ગુજરાત પોલીસ માટે ગર્વની વાત, પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-07-19 15:27:46

થોડા સમય પહેલા ગુજરાતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકને લઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરીના લાઈઝેનિંગ માટે પી.એસ. આઈ આર.જી.રાઓલની નિમણૂંક કરવામાં આવી હતી. પી.એસ.આઈની કામગીરીથી ખુશ થઈ તેમને સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ આર.જી.રાઓલ ઈ-ડિવિજનલ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવે છે. આર.જી.રાઓલની નિમણૂંક યુએસએના સેક્રેટરી ઓફ ટેઝરી જેનેટ એએલ સાથે લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


ગાંધીનગર ખાતે મળી હતી જી-20 બેઠક 

ભારતમાં મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે ત્યાં જો કોઈ મહેમાન આવે તો તેની આગતા સ્વાગતામાં કોઈ કસર નથી રાખતા. અને તેમાં પણ જો મહેમાન વિદેશથી આવ્યા હોય અને ન માત્ર આપણા પરંતુ દેશના મહેમાન હોય તો તો વાત જ કંઈક અલગ છે. ત્યારે ગાંધીનગર ખાતે જી-20 બેઠકનું આયોજન થયું હતું,એ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. બેઠકને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક ઓફિસરોની નિમણૂંક લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો

પીએસઆઈ આર.જી. રાઓલને લાઈઝેનિંગ ઓફિસર તરીકે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી જેનેટ એએલ સાથે રાખવામાં આવ્યા હતા. વિદેશથી આવેલા મહેમાનને કોઈ અગવડ ન પડે તે માટે પીએસઆઈએ ઘણી મહેનત કરી હતી. તમામ સગવડો સમયસર તેમની સુધી પહોંચે તેવું આયોજન તેમજ તેવું મેનેજમેન્ટ જોઈ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પીએસઆઈની કામગીરીને જોઈ યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ખુશ થયા હતા. જેનેટ એએલે તેમની કામગીરીને જોઈ સિક્યોરિટી ઓફિસરને મેડલ આપવાની જાહેરાત કરી હતી અને પીએસઆઈ આરજી રાઓલને યુએસએનો સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.       




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.