Sansadમાં આજે એવી ક્ષણ સર્જાઈ જેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય! PM Modiએ કોંગ્રેસના આ નેતાના કર્યા વખાણ, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-08 13:22:20

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્તા પક્ષ વિપક્ષ પર શાબ્દિક હુમલો કરે છે તો વિપક્ષ સત્તા પક્ષ પર હુમલો કરે છે. છેલ્લા ત્રણ દિવસથી પીએમ મોદી સંસદમાં ભાષણ આપે છે. લોકસભામાં જ્યારે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું જ્યારે કેટલી સીટો મળશે તેવી વાત કરી હતી જ્યારે ગઈકાલે જ્યારે રાજ્યસભામાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા પરંતુ આજે જ્યારે પીએમ મોદી રાજ્યસભામાં બોલ્યા ત્યારે તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો, મનમોહનસિંહને યાદ કર્યા હતા. ડો. મનમોહન સિંહના કામોની પ્રશંસા કરી હતી. 

ડો.મનમોહન સિંહને પીએમ મોદીએ કર્યા યાદ 

રાજ્યસભામાં આજે અનેક સાંસદોની વિદાય થવાની છે. રાજ્યસભામાં આજે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર તો કર્યા પરંતુ સાથે સાથે તેમણે મનમોહનસિંહને યાદ પણ કર્યા હતા. મનમોહનસિંહની પણ આજે સંસદમાંથી વિદાય હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પૂર્વપીએમ દ્વારા કરવામાં આવેલા કાર્યોના વખાણ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે મનમોહન સિંહ લોકતંત્રને તાકાત આપે છે. મહત્વનું છે સંસદમાં ડો.મનમોહનસિંહ વ્હીલચેર પર બેસી પોતાનો વોટ આપવા આવ્યા હતા.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.