Shankarsinh Vaghela અને છોટુ વસાવા વચ્ચે થઈ બેઠક, શું Bharuch Loksabha બેઠક પર નવા જુનીના એંધાણ? જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-04-11 16:47:02

ગુજરાતમાં અત્યારે હિટવેવ ચાલી રહી  છે અને રાજનીતિમાં પણ કંઈક એટલી જ ગરમી છે. ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.  અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગેલી છે તો કોંગ્રેસના પેચ ઘણી બેઠકો પર અટવાયેલા છે ત્યારે એક તસવીર સામે આવી છે જે વિચારવા પર મજબૂર કરે કે આ લોકસભા બેઠક પર કંઈક નવા જૂની થશે એ પાક્કું છે...! અમે વાત કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની જ્યાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે, છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે બેઠક થઈ હતી અને ત્યાંની તસવીરો સામે આવી હતી.  

શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થઈ હતી બેઠક 

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ હાજર હતા આ બેઠક ગાંધીનગરમાં શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવાની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન અત્યારે બધા લગાવી રહ્યા છે. 


છોટુ વસાવાએ પણ ઉતાર્યા છે ઉમેદવારને મેદાનમાં 

ભરૂચ લોકસભા બેઠક જે હમેશા ચર્ચામાં રહેતી હોય છે, કોઈ વખત મનસુખ વસાવાને કારણે કે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે... પરંતુ આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. તો વળી BAPએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર વસાવા vs વસાવાની જંગ રસપ્રદ થવાની છે. ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામેની પરાજય બાદથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. 

ભરૂચ લોકસભા સીટ રહેશે ચર્ચામાં કારણ કે... 

ગુજરાતની મુખ્યત્વેની બેઠકો એવી છે જ્યાં બે ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ચિત્ર કંઈક અલગ છે એટલે જ વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે. મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભરૂચ એ હોટ સીટ રહેવાની છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા પણ આ વખતે સામે ચૈતર વસાવા છે એટલે આ ગણતરીઓમાં ઘણો ફેર પડી શકે છે... ત્યારે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થયેલી બેઠકને કારણે રાજનીતિ ગરમાઈ છે. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.