અમદાવાદના અમરાઈવાડીમાં આધેડે આપઘાત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:08:33

અમદાવાદના ખોખરા સર્કલ નજીકના પારિષ્કાર-2 એપાર્ટમેન્ટના ચોથા માળે 42 વર્ષના દિપક ઘનશ્યામ પટેલ નામના આધેડે અજાણ્યા કારણોસર આપઘાત કર્યો. ચારેક દિવસથી પાડોશી લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે એપાર્ટમેન્ટના રૂમમાં તપાસ કરી ત્યારે યુવકની લાશ જોવા મળી હતી. 


યુવકે શા માટે આપઘાત કર્યો?

અસહ્ય દુર્ગંધ મારતા પાડોશી લોકોએ અમરાઈવાડી પોલીસને બપોરે જાણકારી આપી હતી. મૃતકના પરિવારજનો મામલે હાલ કોઈ માહિતી નથી મળી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. યુવકે શા માટે આપઘાત કર્યો છે તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી દીધી છે.  


ગુજરાતમાં વધતા આપઘાત

ગુજરાતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ ભાવનગરના ખાનગી ડોક્ટરે અગમ્ય કારણોસર પોતાના ક્લિનિકના બંધ રૂમમાં આપઘાત કરી લીધો હતો. અમદાવાદમાં પોલસ કર્મચારીએ સામુહિક આપઘાત કર્યાનો બનાવ પણ ટૂંક સમય પહેલા બન્યો હતો. જેનાથી સમગ્ર પોલીસ બેડામાં દુઃખની લાગણી વહી છે. ત્યારે આજે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આપઘાતના સમાચાર સામે આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ અને પોલીસ તપાસ બાદ આધેડે શા માટે આપઘાત કર્યો હતો તે મામલે જાણ થશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી