Shankarsinh Vaghela અને છોટુ વસાવા વચ્ચે થઈ બેઠક, શું Bharuch Loksabha બેઠક પર નવા જુનીના એંધાણ? જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-04-11 16:47:02

ગુજરાતમાં અત્યારે હિટવેવ ચાલી રહી  છે અને રાજનીતિમાં પણ કંઈક એટલી જ ગરમી છે. ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.  અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગેલી છે તો કોંગ્રેસના પેચ ઘણી બેઠકો પર અટવાયેલા છે ત્યારે એક તસવીર સામે આવી છે જે વિચારવા પર મજબૂર કરે કે આ લોકસભા બેઠક પર કંઈક નવા જૂની થશે એ પાક્કું છે...! અમે વાત કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની જ્યાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે, છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે બેઠક થઈ હતી અને ત્યાંની તસવીરો સામે આવી હતી.  

શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થઈ હતી બેઠક 

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ હાજર હતા આ બેઠક ગાંધીનગરમાં શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવાની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન અત્યારે બધા લગાવી રહ્યા છે. 


છોટુ વસાવાએ પણ ઉતાર્યા છે ઉમેદવારને મેદાનમાં 

ભરૂચ લોકસભા બેઠક જે હમેશા ચર્ચામાં રહેતી હોય છે, કોઈ વખત મનસુખ વસાવાને કારણે કે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે... પરંતુ આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. તો વળી BAPએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર વસાવા vs વસાવાની જંગ રસપ્રદ થવાની છે. ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામેની પરાજય બાદથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. 

ભરૂચ લોકસભા સીટ રહેશે ચર્ચામાં કારણ કે... 

ગુજરાતની મુખ્યત્વેની બેઠકો એવી છે જ્યાં બે ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ચિત્ર કંઈક અલગ છે એટલે જ વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે. મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભરૂચ એ હોટ સીટ રહેવાની છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા પણ આ વખતે સામે ચૈતર વસાવા છે એટલે આ ગણતરીઓમાં ઘણો ફેર પડી શકે છે... ત્યારે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થયેલી બેઠકને કારણે રાજનીતિ ગરમાઈ છે. 




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .