અમદાવાદના અમરાઈવાડીમાં આધેડે આપઘાત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:08:33

અમદાવાદના ખોખરા સર્કલ નજીકના પારિષ્કાર-2 એપાર્ટમેન્ટના ચોથા માળે 42 વર્ષના દિપક ઘનશ્યામ પટેલ નામના આધેડે અજાણ્યા કારણોસર આપઘાત કર્યો. ચારેક દિવસથી પાડોશી લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે એપાર્ટમેન્ટના રૂમમાં તપાસ કરી ત્યારે યુવકની લાશ જોવા મળી હતી. 


યુવકે શા માટે આપઘાત કર્યો?

અસહ્ય દુર્ગંધ મારતા પાડોશી લોકોએ અમરાઈવાડી પોલીસને બપોરે જાણકારી આપી હતી. મૃતકના પરિવારજનો મામલે હાલ કોઈ માહિતી નથી મળી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. યુવકે શા માટે આપઘાત કર્યો છે તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી દીધી છે.  


ગુજરાતમાં વધતા આપઘાત

ગુજરાતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ ભાવનગરના ખાનગી ડોક્ટરે અગમ્ય કારણોસર પોતાના ક્લિનિકના બંધ રૂમમાં આપઘાત કરી લીધો હતો. અમદાવાદમાં પોલસ કર્મચારીએ સામુહિક આપઘાત કર્યાનો બનાવ પણ ટૂંક સમય પહેલા બન્યો હતો. જેનાથી સમગ્ર પોલીસ બેડામાં દુઃખની લાગણી વહી છે. ત્યારે આજે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આપઘાતના સમાચાર સામે આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ અને પોલીસ તપાસ બાદ આધેડે શા માટે આપઘાત કર્યો હતો તે મામલે જાણ થશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .