અમદાવાદના અમરાઈવાડીમાં આધેડે આપઘાત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:08:33

અમદાવાદના ખોખરા સર્કલ નજીકના પારિષ્કાર-2 એપાર્ટમેન્ટના ચોથા માળે 42 વર્ષના દિપક ઘનશ્યામ પટેલ નામના આધેડે અજાણ્યા કારણોસર આપઘાત કર્યો. ચારેક દિવસથી પાડોશી લોકોને દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે એપાર્ટમેન્ટના રૂમમાં તપાસ કરી ત્યારે યુવકની લાશ જોવા મળી હતી. 


યુવકે શા માટે આપઘાત કર્યો?

અસહ્ય દુર્ગંધ મારતા પાડોશી લોકોએ અમરાઈવાડી પોલીસને બપોરે જાણકારી આપી હતી. મૃતકના પરિવારજનો મામલે હાલ કોઈ માહિતી નથી મળી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. યુવકે શા માટે આપઘાત કર્યો છે તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી દીધી છે.  


ગુજરાતમાં વધતા આપઘાત

ગુજરાતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ ભાવનગરના ખાનગી ડોક્ટરે અગમ્ય કારણોસર પોતાના ક્લિનિકના બંધ રૂમમાં આપઘાત કરી લીધો હતો. અમદાવાદમાં પોલસ કર્મચારીએ સામુહિક આપઘાત કર્યાનો બનાવ પણ ટૂંક સમય પહેલા બન્યો હતો. જેનાથી સમગ્ર પોલીસ બેડામાં દુઃખની લાગણી વહી છે. ત્યારે આજે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આપઘાતના સમાચાર સામે આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ અને પોલીસ તપાસ બાદ આધેડે શા માટે આપઘાત કર્યો હતો તે મામલે જાણ થશે. 



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.