કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, બાકી રહેલા ઉમેદવારોના નામને લઈ થશે મનોમંથન


  • Published By :
  • Published Date : 2022-11-13 18:19:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલે જ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અનેક વખત વડાપ્રધાન તેમજ અમિત શાહ ગુજરાત આવી ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કમલમ ખાતે તેઓ ઉચ્ચસ્તરિય બેઠક કરશે જ્યાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે. 

गुजरात चुनाव: बीजेपी ने जारी की स्टार प्रचारकों की लिस्ट, इन 40 नेताओं को  मिली जगह - gujarat elections 2022 bjp Star campaigners list for Phase 1  election ntc - AajTak

સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર કરવા જાણીતા અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. 40 જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, હેમા માલિની, જે.પી.નડ્ડા, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  લાવવામાં આવી રહ્યા. ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 

Modi-Shah play safe in Gujarat | Deccan Herald

ઘાટલોડિયાથી સીએમ શાહની હાજરીમાં ભરશે ફોર્મ 

ભાજપે લગભગ બધી બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો માટે નામની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામોની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત શાહની હાજરીમાં જ સીએમ ઘાટલોડિયાથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવી સંભાવાના દેખાઈ રહી છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"