમાકામાં ત્રણ જેટલા કામદારોના મોત થયા છે. ઉપરાંત કાટમાળમાં અનેક કામદારો ફસાયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  

 આ લોકો એક મશીનનાં સમારકામ માટે આવ્યાં હતા. અને બ્લાસ્ટ થતા ફસાઇ ગયા હતા.

 જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.

કાટમાળમાં ફસાયેલા કામદારોનું કરાયું રેસ્ક્યુ 

પેટ્રો ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત થયા છે. તો બે માળનો એક તરફનો હિસ્સો પણ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.