ગુજરાત પોલીસ માટે ગર્વની વાત, પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-07-19 15:27:46

થોડા સમય પહેલા ગુજરાતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકને લઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરીના લાઈઝેનિંગ માટે પી.એસ. આઈ આર.જી.રાઓલની નિમણૂંક કરવામાં આવી હતી. પી.એસ.આઈની કામગીરીથી ખુશ થઈ તેમને સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ આર.જી.રાઓલ ઈ-ડિવિજનલ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવે છે. આર.જી.રાઓલની નિમણૂંક યુએસએના સેક્રેટરી ઓફ ટેઝરી જેનેટ એએલ સાથે લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


ગાંધીનગર ખાતે મળી હતી જી-20 બેઠક 

ભારતમાં મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે ત્યાં જો કોઈ મહેમાન આવે તો તેની આગતા સ્વાગતામાં કોઈ કસર નથી રાખતા. અને તેમાં પણ જો મહેમાન વિદેશથી આવ્યા હોય અને ન માત્ર આપણા પરંતુ દેશના મહેમાન હોય તો તો વાત જ કંઈક અલગ છે. ત્યારે ગાંધીનગર ખાતે જી-20 બેઠકનું આયોજન થયું હતું,એ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. બેઠકને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક ઓફિસરોની નિમણૂંક લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો

પીએસઆઈ આર.જી. રાઓલને લાઈઝેનિંગ ઓફિસર તરીકે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી જેનેટ એએલ સાથે રાખવામાં આવ્યા હતા. વિદેશથી આવેલા મહેમાનને કોઈ અગવડ ન પડે તે માટે પીએસઆઈએ ઘણી મહેનત કરી હતી. તમામ સગવડો સમયસર તેમની સુધી પહોંચે તેવું આયોજન તેમજ તેવું મેનેજમેન્ટ જોઈ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પીએસઆઈની કામગીરીને જોઈ યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ખુશ થયા હતા. જેનેટ એએલે તેમની કામગીરીને જોઈ સિક્યોરિટી ઓફિસરને મેડલ આપવાની જાહેરાત કરી હતી અને પીએસઆઈ આરજી રાઓલને યુએસએનો સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.