કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, બાકી રહેલા ઉમેદવારોના નામને લઈ થશે મનોમંથન


  • Published By :
  • Published Date : 2022-11-13 18:19:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલે જ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અનેક વખત વડાપ્રધાન તેમજ અમિત શાહ ગુજરાત આવી ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કમલમ ખાતે તેઓ ઉચ્ચસ્તરિય બેઠક કરશે જ્યાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે. 

गुजरात चुनाव: बीजेपी ने जारी की स्टार प्रचारकों की लिस्ट, इन 40 नेताओं को  मिली जगह - gujarat elections 2022 bjp Star campaigners list for Phase 1  election ntc - AajTak

સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર કરવા જાણીતા અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. 40 જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, હેમા માલિની, જે.પી.નડ્ડા, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  લાવવામાં આવી રહ્યા. ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 

Modi-Shah play safe in Gujarat | Deccan Herald

ઘાટલોડિયાથી સીએમ શાહની હાજરીમાં ભરશે ફોર્મ 

ભાજપે લગભગ બધી બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો માટે નામની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામોની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત શાહની હાજરીમાં જ સીએમ ઘાટલોડિયાથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવી સંભાવાના દેખાઈ રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.