મહિના પહેલા CMએ કરોડોના ખર્ચે સુરેન્દ્રનગરને આપ્યું ST બસ સ્ટેન્ડ, કોંગ્રેસે જનતા રેડ કરી ખોલી સુવિધાના પોલ


  • Published By :
  • Published Date : 2023-05-28 17:03:01

હમણા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં 8.8 કરોડ રૂપિયાના ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું. પણ મહિનાની અંદર જ સુરેન્દ્રનગરને પહોંચેલી સરકારી સેવાનું સૂરસુરિયું થઈ ગયું. અગાઉ અટલ બ્રિજ અને મેટ્રો સ્ટેશનના પણ આવા હાલ ગુજરાત જોઈ ચૂક્યું છે પણ અહીં અલગ એ થયું કે કોંગ્રેસની સક્રિયતા દેખાઈ. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જનતા રેડ કરીને સરકારી સેવાનો ભાંડો ફોડ્યો. વિસ્તારથી વાત કરીએ સુરેન્દ્રનગરની સમસ્યા શું છે અને કોંગ્રેસના જનમંચ કાર્યક્રમથી વિધાનસભાની સીડી મળશે કે કેમ? 

કરોડોની કિંમતે બનેલા બસસ્ટેન્ડનો કોંગ્રેસે જોયો બૂરો હાલ!

સુરેન્દ્રનગરમાં 27 મેના દિવસે કોંગ્રેસ નેતા અમીત ચાવડાની હાજરીમાં જનતા રેડ થઈ. ચૂંટણી બાદથી વિધાનસભામાં અને પત્રકાર પરિષદ યોજી મુદ્દા ઉઠાવતી કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જોવા મળી. વિગતવાર વાત કરીએ તો એવી વાતો ચાલી હતી કે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું લોકાર્પણ અધૂરા કામો વચ્ચે કરી દેવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ હતો. તો અમિત ચાવડા સુરેન્દ્રનગરના લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા અને પ્રશ્નો સમજી રહ્યા હતા. કોંગ્રેસના નેતાના કાન સુધી એસટી બસ સ્ટેન્ડની પરિસ્થિતિની વાત પહોંચી. તો પરિસ્થિતિ ચકાસવા વરિષ્ઠ નેતા અમિત ચાવડા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જનતા રેડ કરી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા. જ્યાં પહોંચી તેમને ખબર પડી કે હમણા જ લોકાર્પણ થયેલા કરોડોના એસટી બસ સ્ટેન્ડમાં ઘણી બધી સમસ્યાઓ છે. એસટી બસ સ્ટેન્ડમાં પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા નહોતા જોવા મળ્યા. બસ સ્ટેન્ડના શૌચાલયો પર તો રીત સરના તાળા લટકતા હતા. ગુજરાત સરકારે જે નળથી જલ યોજના અંતર્ગત ગુજરાતના સો ટકા ઘર સુધી પાણી પહોંચ્યું છે તેવા નળની ચકાસણી કરી તો નળ જ ગાયબ હતા. લોકો નળની ચોરી કરી લીધી હતી. બસ સ્ટેન્ડમાં ભાડે દુકાનો રાખનાર વેપારીઓ સાથે વાત કરી તો ખબર પડી કે આવી પરિસ્થિતિમાં સરકારને લાખો રૂપિયા ચૂકવીને પણ ધંધો કરવા સુવિધાના નામે આવી કંઈક પરિસ્થિતિ મળી રહી છે. કોંગ્રેસને જનમંચ કાર્યક્રમમાં દારુ-જુગાર, ડોક્ટરોની સુવિધા, ખનન સહિતની અનેક સમસ્યાની ફરિયાદ પણ મળી હતી..

વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સૂપડાં થઈ ગયા છે સાફ!

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસ નેતા ગુજરાતના જિલ્લાઓ અને નગરપાલિકાઓમાં જનમંચ કાર્યક્રમ યોજી જનતાઓની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. આ સમસ્યાઓ કોંગ્રેસ આગામી સમયમાં સરકાર સામે મૂકશે. આપણે જાણીએ છીએ કે ગઈ વિધાનસભામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. 70માંથી 17 બેઠક સુધી કોંગ્રેસ સમેટાઈ ગઈ છે પણ હવે તે લોકો વચ્ચે જઈ ઉભી થવાનો પ્રયાસ કરી રહી છે. જે સરકારને ગુજરાતની જનતાએ 156 વિધાનસભાની સીટ અપાવી તેને ઢંઢોળી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ જનમંચ મારફતે લોકોના સવાલોને જનસભાથી વિધાનસભા પહોંચાડવા ઈચ્છે છે. ગુજરાત સ્થાપના દિવસ પર શરૂ કરેલા જનમંચ કેમ્પેઈનથી  હવે કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો હવે સમય જ બતાવશે.




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.