Sansadમાં આજે એવી ક્ષણ સર્જાઈ જેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય! PM Modiએ કોંગ્રેસના આ નેતાના કર્યા વખાણ, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-08 13:22:20

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્તા પક્ષ વિપક્ષ પર શાબ્દિક હુમલો કરે છે તો વિપક્ષ સત્તા પક્ષ પર હુમલો કરે છે. છેલ્લા ત્રણ દિવસથી પીએમ મોદી સંસદમાં ભાષણ આપે છે. લોકસભામાં જ્યારે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું જ્યારે કેટલી સીટો મળશે તેવી વાત કરી હતી જ્યારે ગઈકાલે જ્યારે રાજ્યસભામાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા પરંતુ આજે જ્યારે પીએમ મોદી રાજ્યસભામાં બોલ્યા ત્યારે તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો, મનમોહનસિંહને યાદ કર્યા હતા. ડો. મનમોહન સિંહના કામોની પ્રશંસા કરી હતી. 

ડો.મનમોહન સિંહને પીએમ મોદીએ કર્યા યાદ 

રાજ્યસભામાં આજે અનેક સાંસદોની વિદાય થવાની છે. રાજ્યસભામાં આજે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પર પ્રહાર તો કર્યા પરંતુ સાથે સાથે તેમણે મનમોહનસિંહને યાદ પણ કર્યા હતા. મનમોહનસિંહની પણ આજે સંસદમાંથી વિદાય હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પૂર્વપીએમ દ્વારા કરવામાં આવેલા કાર્યોના વખાણ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે મનમોહન સિંહ લોકતંત્રને તાકાત આપે છે. મહત્વનું છે સંસદમાં ડો.મનમોહનસિંહ વ્હીલચેર પર બેસી પોતાનો વોટ આપવા આવ્યા હતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.