ગુજરાત પોલીસ માટે ગર્વની વાત, પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-07-19 15:27:46

થોડા સમય પહેલા ગુજરાતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકને લઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરીના લાઈઝેનિંગ માટે પી.એસ. આઈ આર.જી.રાઓલની નિમણૂંક કરવામાં આવી હતી. પી.એસ.આઈની કામગીરીથી ખુશ થઈ તેમને સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ આર.જી.રાઓલ ઈ-ડિવિજનલ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવે છે. આર.જી.રાઓલની નિમણૂંક યુએસએના સેક્રેટરી ઓફ ટેઝરી જેનેટ એએલ સાથે લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


ગાંધીનગર ખાતે મળી હતી જી-20 બેઠક 

ભારતમાં મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે ત્યાં જો કોઈ મહેમાન આવે તો તેની આગતા સ્વાગતામાં કોઈ કસર નથી રાખતા. અને તેમાં પણ જો મહેમાન વિદેશથી આવ્યા હોય અને ન માત્ર આપણા પરંતુ દેશના મહેમાન હોય તો તો વાત જ કંઈક અલગ છે. ત્યારે ગાંધીનગર ખાતે જી-20 બેઠકનું આયોજન થયું હતું,એ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. બેઠકને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક ઓફિસરોની નિમણૂંક લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો

પીએસઆઈ આર.જી. રાઓલને લાઈઝેનિંગ ઓફિસર તરીકે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી જેનેટ એએલ સાથે રાખવામાં આવ્યા હતા. વિદેશથી આવેલા મહેમાનને કોઈ અગવડ ન પડે તે માટે પીએસઆઈએ ઘણી મહેનત કરી હતી. તમામ સગવડો સમયસર તેમની સુધી પહોંચે તેવું આયોજન તેમજ તેવું મેનેજમેન્ટ જોઈ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પીએસઆઈની કામગીરીને જોઈ યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ખુશ થયા હતા. જેનેટ એએલે તેમની કામગીરીને જોઈ સિક્યોરિટી ઓફિસરને મેડલ આપવાની જાહેરાત કરી હતી અને પીએસઆઈ આરજી રાઓલને યુએસએનો સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.