ગુજરાત પોલીસ માટે ગર્વની વાત, પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 15:27:46

થોડા સમય પહેલા ગુજરાતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકને લઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરીના લાઈઝેનિંગ માટે પી.એસ. આઈ આર.જી.રાઓલની નિમણૂંક કરવામાં આવી હતી. પી.એસ.આઈની કામગીરીથી ખુશ થઈ તેમને સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ આર.જી.રાઓલ ઈ-ડિવિજનલ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવે છે. આર.જી.રાઓલની નિમણૂંક યુએસએના સેક્રેટરી ઓફ ટેઝરી જેનેટ એએલ સાથે લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


ગાંધીનગર ખાતે મળી હતી જી-20 બેઠક 

ભારતમાં મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે ત્યાં જો કોઈ મહેમાન આવે તો તેની આગતા સ્વાગતામાં કોઈ કસર નથી રાખતા. અને તેમાં પણ જો મહેમાન વિદેશથી આવ્યા હોય અને ન માત્ર આપણા પરંતુ દેશના મહેમાન હોય તો તો વાત જ કંઈક અલગ છે. ત્યારે ગાંધીનગર ખાતે જી-20 બેઠકનું આયોજન થયું હતું,એ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. બેઠકને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક ઓફિસરોની નિમણૂંક લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો

પીએસઆઈ આર.જી. રાઓલને લાઈઝેનિંગ ઓફિસર તરીકે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી જેનેટ એએલ સાથે રાખવામાં આવ્યા હતા. વિદેશથી આવેલા મહેમાનને કોઈ અગવડ ન પડે તે માટે પીએસઆઈએ ઘણી મહેનત કરી હતી. તમામ સગવડો સમયસર તેમની સુધી પહોંચે તેવું આયોજન તેમજ તેવું મેનેજમેન્ટ જોઈ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પીએસઆઈની કામગીરીને જોઈ યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ખુશ થયા હતા. જેનેટ એએલે તેમની કામગીરીને જોઈ સિક્યોરિટી ઓફિસરને મેડલ આપવાની જાહેરાત કરી હતી અને પીએસઆઈ આરજી રાઓલને યુએસએનો સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.       




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે