મહિના પહેલા CMએ કરોડોના ખર્ચે સુરેન્દ્રનગરને આપ્યું ST બસ સ્ટેન્ડ, કોંગ્રેસે જનતા રેડ કરી ખોલી સુવિધાના પોલ


  • Published By :
  • Published Date : 2023-05-28 17:03:01

હમણા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં 8.8 કરોડ રૂપિયાના ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું. પણ મહિનાની અંદર જ સુરેન્દ્રનગરને પહોંચેલી સરકારી સેવાનું સૂરસુરિયું થઈ ગયું. અગાઉ અટલ બ્રિજ અને મેટ્રો સ્ટેશનના પણ આવા હાલ ગુજરાત જોઈ ચૂક્યું છે પણ અહીં અલગ એ થયું કે કોંગ્રેસની સક્રિયતા દેખાઈ. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જનતા રેડ કરીને સરકારી સેવાનો ભાંડો ફોડ્યો. વિસ્તારથી વાત કરીએ સુરેન્દ્રનગરની સમસ્યા શું છે અને કોંગ્રેસના જનમંચ કાર્યક્રમથી વિધાનસભાની સીડી મળશે કે કેમ? 

કરોડોની કિંમતે બનેલા બસસ્ટેન્ડનો કોંગ્રેસે જોયો બૂરો હાલ!

સુરેન્દ્રનગરમાં 27 મેના દિવસે કોંગ્રેસ નેતા અમીત ચાવડાની હાજરીમાં જનતા રેડ થઈ. ચૂંટણી બાદથી વિધાનસભામાં અને પત્રકાર પરિષદ યોજી મુદ્દા ઉઠાવતી કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જોવા મળી. વિગતવાર વાત કરીએ તો એવી વાતો ચાલી હતી કે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું લોકાર્પણ અધૂરા કામો વચ્ચે કરી દેવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ હતો. તો અમિત ચાવડા સુરેન્દ્રનગરના લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા અને પ્રશ્નો સમજી રહ્યા હતા. કોંગ્રેસના નેતાના કાન સુધી એસટી બસ સ્ટેન્ડની પરિસ્થિતિની વાત પહોંચી. તો પરિસ્થિતિ ચકાસવા વરિષ્ઠ નેતા અમિત ચાવડા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જનતા રેડ કરી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા. જ્યાં પહોંચી તેમને ખબર પડી કે હમણા જ લોકાર્પણ થયેલા કરોડોના એસટી બસ સ્ટેન્ડમાં ઘણી બધી સમસ્યાઓ છે. એસટી બસ સ્ટેન્ડમાં પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા નહોતા જોવા મળ્યા. બસ સ્ટેન્ડના શૌચાલયો પર તો રીત સરના તાળા લટકતા હતા. ગુજરાત સરકારે જે નળથી જલ યોજના અંતર્ગત ગુજરાતના સો ટકા ઘર સુધી પાણી પહોંચ્યું છે તેવા નળની ચકાસણી કરી તો નળ જ ગાયબ હતા. લોકો નળની ચોરી કરી લીધી હતી. બસ સ્ટેન્ડમાં ભાડે દુકાનો રાખનાર વેપારીઓ સાથે વાત કરી તો ખબર પડી કે આવી પરિસ્થિતિમાં સરકારને લાખો રૂપિયા ચૂકવીને પણ ધંધો કરવા સુવિધાના નામે આવી કંઈક પરિસ્થિતિ મળી રહી છે. કોંગ્રેસને જનમંચ કાર્યક્રમમાં દારુ-જુગાર, ડોક્ટરોની સુવિધા, ખનન સહિતની અનેક સમસ્યાની ફરિયાદ પણ મળી હતી..

વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સૂપડાં થઈ ગયા છે સાફ!

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસ નેતા ગુજરાતના જિલ્લાઓ અને નગરપાલિકાઓમાં જનમંચ કાર્યક્રમ યોજી જનતાઓની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. આ સમસ્યાઓ કોંગ્રેસ આગામી સમયમાં સરકાર સામે મૂકશે. આપણે જાણીએ છીએ કે ગઈ વિધાનસભામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. 70માંથી 17 બેઠક સુધી કોંગ્રેસ સમેટાઈ ગઈ છે પણ હવે તે લોકો વચ્ચે જઈ ઉભી થવાનો પ્રયાસ કરી રહી છે. જે સરકારને ગુજરાતની જનતાએ 156 વિધાનસભાની સીટ અપાવી તેને ઢંઢોળી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ જનમંચ મારફતે લોકોના સવાલોને જનસભાથી વિધાનસભા પહોંચાડવા ઈચ્છે છે. ગુજરાત સ્થાપના દિવસ પર શરૂ કરેલા જનમંચ કેમ્પેઈનથી  હવે કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો હવે સમય જ બતાવશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.