કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, બાકી રહેલા ઉમેદવારોના નામને લઈ થશે મનોમંથન


  • Published By :
  • Published Date : 2022-11-13 18:19:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલે જ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અનેક વખત વડાપ્રધાન તેમજ અમિત શાહ ગુજરાત આવી ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કમલમ ખાતે તેઓ ઉચ્ચસ્તરિય બેઠક કરશે જ્યાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે. 

गुजरात चुनाव: बीजेपी ने जारी की स्टार प्रचारकों की लिस्ट, इन 40 नेताओं को  मिली जगह - gujarat elections 2022 bjp Star campaigners list for Phase 1  election ntc - AajTak

સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર કરવા જાણીતા અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. 40 જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, હેમા માલિની, જે.પી.નડ્ડા, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  લાવવામાં આવી રહ્યા. ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 

Modi-Shah play safe in Gujarat | Deccan Herald

ઘાટલોડિયાથી સીએમ શાહની હાજરીમાં ભરશે ફોર્મ 

ભાજપે લગભગ બધી બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો માટે નામની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામોની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત શાહની હાજરીમાં જ સીએમ ઘાટલોડિયાથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવી સંભાવાના દેખાઈ રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.