મહિના પહેલા CMએ કરોડોના ખર્ચે સુરેન્દ્રનગરને આપ્યું ST બસ સ્ટેન્ડ, કોંગ્રેસે જનતા રેડ કરી ખોલી સુવિધાના પોલ


  • Published By :
  • Published Date : 2023-05-28 17:03:01

હમણા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં 8.8 કરોડ રૂપિયાના ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું. પણ મહિનાની અંદર જ સુરેન્દ્રનગરને પહોંચેલી સરકારી સેવાનું સૂરસુરિયું થઈ ગયું. અગાઉ અટલ બ્રિજ અને મેટ્રો સ્ટેશનના પણ આવા હાલ ગુજરાત જોઈ ચૂક્યું છે પણ અહીં અલગ એ થયું કે કોંગ્રેસની સક્રિયતા દેખાઈ. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જનતા રેડ કરીને સરકારી સેવાનો ભાંડો ફોડ્યો. વિસ્તારથી વાત કરીએ સુરેન્દ્રનગરની સમસ્યા શું છે અને કોંગ્રેસના જનમંચ કાર્યક્રમથી વિધાનસભાની સીડી મળશે કે કેમ? 

કરોડોની કિંમતે બનેલા બસસ્ટેન્ડનો કોંગ્રેસે જોયો બૂરો હાલ!

સુરેન્દ્રનગરમાં 27 મેના દિવસે કોંગ્રેસ નેતા અમીત ચાવડાની હાજરીમાં જનતા રેડ થઈ. ચૂંટણી બાદથી વિધાનસભામાં અને પત્રકાર પરિષદ યોજી મુદ્દા ઉઠાવતી કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જોવા મળી. વિગતવાર વાત કરીએ તો એવી વાતો ચાલી હતી કે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું લોકાર્પણ અધૂરા કામો વચ્ચે કરી દેવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ હતો. તો અમિત ચાવડા સુરેન્દ્રનગરના લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા અને પ્રશ્નો સમજી રહ્યા હતા. કોંગ્રેસના નેતાના કાન સુધી એસટી બસ સ્ટેન્ડની પરિસ્થિતિની વાત પહોંચી. તો પરિસ્થિતિ ચકાસવા વરિષ્ઠ નેતા અમિત ચાવડા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જનતા રેડ કરી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા. જ્યાં પહોંચી તેમને ખબર પડી કે હમણા જ લોકાર્પણ થયેલા કરોડોના એસટી બસ સ્ટેન્ડમાં ઘણી બધી સમસ્યાઓ છે. એસટી બસ સ્ટેન્ડમાં પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા નહોતા જોવા મળ્યા. બસ સ્ટેન્ડના શૌચાલયો પર તો રીત સરના તાળા લટકતા હતા. ગુજરાત સરકારે જે નળથી જલ યોજના અંતર્ગત ગુજરાતના સો ટકા ઘર સુધી પાણી પહોંચ્યું છે તેવા નળની ચકાસણી કરી તો નળ જ ગાયબ હતા. લોકો નળની ચોરી કરી લીધી હતી. બસ સ્ટેન્ડમાં ભાડે દુકાનો રાખનાર વેપારીઓ સાથે વાત કરી તો ખબર પડી કે આવી પરિસ્થિતિમાં સરકારને લાખો રૂપિયા ચૂકવીને પણ ધંધો કરવા સુવિધાના નામે આવી કંઈક પરિસ્થિતિ મળી રહી છે. કોંગ્રેસને જનમંચ કાર્યક્રમમાં દારુ-જુગાર, ડોક્ટરોની સુવિધા, ખનન સહિતની અનેક સમસ્યાની ફરિયાદ પણ મળી હતી..

વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સૂપડાં થઈ ગયા છે સાફ!

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસ નેતા ગુજરાતના જિલ્લાઓ અને નગરપાલિકાઓમાં જનમંચ કાર્યક્રમ યોજી જનતાઓની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. આ સમસ્યાઓ કોંગ્રેસ આગામી સમયમાં સરકાર સામે મૂકશે. આપણે જાણીએ છીએ કે ગઈ વિધાનસભામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. 70માંથી 17 બેઠક સુધી કોંગ્રેસ સમેટાઈ ગઈ છે પણ હવે તે લોકો વચ્ચે જઈ ઉભી થવાનો પ્રયાસ કરી રહી છે. જે સરકારને ગુજરાતની જનતાએ 156 વિધાનસભાની સીટ અપાવી તેને ઢંઢોળી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ જનમંચ મારફતે લોકોના સવાલોને જનસભાથી વિધાનસભા પહોંચાડવા ઈચ્છે છે. ગુજરાત સ્થાપના દિવસ પર શરૂ કરેલા જનમંચ કેમ્પેઈનથી  હવે કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો હવે સમય જ બતાવશે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.